ખેડબ્રહ્મા છાત્રોને ડામની ઘટનામાં ત્રણ માસ બાદ તપાસના આદેશ

Spread the love

આ સમગ્ર ઘટના અંગે વાલીઓએ લેખિતમાં રજૂઆત કર્યા છતાં પણ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી


ગાંધીનગર
ખેડબ્રહ્મામાંમાં ત્રણ મહિના પહેલા નચિકેતા વિદ્યા સંસ્થામાં 13 વિદ્યાર્થીઓને સજા માટે ડામ આપ્યા હોવાની ગંભીર ઘટના બની હતી. આ સમગ્ર ઘટના અંગે વાલીઓએ લેખિતમાં રજૂઆત કર્યા છતાં પણ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારે હવે શિક્ષણમંત્રીએ આ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે.
સાબારકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના ખેરોજ ખાતે આવેલ નચિકેતા વિદ્યા સંસ્થામાં આદિવાસી વિદ્યાર્થીઓને તાલીબાની સજા ફટકારવામા આવી હતી જેમાં વિદ્યાર્થીઓ મસ્તી-તોફાન કરતા હોવાથી સંચાલકે ડામ આપ્યો હોવાથી વાલીઓએ આ મામલે જિલ્લા કલેક્ટર નૈમેશ દવેને લેખિત રજૂઆત કરી હતી તેમજ ખેરોજ પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત શિક્ષણ વિભાગને પણ આ ઘટના અંગે રજૂઆત કરી હોવા છતાં પણ તંત્રએ કોઈપણ પગલાં લીધા ન હતા. આ સિવાય સંસ્થા દ્વારા વાલીઓ પાસેથી સમાધાનના પત્રો લેવાયા હોવાનો પણ અહેવાલ મળ્યો હતો. આ સમગ્ર મામલે હવે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા.
સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીએ 15 દિવસ પહેલા જ એક પરિપત્ર બહાર પાડ્યા હતો જેમાં કોઈપણ શિક્ષકોને વિદ્યાર્થીઓને સજા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો અને જણાવ્યું હતું કે જો કોઈ શિક્ષક વિદ્યાર્થીઓને સજા કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Total Visiters :99 Total: 925795

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *