સોલા સિવિલ હોસ્પિટલમાં આધુનિક આરોગ્ય સેવાઓનો વધારો

આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે નવા 128-સ્લાઇસ સીટી-સ્કેન, હાઈ-એન્ડ સોનોગ્રાફી મશીન અને કોક્લીયર ઇમ્પ્લાન્ટ મોડ્યુલર ઓટીનું લોકાર્પણ અમદાવાદ: રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં નવનિર્મિત 128-સ્લાઇસ સીટી-સ્કેન મશીન, હાઈ-એન્ડ સોનોગ્રાફી મશીન તેમજ કોક્લીયર ઇમ્પ્લાન્ટ મોડ્યુલર ઓપરેશન થિયેટર (ઓટી)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી સુવિધાઓ શરૂ થતાં દર્દીઓને વધુ ઝડપી, આધુનિક અને ગુણવત્તાસભર…

હીરામણિ પ્રાથમિક શાળામાં ‘રથયાત્રા મોડલ બનાવવાની સ્પર્ધા’ યોજાઈ

વિદ્યાર્થીઓએ ઇકો-ફ્રેન્ડલી રથો અને ભગવાન જગન્નાથ, બલભદ્ર-સુભદ્રાના આકર્ષક મોડેલ બનાવી સર્જનાત્મકતાનો પરિચય આપ્યો અમદાવાદ: હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધોરણ 5થી 7ના વિદ્યાર્થીઓ માટે “રથયાત્રા મોડલ બનાવવાની સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લઈ પર્યાવરણમૈત્રી (ઇકો-ફ્રેન્ડલી) સામગ્રીમાંથી સુંદર, કલાત્મક અને આકર્ષક રથોના મોડેલ તૈયાર કર્યા હતા. વિદ્યાર્થીઓની કૃતિઓએ…

ગુજરાતના NCC કેડેટ મનુજ કુમાર આંતરરાષ્ટ્રીય મંચ પર ઝળક્યા

કિર્ગિઝ પ્રજાસત્તાકમાં યોજાનારા પ્રતિષ્ઠિત યુથ એક્સચેન્જ પ્રોગ્રામ-2026 માટે પસંદગી, ગુજરાત NCC માટે ગૌરવની ક્ષણ અમદાવાદનેશનલ કેડેટ કોર્પ્સ (NCC) નિદેશાલય ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. અમદાવાદની ‘1 ગુજરાત NCC બટાલિયન’ના કેડેટ મનુજ કુમારની પ્રતિષ્ઠિત યુથ એક્સચેન્જ પ્રોગ્રામ (YEP)-2026 માટે પસંદગી થઈ છે. તેઓ કિર્ગિઝ પ્રજાસત્તાકમાં યોજાનારા આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેમની પસંદગીથી ગુજરાત…

ખોલવડ-ભાદા વિસ્તારમાં રૂ. 84 કરોડના ખર્ચે GETCOનું નવું સબ સ્ટેશન બનશે

વધતી વસતી અને ઉદ્યોગોને મળશે ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો, 24 હજાર ચોરસ મીટર જમીન પર કામગીરી શરૂ કામરેજકામરેજ વિધાનસભા ક્ષેત્રના ખોલવડ-ભાદા વિસ્તારમાં વધતી રહેણાંક વસાહતો અને ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વીજ માળખાને વધુ મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ નં. 47 હેઠળ રિઝર્વેશન નં. R-22 ખાતે 24 હજાર ચોરસ મીટર જમીન…

સરદાર સરોવર નર્મદા ડેમમાં 65.37 ટકા જળસંગ્રહ

સાંજે 5 વાગ્યાના અપડેટ મુજબ ડેમની સપાટી 126.78 મીટર; કેનાલમાં 14,790 ક્યુસેક પાણી છોડાયું નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની આજે સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમમાં કુલ 65.37 ટકા જળસંગ્રહ નોંધાયો છે. ડેમની હાલની જળ સપાટી 126.78 મીટર પર પહોંચી છે, જ્યારે ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. ડેમમાં 6783.88 MCM પાણીનો સંગ્રહ નર્મદા…

મંગલદીપ વિદ્યાલય, રાણીપ ખાતે વિદ્યાર્થીઓનો હરિત સંકલ્પ

વૃક્ષારોપણ કાર્યક્રમ-2026 અંતર્ગત વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણનો આપ્યો પ્રેરણાદાયી સંદેશ અમદાવાદ: મંગલદીપ વિદ્યાલય, રાણીપ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કર્યું અને હરિયાળા તેમજ સ્વચ્છ પર્યાવરણના નિર્માણ માટે પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો. વિદ્યાર્થીઓએ લીધો હરિત પર્યાવરણનો સંકલ્પ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળા પરિસર અને…

ભાડજમાં ‘5 મિલિયન ટ્રી પ્રોજેક્ટ’ અંતર્ગત 30 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર

BAPSના 1,100થી વધુ સ્વયંસેવકોની હરિત પહેલ; કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ અમદાવાદ અમદાવાદના ભાડજ ખાતે રવિવારે ‘5 મિલિયન ટ્રી પ્રોજેક્ટ’ અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સવારે 8થી 12 વાગ્યા દરમિયાન યોજાયેલા આ અભિયાનમાં ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના 1,100થી વધુ સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ…

રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ 21 ટ્રોફી અને સર્ટિફિકેટનો અનોખો વિક્રમ

કેમલ આર્ટ કોન્ટેસ્ટમાં હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓનો દેશવ્યાપી દબદબો; રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઝળહળતી સિદ્ધિ અમદાવાદ હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓએ કેમલ આર્ટ કોન્ટેસ્ટની રાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને શાળા તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ કુલ 21 ટ્રોફી અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરીને હીરામણિ સ્કૂલ શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન સમગ્ર દેશમાં આ અનોખી…

રાજસ્થાનના 6 વર્ષીય બાળકમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ, સારવાર દરમિયાન મોત થયું

હિંમતનગરની GMERS હોસ્પિટલમાં દાખલ કરાયેલા બાળકનો લેબોરેટરી રિપોર્ટ પોઝિટિવ; રાજસ્થાનના સ્ટેટ સર્વેલન્સ ઓફિસરને તાત્કાલિક જાણ કરાઈ ગાંધીનગર ચાંદીપુરા વાયરસ (CHPV)નો એક પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. રાજસ્થાનના 6 વર્ષીય બાળકમાં ચાંદીપુરા વાયરસની લેબોરેટરી તપાસમાં પુષ્ટિ થઈ છે. બાળકને ગંભીર હાલતમાં ગુજરાતની હિંમતનગર સ્થિત GMERS હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં…

સરથાણા જકાતનાકા પાસે પાણીમાં બે યુવકો તણાયા: એકનો મૃતદેહ મળ્યો, બીજા માટે યુદ્ધના ધોરણે શોધખોળ

રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ઘટનાસ્થળની મુલાકાત લઈ બચાવ કામગીરીની સમીક્ષા કરી સુરત: સુરતના કામરેજ વિધાનસભા વિસ્તાર હેઠળ આવેલા સરથાણા જકાતનાકા આઉટર રીંગ રોડ નજીક પાણીમાં બે યુવકો તણાઈ જવાની દુઃખદ ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ રાજ્યના આરોગ્ય મંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી….

સરદાર સરોવર ડેમમાં સતત વધારો: 24 કલાકમાં પાણીની સપાટીમાં 13 સેન્ટીમીટરનો ઉછાળો

ડેમની જળસપાટી 126.98 મીટરે પહોંચી; કુલ સંગ્રહ ક્ષમતા 65.85 ટકા, 33,564 ક્યુસેક પાણીની આવક કેવડિયા: રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ગુરુવારે સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની જળસપાટી 126.98 મીટર નોંધાઈ છે, જે છેલ્લા 24 કલાકમાં 13 સેન્ટીમીટર વધી છે. ડેમમાં 65.85 ટકા પાણીનો સંગ્રહ સરદાર…

ભારે વરસાદ વચ્ચે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા એક્શનમાં; કામરેજમાં મોડી રાત્રે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી ઝડપી બનાવવા, વીજ પુરવઠો અને માર્ગ વ્યવસ્થા વહેલી તકે પૂર્વવત્ કરવા અધિકારીઓને કડક સૂચના કામરેજ કામરેજ તાલુકામાં ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય મંત્રી તથા કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ ગુરુવારે મોડી રાત્રે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે વરસાદી પરિસ્થિતિ, રાહત…

‘નમો સ્વચ્છતા અભિયાન’ને ઐતિહાસિક સફળતા, સાત દિવસમાં 5.72 લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં રાજ્યની 12 હજારથી વધુ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અભિયાન સફળ; 41 હજારથી વધુ સાધનોનું સમારકામ પૂર્ણ ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં અમલમાં મૂકાયેલા ‘નમો સ્વચ્છતા અભિયાન’ને રાજ્યવ્યાપી સફળતા મળી છે. સાતમા દિવસ સુધી રાજ્યની 12 હજારથી વધુ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં હાથ ધરાયેલા આ મહાઅભિયાન અંતર્ગત સ્વચ્છતા, સુવ્યવસ્થિત કામગીરી અને આરોગ્ય સેવાઓને વધુ…

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 21 સેન્ટીમીટરનો વધારો

ડેમની સપાટી 126.85 મીટરે પહોંચી; કુલ જળસંગ્રહ ક્ષમતા 65.54 ટકા, પાણીની આવક 11,084 ક્યુસેક નોંધાઈ કેવડિયા: રાજ્યમાં વરસાદની સ્થિતિ વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક યથાવત રહેતા ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની જળસપાટીમાં 21 સેન્ટીમીટરનો વધારો થયો છે, જેના પરિણામે ડેમની સપાટી 126.85 મીટર…

હીરામણિ પ્રાથમિક શાળામાં ‘કપડાંની બેગ પર પેઈન્ટિંગ’ સ્પર્ધા યોજાઈ

વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતા સાથે પ્લાસ્ટિક મુક્તિનો સંદેશ આપ્યો, આકર્ષક કૃતિઓથી સૌનું મન મોહી લીધું અમદાવાદ: હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે ધોરણ 5થી 7ના વિદ્યાર્થીઓ માટે ‘કપડાંની બેગ પર પેઈન્ટિંગ’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા અને કલાત્મક અભિવ્યક્તિનો સુંદર પરિચય કરાવ્યો હતો. રંગબેરંગી કૃતિઓએ આકર્ષણ જમાવ્યું સ્પર્ધા દરમિયાન…

દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના નવા AOC-in-C એર માર્શલ પી.વી. શિવાનંદે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત લીધી

નવી જવાબદારી સંભાળ્યા બાદ ગાંધીનગરના લોકભવન ખાતે સૌજન્ય મુલાકાત; પરસ્પર શુભેચ્છાઓની આપ-લે ગાંધીનગર દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ (South Western Air Command)ના નવા એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (AOC-in-C) તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ એર માર્શલ પી.વી. શિવાનંદે સોમવારે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સૌજન્ય મુલાકાત લીધી હતી. નવી જવાબદારી બાદ સૌજન્ય મુલાકાત એર માર્શલ પી.વી….

ભારે વરસાદ વચ્ચે જનસેવામાં સક્રિય બન્યું તંત્ર, મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ કાર્યકરો અને કોર્પોરેટરો મેદાનમાં

“જનસેવા એ જ પ્રભુ સેવા”ના સંદેશ સાથે પાણી ભરાયેલા વિસ્તારોમાં રાહત, ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિક સહાય માટે ટીમો તૈનાત સુરત શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા રાજ્યના આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર, સ્થાનિક જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા છે. નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે…

ગોધરા તાલુકામાં ચાંદીપુરા વાયરસથી બે માસૂમ બાળકોનાં મોત, આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર

વીંઝોલ અને જીતપુરા ગામમાં સઘન સર્વે, દવા છંટકાવ અને વિશેષ મેડિકલ ટીમો તૈનાત; ગભરાવાની નહીં, સાવચેતી રાખવાની જરૂર: આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા ગાંધીનગર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વીંઝોલ અને જીતપુરા ગામના બે માસૂમ બાળકોના ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયા હોવાની પુષ્ટિ થતાં ગુજરાતનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે…

વરસાદી સ્થિતિ વચ્ચે ગુજરાતનું આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ પર, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

રાજ્યમાં દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ; PHC-CHC, 108 એમ્બ્યુલન્સ અને તબીબી ટીમોને 24 કલાક તૈયાર રહેવા સૂચના, રેડ એલર્ટ જિલ્લાઓમાં વિશેષ દેખરેખ ગાંધીનગર ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ…

હીરામણિ પ્રાથમિક શાળામાં ભવ્ય “આર્ટ એન્ડ ક્રાફ્ટ” સ્પર્ધા યોજાઈ

ધોરણ ૧ થી ૪ ના નાના ભૂલકાઓએ નકામા કાગળમાંથી બનાવી આકર્ષક રંગબેરંગી બેગ; કલાત્મક કૃતિઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારતનો આપ્યો સુંદર સંદેશ અમદાવાદ: વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને વહેતી કરવા અને તેમનામાં સર્જનાત્મકતાનો વિકાસ થાય તે હેતુથી અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થા હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે એક શાનદાર “આર્ટ એન્ડ ક્રાફ્ટ” સ્પર્ધાનું સુંદર…