હિતેશ પટેલ (પોચી)ની રેલવેની ZRUC તેમજ ટેલિફોન એડવાઈઝરી કમિટીમાં નિમણૂક

અમદાવાદ ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વેસ્ટર્ન રેલવેની Zonal Railway Users Consultative Committee (ZRUC)માં સ્પેશ્યલ ઇન્ટ્રેસ્ટ કેટેગરી હેઠળ અમદાવાદના કાર્યકર હિતેશ પટેલ (પોચી)ની બે વર્ષ માટે સભ્ય તરીકે નિમણૂક કરી છે. આ ઉપરાંત, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ની અમદાવાદ ટેલિફોન એક્સચેન્જ માટેની ટેલિફોન એડવાઈઝરી કમિટીમાં પણ હિતેશ પટેલ (પોચી)ની સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી…

હીરામણિ સ્કૂલમાં ટીટેનસ-ડીપ્થેરીયા રસીકરણનું આયોજન કરવામાં આવ્યું

ભારત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાંહીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં 10 વર્ષ અને 16 વર્ષના બાળકો માટે ટીટેનસ-ડીપ્થેરીયા રસીકરણનું આયોજન આરોગ્ય વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તથા ધ અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દ્વારા હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓને ટી.ડી. વેક્સિન અપાઈ હતી. જેમાં સંસ્થાના સી.ઈ.ઓ. ભગવત અમીન તથા બંન્ને માધ્યમના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં વર્ષાગીત અને ડાન્સ સ્પર્ધા યોજાઈ

અમદાવાદ હીરામણિ ઉચ્ચત્તર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વરસાદી માહોલને વિદ્યાર્થીઓ લોકસાહિત્ય – સંગીતની સાથે માણે – જાણે આ હેતુથી હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમમાં ધો.8 થી 12 વિદ્યાર્થીઓની વર્ષાગીત અને ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. દરેક સ્પર્ધકોએ વર્ષાગીતો અને દુહાઓની રમઝટ બોલાવી માહોલ વરસાદી બનાવી દીધો હતો. આ સ્પર્ધામાં આચાર્યા ભારતી મિશ્રા, કો-ઓર્ડિનેટર ભરત…

દાણચોરી કાયદેસરના ઉદ્યોગો સામે ગંભીર જોખમ ઊભું કરે છે અને રોકાણકારોનો વિશ્વાસ ડગમગાવે છેઃ અમદાવાદ કસ્ટમ્સ વિભાગના વડા

અમદાવાદ ગેરકાયદેસર વેપારઃ બનાવટ કરવા અને દાણચોરી સામે રાજ્ય સ્તરની કામગીરી વિષય પર ફિક્કી કાસ્કેડ દ્વારા યોજાયેલા એક સેમિનારમાં અમદાવાદ ઝોનના કસ્ટમ્સના ચીફ કમિશ્નર અને આઈઆરએસ પ્રણેશ પાઠકે જણાવ્યું હતું કે “ભારતનું અર્થતંત્ર વિકસી રહ્યું છે અને વૈશ્વિક વ્યાપાર વધી રહ્યો છે ત્યારે આધુનિક દાણચોરી નેટવર્ક માટેઆપણો દેશ વધુને વધુ ગુનેગારો માટે આકર્ષણનું કેન્દ્ર બની…

વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે KFS ઇસ્ટમાં આયુર્વેદ સત્રનું આયોજન

અમદાવાદ  હીરાપુર સ્થિત કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ ઇસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે “આયુર્વેદની શક્તિ દ્વારા આરોગ્ય અને સુખાકારી” વિષય પર એક જ્ઞાનવર્ધક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનું સંચાલન અખંડાનંદ આયુર્વેદિક કોલેજના ડૉ. અજિતસિંહ ગોહિલે કર્યું હતું, જેઓ આયુર્વેદ ક્ષેત્રના નિષ્ણાત છે. ડૉ. ગોહિલે સરળ આયુર્વેદિક પદ્ધતિ, દિનચર્યા અને કુદરતી ઉપચારો દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય…

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં નશામુક્ત ભારત વિષય આધારિત ચિત્રસ્પર્ધા યોજાઈ

અમદાવાદ હીરામણી સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નશામુક્ત ભારત પખવાડિયાની ઉજવણી દ્રારા જનજાગૃતિ ના ભાગરૂપે વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ નશા ની આડ અસર, બગડતી જિંદગી ઉપર વેધક કટાક્ષ કર્યો હતો, અને સૌને કોઈ પણ પ્રકારનો નશો ન કરવા નો સંદેશ આપ્યો હતો. સ્પર્ધા  માંથી 10 વિજેતા…

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે SGVP ગુરુકુળ, અમદાવાદ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

તા.14 જૂન,2025 વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે જનસહાયક ટ્રસ્ટ સંચાલિત હીરામણિ આરોગ્યધામ, હીરામણિ સ્કૂલ,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ચિરીપાલ ગ્રુપના સહયોગથી  રક્તદાન શિબિરનું આયોજન SGVP ગુરુકુળ, અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં કુલ 65 રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું. આ પ્રસંગે જનસહાયક ટ્રસ્ટ ના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી વરૂણ અમીન, હીરામણિ સ્કૂલના…

એપેક્સોન ઇગ્નાઇટ દ્વારા ખાતે 550થી વધુ બાળકો માટે ‘કલરવર્સ 2025’ સમર કેમ્પનું આયોજન

ભારત એપેક્સોન ના સામાજિક પ્લેટફોર્મ એપેક્સોન ઇગ્નાઇટ દ્વારા આહાન લર્નિંગ સેન્ટર્સ ખાતે ‘કલરવર્સ 2025’ થીમ પર સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હૈદરાબાદ, પુણે અને અમદાવાદ સ્થિત 15 સેન્ટર્સમાં 550થી વધુ બાળકોએ આ કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કેમ્પ દરમિયાન બાળકો માટે વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓ જેમ કે ડોટ પેઈન્ટિંગ, બ્લો પેઈન્ટિંગ, ફિંગર પેઈન્ટિંગ, પાંદડા અને માટીથી…

નારાયણાનું JEE એડવાન્સ 2025 માં ઉત્કૃષ્ટ પરિણામ

નારાયણાના વિદ્યાર્થીઓએ ટોચના 10 ઓલ ઈન્ડિયા ઓપન કેટેગરી રેન્કમાંથી 5 સ્થાન મેળવ્યું નારાયણાના વિદ્યાર્થીઓએ ટોચના 100 ઓલ ઈન્ડિયા ઓપન કેટેગરી રેન્કમાંથી 43 સ્થાન મેળવ્યું JEE એડવાન્સ્ડ 2025 માં ટોચના 10 માંથી 5 રેન્ક મેળવીને નારાયણાએ ફરી એકવાર શ્રેષ્ઠતાનો માપદંડ સ્થાપિત કર્યો છે. અપ્રતિમ શૈક્ષણિક પ્રતિભા દર્શાવતા, નારાયણાએ ઓપન કેટેગરીમાં ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) 3, 4,…

વિશ્વ પર્યાવરણ દિવસ 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સ દ્વારા વિવિધ રોપાઓનું વાવેતર

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સ, વસ્ત્રાલ, અમદાવાદના કમાન્ડન્ટ રતુલ દાસના નેતૃત્વમાં “એક પૌધા મા કે નામ” અભિયાન હેઠળ કેમ્પસમાં વિવિધ સ્થળોએ જામફળ, લીંબુ, લીમડો, ગુલમહોર, પીપળ જેવા વિવિધ જાતોના 200 જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, બટાલિયનના તમામ અધિકારીઓ અને જવાનોએ ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો…

ઓગણવિડ ખાતે 600 અબોલ જીવો રહી શકે તેવા સ્વાવલંબી આશ્રય સ્થાનનું ઉદઘાટન

અમદાવાદમાં પ્રથમવાર વિવિધ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જએનિમલ એમ્બ્યુલન્સને હેલ્પલાઇન નંબર 91529 90399 સાથે શરૂ કરવામાં આવી અમદાવાદ શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુરુજી અર્જુન દેસાઈ, શ્રી સધીમાં…

પર્યાવરણ પખવાડિયું: અમદાવાદ જિલ્લો બીબીપુર રમત સંકુલ ખાતે સ્વચ્છતા અભિયાન

ખેલાડીઓ, એડમીન સ્ટાફ તેમજ ગ્રામજનો દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી વિશ્વ પર્યાવરણ દિવસ પખવાડિયાની ઉજવણી અંતર્ગત અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના પ્રાદેશિક પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા બીબીપુર રમત સંકુલ ખાતે ખેલાડીઓ, એડમીન સ્ટાફ અને ગ્રામજનો દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં ખેલાડીઓ, એડમીન સ્ટાફ તેમજ ગ્રામજનો…

આર્ટથી એક્શન સુધી: એપેક્સોન ઇગ્નાઈટ દ્વારા વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે સર્જનાત્મક અભિવ્યક્તિ અને સ્થાયી જીવનશૈલીની ઉજવણી

વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણીના ભાગરૂપે, અપેક્સોન ઇગ્નાઈટએ પર્યાવરણ જાગૃતિ અને સાતત્યપૂર્ણ વિકાસના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું, જેમાં સર્જનાત્મકતા, સામુદાયિક ભાવ અને પ્રકૃતિલક્ષી અભિગમને ઉજાગર કરવામાં આવ્યા. ત્રણ રાજ્યોમાં આવેલા 15 “આહાન લર્નિંગ સેન્ટર્સ” પર ૫૦૦ થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક પર્યાવરણ જાગૃતિ માટે ચિત્રો તથા નાટક ભજવ્યા. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને પર્યાવરણ સંરક્ષણ…

હીરામણી સ્કૂલના વ્યાયામ શિક્ષક રજનીકાંત વિલ્યમભાઈ ગણાવા PH.D થયા

હીરામણિ સ્કૂલ, સરખેજ-ગાંધીનગર હાઈવે, અમદાવાદમાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા રજનીકાંત વિલ્યમભાઈ ગણાવાએ ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા-અમદાવાદમાં શારીરિક શિક્ષણ વિભાગમાં ડૉ.પી.સી.ચાવડાના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યની માધ્યમિક શાળાના શારીરિક શિક્ષણના શિક્ષકો અને અન્ય વિષયના શિક્ષકોનો વિવિધ ઉંમર જૂથ પ્રમાણે શરીર દળઆંક અને શારીરિક સ્વાસ્થ્યની યોગ્યતાનો તુલનાત્મક અભ્યાસ વિષય પર સંશોધન કાર્ય પૂર્ણ કરેલ છે. તે બદલ ગુજરાત…

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ગુજરાતને  ભારતનું  નાણાકીય  પાટનગર  બનાવવાના  સપનાને  સાકાર  કરવાના  મુખ્ય  શિલ્પકાર બનશેઃ ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ‘ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા’ની મેમ્બર્સ મીટ યોજાઈ અમદાવાદ  ગુજરાતને ભારતનું નાણાકીય પાટનગર બનાવવાની દ્રષ્ટિ છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આ  સપનાને સાકાર કરવાના મુખ્ય શિલ્પકાર બનશે, એમ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ‘ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા’ની મેમ્બર્સ મીટમાં  સંબોધન કરતાં જણાવ્યું હતું. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ (WIRC) ની  અમદાવાદ બ્રાન્ચ દ્વારા અમદાવાદ રિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે CA મેમ્બર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ CA મેમ્બર્સ મીટમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતાં, તેમજ ICAI પ્રમુખ  ચરણજોતસિંહ નંદા, ઉપપ્રમુખ  પ્રસન્ના કુમાર ડી, ICAI ભૂતપૂર્વ પ્રમુખ અનિકેત તલાટી, ICAIના CCM  પુરુષોત્તમ ખંડેલવાલ, અમદાવાદ બ્રાંચના ચેરમેન  નીરવ અગ્રવાલ, સેક્રેટરી સમીર ચૌધરી તથા રાષ્ટ્રીય સ્તરના પદાધિકારીઓ, ટીમ અમદાવાદ બ્રાન્ચના સભ્યો, ભૂતપૂર્વ પદાધિકારીઓ તેમજ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે દેશમાં સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારે દેશમાં અમલી જે જટિલ ટેક્સ માળખું હતું, તેને બદલવાનું ભગીરથ કામ પાર પાડ્યું અને એક સમયે જટિલ અને શિથિલ પ્રક્રિયાને  કારણે  લોકો  ટેક્સ ભરવા માટે નીરસ રહેતા અને ટેક્સ ન ભરવાના અન્ય વિકલ્પો શોધતા હતા. પણ આજે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના  નેતૃત્વમાં દેશમાં સૌથી મોટો ટેક્સ રિફોર્મ આવ્યો છે. વડાપ્રધાન મોદીની…

રિલાયન્સ ફાઉન્ડેશન-યુએન ઈન્ડિયા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગુજરાત ખાતે આયોજિત પરિષદમાં હોનારતોના નવતર, પહોંચપાત્ર, પગલાં ભરી શકાય તેવા અર્લી વોર્નિંગ ઉપાયો પર ભાર મૂકાયો

ભૂજ  રિલાયન્સ ફાઉન્ડેશન તેમજ યુનાઈટેડ નેશન્સ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે મંગળવારે અહીં આયોજિત એક પરિષદમાં ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમમાં ભવિષ્યલક્ષી તૈયારીઓ માટે સાહસિક તેમજ પરિવર્તનકારી પગલાંની માગ કરાઈ હતી. ‘અર્લી વોર્નિંગ એન્ડ અર્લી એક્શન- એ મલ્ટિ-હેઝાર્ડ, મલ્ટિ-સ્ટેકહોલ્ડર્સ એપ્રોચઃ એક્સપિરિયન્સીસ, લર્નિંગ્સ એન્ડ શેરિંગ’ નામની આ ઈવેન્ટમાં ભારતની અંદર ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટનું સ્તર ઊંચુ લાવવા જ્ઞાનની વહેંચણી અને અગત્યની ચર્ચા યોજાઈ હતી. રિલાયન્સ ફાઉન્ડેશન…

હીરામણિ પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિનની ઉજવણી કરાઈ

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વિશ્વ ચકલી દિનની ઉજવણી નિમિત્તે ધો.5 થી 7ના વિદ્યાર્થીઓ દ્વારા થર્મોકોલ, પૂંઠું, લાકડું, કાગળ, નાળિયેરનાં અને મકાઈના છોતરાં આઈસક્રીમની સ્ટીક વગેરે વેસ્ટ વસ્તુઓમાંથી ચકલીઓના બેનમૂન માળા બનાવાયા હતા અને સમાજમાં જીવદયા તેમજ ઘટતી જતી ચકલીઓની સંખ્યા વધે તેવો સુંદર સંદેશ પાઠવાયો હતો.

કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે સસ્તુ સાહિત્યનાં 24 પુનઃમુદ્રિત પુસ્તકોનું વિમોચન કરાયું

ભિક્ષુ અખંડાનંદે વાંચનનું મૂલ્ય સમજ્યું અને વાંચનને સસ્તુ બનાવ્યું : કેન્દ્રીય મંત્રી અમિત શાહ 115 વર્ષથી ગુજરાતીઓને સસ્તા દરે શિષ્ટ સાહિત્ય પ્રદાન કરનાર સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ‘અખંડ આનંદોત્સવ’માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ અમદાવાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પુનઃ મુદ્રિત 24 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું…

મહિલા સશક્તિકરણ પ્રેરણાદાયક પરિવર્તન થીમ સાથે  ગુજરાત સ્ટેટ વુમન ડોક્ટર્સ કોન્ફરન્સ યોજાઇ

અમદાવાદ આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ મેનેજમેન્ટ એસોશીએસન ખાતે ગુજરાત સ્ટેટ વુમન ડોક્ટર્સ કોન્ફરન્સનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સ્ટેટ વુમન ડોક્ટર્સ કોન્ફરન્સમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબેન જૈન હાજર રહ્યા હતાં.  આ પ્રસંગે આઈએએસ જંયતિ રવિ, ( સેક્રેટરી ઓરોવિલે ફાઉન્ડેશન)એ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. જ્યારે સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી પરીક્ષીતા રાઠોડ…

સીએ ઈન્ટરમિડીયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો જાહેર : ઈન્ટરમિડીયેટમાં દેશનાં 50 ટોપરોમાં અમદાવાદનાં 11 વિદ્યાર્થીઓ

અમદાવાદ કેન્દ્રનું 21.94 ટકા પરિણામ / સમગ્ર ભારતમાં 14.05 ટકા પરિણામ અમદાવાદ સેન્ટરમાં અભ્યાસ કરતી વિધી તલાટી દેશમાં 12મા ક્રમાંકે અમદાવાદ ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા જાન્યુઆરી 2025માં લેવાયેલી સીએ ઈન્ટરમિડીયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં. સીએ ઈન્ટરમિડીયેટની પરીક્ષામાં અમદાવાદની વિદ્યાર્થીનીએ દેશભરમાં 12મો ક્રમાંક મેળવ્યો છે. સીએ ઈન્ટરમિડીયેટ પરીક્ષામાં દેશનાં 50 ટોપરોમાં અમદાવાદનાં 11 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ અંગે…