મહારાષ્ટ્રમાં શિંદે જૂથના 16 ધારાસભ્યોની માન્યતા અકબંધ, શિંદે મુખ્યપ્રધાન રહેશે

Spread the love

ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા મામલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યા બાદ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને ચુકાદા મ ટે કહ્યું હતું. ઉધ્ધવ જૂથને મોટો આંચકો


મુંબઈ
શિવસેના ધારાસભ્યની ગેરલાયકાતનો ચુકાદો લાઈવ: વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેનો તેમનો ચુકાદો આપી દીધો છે. શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર નિર્ણય લેવામાં આવ્યો છે. લગભગ દોઢ વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં શિવસેનામાં બળવો થયો હતો, ત્યારબાદ શિવસેનાના ઉદ્ધવ જૂથે મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત તેમના જૂથના 39 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હવે 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર નિર્ણય લેવાનો હતો.
અહીં, શિંદે જૂથ ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. તેના પર સુપ્રીમ કોર્ટે અયોગ્યતાનો નિર્ણય વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને સોંપ્યો હતો.
મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર આજે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યો વિરુદ્ધ ગેરલાયકાતના કેસમાં ચુકાદો આપ્યો છે. લગભગ 18 મહિના પહેલા શિંદે સહિત 39 ધારાસભ્યોએ તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બળવો કર્યો હતો, જેના કારણે 57 વર્ષ જૂની પાર્ટી શિવસેનામાં ભાગલા પડ્યા હતા અને મહાવિકાસ અઘાડીની સરકાર પડી ગઈ હતી. આ ઘટના બાદ બંને જૂથોએ એકબીજાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માગણી કરતી અરજીઓ કરી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભામાં અયોગ્યતાના કેસમાં સ્પીકર રાહુલ નાર્વેકર ચુકાદો આપ્યો છે. તેમણે કહ્યું કે 1999ના બંધારણને ધ્યાનમાં રાખવું પડશે કારણ કે 2018નું બંધારણ ઈસીઆઈ સમક્ષ અસ્તિત્વમાં ન હતું. સ્પીકરે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા વિવિધ સોગંદનામાને ધ્યાનમાં લીધા છે અને પક્ષકારોની દલીલો પર આધાર રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ઈસીઆઈ સમક્ષ બંધારણ પર વિચાર કરવો પડશે અને તેથી આ માંગ કરવામાં આવી છે.
ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલામાં પોતાનો નિર્ણય સાંભળતા મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે કહ્યું, ‘ઉદ્ધવ ઠાકરે પાસે એકનાથ શિંદેને હટાવવાની સત્તા નથી. શિવસેના પ્રમુખને પક્ષના કોઈપણ નેતાને હટાવવાનો અધિકાર નથી. એકનાથ શિંદેને વિધાયક દળના નેતા પદેથી હટાવવાનો નિર્ણય સ્વીકારી શકાય નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *