હડતાલ હોવા છતાં સરકારી હોસ્પિટલના ડાયાલિસિસ કેન્દ્રોએ આ જવાબદારી ઉપાડી લીધી હોવાનો સરકાર જુઠ્ઠો પ્રચાર કરતી હોવાનો આક્ષેપ
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/08/download-63.jpg)
અમદાવાદ
ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન દ્વારા પીએમજેએવાય યોજના હેઠળ ડાયાલીસીસના ઘટાડેલા દરના વિરોધમાં તારીખ ૧૪ થી ૧૬ ઓગસ્ટ પીએમજેએવાય અંતર્ગત ડાયાલીસીસ બંધ રાખવામાં આવેલા.સોમવારના દિવસે મોટી સંખ્યામાં દર્દીઓ પણ આ મુદ્દાની રજૂઆત કરવા માટે બધા જ શહેરોમાં કલેક્ટર ઓફિસ પર ગયા હતા.
ડાયાલિસિસ ના પેકેજ માં કરવામાં આવેલા ફેરફાર પછી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર આ પ્રશ્નને ગંભીરતાથી લેતી નથી એવું ડાયાલિસિસના દર્દીઓનું માનવું છે.
ગઈકાલે પ્રાઈવેટ ડોક્ટર્સએ દર્દીઓ હેરાન ન થાય એવા માનવીય અભિગમ થી ડાયાલિસિસ ની સારવાર હોસ્પિટલ, ટ્રસ્ટ કે પોતાના ખર્ચે ફ્રી માં કરી આપી હતી. આથી કોઈ પણ દર્દી હેરાન થયા નથી અને સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસ કરવાની ફરજ પડી નથી. આ બાબતને બરાબર સમજ્યા વગર સરકારશ્રી તરફથી એવું નિવેદન મળે છે કે આ હડતાલ હોવા છતાં સરકારી હોસ્પિટલ ના ડાયાલિસિસ કેન્દ્રો એ આ જવાબદારી ઉપાડી લીધી છે. પરંતુ સરકાર હજુ દિવાસ્વપ્નમાં જ રાચે છે એવું દર્દીઓને લાગે છે. હડતાલ દરમિયાન 4000 થી વધારે ડાયાલિસિસ પ્રાઈવેટ માં ફ્રી કરી આપવામાં આવ્યા હતા આ બધા દર્દીઓ જો સરકારી હોસ્પિટલમાં એકસાથે જાય તો સરકારી હોસ્પિટલ કેવી રીતે પહોંચી શકે એ મોટો પ્રશ્ન સરકારને દર્દીઓ પૂછે છે.
આમ ગાંધી ચિંધ્યા માર્ગે દર્દી ને તકલીફ ના પડે તેનું ધ્યાન રાખી પીએમજેએવાય ના અધિકારી તેમજ સરકાર નો વિરોધ કરવા માં આવ્યો.હજુ સુધી સરકાર દ્વારા વાતચીત માટે નેફ્રોલોજી એસોસિયેશન ને બોલાવવામાં આવેલ નથી.