હીરામણિ નર્સરી-કે.જી.- વિભાગમાં ભૂલકાંઓ દ્વારા વસંતપંચમીની ઉજવણી કરવામાં આવી

Spread the love

અમદાવાદ

વસંત પંચમીની ઉજવણી નિમિત્તે હીરામણિ કે.જી. વિભાગના ભૂલકાંઓ પીળા રંગના સુંદર વસ્ત્રો પહેરીને આવ્યા હતાં અને માં સરસ્વતીને પીળા ફૂલો તેમજ મીઠાઈ અર્પણ કરી હતી.વસંત પંચમીના દિવસે જ પ્રકૃતિમાં નવો સંચાર થાય છે. આ દિવસને અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઈ પણ જ્યોતિષીને પૂછ્યા વગર લગ્ન, ગૃહ પ્રવેશ કે નવા કાર્યની શરૂઆત કરી શકાય છે. આ ઉપરાંત નાના બાળકોને અક્ષર જ્ઞાન આપવા માટે પણ આ દિવસને એકદમ સર્વોત્તમ છે. વસંત પંચમી પર પીળા રંગનું વિશેષ મહત્વ છે. પીળો રંગ ઉર્જા, આશા અને નવી ચેતનાનું પ્રતીક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *