સેન્સેક્સમાં 347 અને નિફ્ટીમાં 99 પોઈન્ટનો કડાકો બોલાયો

મુંબઈવૈશ્વિક બજારમાં નબળા સેન્ટિમેન્ટ વચ્ચે બુધવારે સ્થાનિક શેરબજારો ઘટાડા સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ 346.89 પોઈન્ટ એટલે કે 0.55 ટકાના ઘટાડા સાથે 62,622.24 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી 99.45 પોઈન્ટ્સ અથવા 0.53 ટકાના ઘટાડા સાથે 18,534.40 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. બુધવારે સુઝલોન એનર્જીનો શેર 10 ટકાથી વધુના ઉછાળા…

મેન્ડીલીબારે સેવિલા એફસીને કેવી રીતે પુનર્જીવિત કર્યું: તેના આગમન પછી અને યુરોપા લીગ ફાઇનલમાં સ્પેનની ચોથી-શ્રેષ્ઠ ટીમ

સેવિલા એફસીના ચાર્જમાં તેના 11 મેચ ડેમાં, તેણે છ ગેમ જીતી છે, ત્રણ ડ્રો કરી છે અને બે હારી છે, જેનાથી લોસ હિસ્પેલેન્સિસ સ્પેનિશ ફૂટબોલની સૌથી ઇન-ફોર્મ ટીમોમાંની એક બની છે. નોકરી પરના બે મહિનામાં, જોસ લુઈસ મેન્ડીલીબાર સેવિલા એફસીમાં મૂડને સંપૂર્ણપણે બદલવામાં સફળ થયો છે. જ્યારે 62-વર્ષીયને જોર્જ સેમ્પોલીની જગ્યાએ અને એન્ડાલુસિયન ક્લબના સિઝનના…

પ્રસિદ્ધ વિજ્ઞાની તેમજ જિયો ઇન્સ્ટિટ્યૂટના પ્રોવોસ્ટડો. ગુરુસ્વામી રવિચંદ્રનનું એપ્લાઈડ મિકેનિક્સમાં અભૂતપૂર્વ યોગદાન બદલ એએસએમઇ ટિમોશેન્કો મેડલથી સન્માન

એપ્લાઈડ મિકેનિક્સના ક્ષેત્રમાં આ એવોર્ડ એ સર્વોચ્ચ સન્માન છે મુંબઈ જિયો ઇન્સ્ટિટ્યૂટને એ જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે તેના પ્રોવોસ્ટ અને ખ્યાતનામ વિજ્ઞાની ડૉ. ગુરુસ્વામી રવિચંદ્રનના નામની અમેરિકન સોસાયટી ઑફ મિકેનિકલ એન્જિનિયર્સ (એએસએમઈ) દ્વારા પ્રતિષ્ઠિત 2023 ટિમોશેન્કો મેડલના પ્રાપ્તિકર્તા તરીકે પસંદગી કરાઈ છે. આ અત્યંત પ્રતિષ્ઠિત સન્માન ડૉ. રવિચંદ્રનને “એન્જિનિયરિંગ મટિરિયલ્સ અને બાયોલોજિકલ…

વર્ષોમાં સૌથી રોમાંચક રેલીગેશન યુદ્ધ: બે પોઈન્ટથી અલગ થયેલી છ ટીમો ટકી રહેવા માટે લડશે

જ્યારે Elche CF અને RCD Espanyol પહેલેથી જ LaLiga SmartBank પર જવાની પુષ્ટિ કરી ચૂક્યા છે, ત્યારે અન્ય રેલિગેશન સ્પોટમાં કોણ સમાપ્ત થશે તે ખૂબ જ રહસ્ય છે. વર્તમાન લાલિગા સેન્ટેન્ડર અભિયાનમાં હજુ એક રાઉન્ડ રમવાનો બાકી છે, બે ટીમો પહેલેથી જ ગણિતીય રીતે બહાર થઈ ગઈ છે કારણ કે એલ્ચે સીએફ અને આરસીડી એસ્પાન્યોલ…

10માંથી 7 ભારતીયો દૈનિક ફાઈબર જરૂરિયાતોની ખામી ધરાવે છે

Aashirvaadના હૅપી ટમી પર ફાઈબર મીટર ટેસ્ટમાં સામે આવ્યું · PFNDAI અને Aashirvaad આટા વિથ મલ્ટિગ્રેઈન્સ દ્વારા સહ-લિખિત શ્વેતપત્ર ભારતીયોમાં પાચનની સ્થિતિ પર પ્રકાશ પાડે છે અને અત્યારના પ્રવર્તમાન અંતરને દૂર કરવાની જરૂરિયાતોનો અધોરેખિત કરે છે · પાચનની આસપાસ આકાર લેતા Aashirvaad આટા વિથ મલ્ટિગ્રેઈન્સની માલિકીના કન્ટેન્ટ ડૅસ્ટિનેશન- હૅપી ટમી દ્વારા આ વિશ્લેષણ એકત્ર કરવામાં…

બ્રિજ ભૂષણ શરણ સિંહ પરથી પોસ્કોની કલમ હટાવવાની શક્યતા

નવી દિલ્હીરેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર સગીર મહિલા રેસલરે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જેને લઇને આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિત ઘણા કુસ્તીબાજો વિરોધ કરી રહ્યા છે.જ્યારથી બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણના આરોપો લાગ્યા છે ત્યારથી કુસ્તીબાજોનો વિરોધ ચાલી રહ્યો છે….

રાહુલ ગાંધીએ અમેરિકાના એરપોર્ટ પર બે કલાક લાઈનમાં ઊભા રહેવું પડ્યું

સાન ફ્રાન્સિસ્કોકોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકા પહોંચી ગયા છે અને તેમણે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યુ હતુ.આ પહેલા રાહુલ ગાંધીને જોકે અમેરિકાના એરપોર્ટ પર બે કલાક લાઈનમાં ઉભા રહીને રાહ જોવી પડી હતી. રાહુલ ગાંધી સાથે ઘણા મુસાફરોએ સેલ્ફી પણ લીધી હતી. કોમન મેનની જેમ રાહુલ ગાંધી ઈમિગ્રેશન માટેની લાઈનમાં પોતાનો વારો આવે તેની…

હવે ઓટીટી પ્લેટફોર્મ પર પણ તમાકુ વિરોધી ચેતવણી બતાવવી પડશે

નવી દિલ્હીકેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ઓટીટી પ્લેટફોર્મ પર તમાકુ વિરોધી ચેતવણીઓ માટે નવા નિયમોની નોટિફિકેશન જાહેર કરી છે. આ નોટિફિકેશનમાં ઓટીટી પ્લેટફોર્મ માટે કન્ટેન્ટમાં તમાકુ વિરોધી ચેતવણી સંદેશા દર્શાવવાનું ફરજિયાત બનાવાયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો ઓનલાઈન કન્ટેન્ટ પબ્લિશર નવા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલય…

પાકિસ્તાને બાકી રકમ ન ચુકવતા મલેશિયાએ વિમાન જપ્ત કર્યું

કુઆલાલમ્પુરપાકિસ્તાન કંગાળ બની ગયુ છે તે હવે આખી દુનિયા જાણી ચુકી છે અને તેના કારણે દુનિયાના બીજા દેશોમાં પાકિસ્તાનનો ફજેતો થઈ રહ્યો છે.પાકિસ્તાનના મિત્ર કહેવાતા મલેશિયાએ વિમાનની બાકી રકમની ચુકવણી પાકિસ્તાને નહીં કરી હોવાથી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનુ બોઈંગ 777 પ્રકારનુ વિમાન જપ્ત કરી લીધુ છે.બંને દેશો વચ્ચે સારા સબંધ હોવા છતા મલેશિયાએ પાકિસ્તાનને તેની ઓકાત…

બિહારની મોડેલને કંપનીના ડાયરેક્ટરે હિન્દુ નામ રાખી ફસાવી

રાંચીઝારખંડના રાંચીમાં લવ જેહાદનો એક કિસ્સો સામે આવ્યો છે. મૂળ બિહારની મોડલ માનવી રાજે આરોપ લગાવ્યો છે કે મોડલિંગ કંપનીના ડાયરેક્ટર તનવીર અખ્તર ખાને તેને હિન્દુ નામ યશ દ્વારા ફસાવી હતી અને તેને લવ જેહાદનો શિકાર બનાવી હતી. માનવીએ આરોપ લગાવ્યો છે કે આરોપી તેના પર ધર્મ પરિવર્તન કરવા અને લગ્ન કરવા માટે સતત દબાણ…

ચોરી કરી ફ્લાઈટમાં ગામ જઈને ચોર પરત ફરતો હતો

મુંબઈકેટલાંક ચોરો એટલા ચાલાક હોય છે કે ચોરી કર્યા પછી પણ કોઈને ગંધ શુદ્ધાં આવતા દેતા નથી. તો કેટલાંક ચોરો મોજશોખ માટે ચોરી કરતા હોય છે અને પછી પોતાના શોખ પૂરા કરતા હોય છે. લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ જીવવા માટે પણ કેટલાંક શખસો ચોરીના રવાડે ચઢી જતા હોય છે. ત્યારે મહારાષ્ટ્ર્ની રાજધાની મુંબઈમાંથી પણ આવી જ…

પાકિસ્તાનમાં રાજકીય અને આર્થિક સંકટ આગામી ચૂંટણી સુધી રહેશે

વોશિંગ્ટનપાકિસ્તાનમાં રાજકીય સંકટ સાથે આર્થિક સંકટ પણ વધુ ખરાબ બનતુ જઈ રહ્યું છે. જો કે તેની સૌથી વધુ અસર દેશના ગરીબ અને મધ્યમ વર્ગને થઈ રહી છે. હાલ પાકિસ્તાનમાં સ્થિતિ એવી છે કે લોટની બોરીઓ અને રાશન માટે લોકો લડી રહ્યા છે. પાકિસ્તાનની આ સ્થિતિ અંગે સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે…

ત્રણ રાજ્યોમાં પીએફઆઈના 25 સ્થળે એનઆઈએના દરોડા

નવી દિલ્હીફુલવારી શરીફ કેસમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ફરી એકવાર એક્શન મોડમાં આવી ગઈ છે. એનઆઈએએ આજે ત્રણ રાજ્યોમાં પીએફઆઈના 25 સ્થળો પર દરોડા પાડ્યા છે. એનઆઈએની ટીમ કર્ણાટક, કેરળ અને બિહારમાં અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરી રહી છે.એનઆઈએ પ્રતિબંધિત સંગઠન પીએફઆઈ અને તેની સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ કર્ણાટક, બિહાર અને કેરળમાં…

દેશના મોટાભાગના વિસ્તારોમાં 15 જૂનથી ચોમાસુ બેશશે

નવી દિલ્હી19 મેથી આંદામાન અને નિકોબાર ટાપુઓ પર અટવાયેલા દક્ષિણપશ્ચિમ ચોમાસાએ 29 મેના રોજ વેગ પકડ્યો હતો. 15 જૂનથી દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સામાન્ય ગતિએ આગળ વધતા, ચોમાસાએ 22 થી 26 મે દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ પાર કરીને બંગાળની ખાડીમાં આગળ વધવું જોઈતું હતું, પરંતુ ચોમાસું…

દેશની 40 મેડિકલ કોલેજોની માન્યતા રદ, 150 પર સરકારની નજર

નવી દિલ્હીકેન્દ્ર સરકાર દ્વારા દેશની 40 મેડિકલ કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. ઉપરાંત 150 મેડિકલ કોલેજ હાલમાં સરકારની નજર હેઠળ છે. એનો અર્થ એ છે કે આ બાકીની 150 કોલેજ પર પણ કાર્યવાહી થઇ શકે છે. આ અંગે મળતી વિગતો મુજબ તપાસ દરમીયાન આ કોલેજ તથા તેની વ્યવસ્થા પ્રણાલીમાં અનેક તૃટિઓ જોવા મળી છે….

મહારાષ્ટ્રમાં ખેડૂતો માત્ર એક રૂપિયામાં પાક વીમો લઈ શકશે

મુંબઈમહારાષ્ટ્ર સરકારે રાજ્યના ખેડૂતો માટે મંગળવારે મહત્વની જાહેરાત કરી છે. નમો શેતકરી મહાસન્માન નિધિ યોજનાને કેબિનેટની બેઠકમાં લીલી ઝંડી બતાવવામાં આવી છે. મહારાષ્ટ્રના ખેડૂતો હવે પાક વીમો 1 રૂપિયામાં લઈ શકશે. ખેડૂતોએ પાક વીમાનું પ્રીમિયમ નહીં ચૂકવવું પડે કારણકે તેમના ભાગનું 2 ટકા પ્રીમિયમ રાજ્ય સરકાર ચૂકવી દેશે. માર્ચ મહિનામાં રાજ્યના બજેટ વખતે આ પ્રસ્તાવ…

સિબિલ ઓછો હોય છતાં એજ્યુકેશન લોન માટે ના ન પાડી શકાય

થિરુવનંતપુરમકેરળ હાઈકોર્ટે તેની એક કેસ પર સુનાવણી કરતાં કહ્યું કે સિબિલ સ્કોર ઓછો હોય તેમ છતાં કોઈ વિદ્યાર્થીને એજ્યુકેશન લોન આપવા માટે બેન્ક ના ન પાડી શકે. બેન્કોને ફટકાર લગાવતા જસ્ટિસ પી.વી. કુન્હીકૃષ્ણને શિક્ષણ લોન માટેની અરજી પર વિચાર કરતી વખતે બેન્કોને માનવીય દૃષ્ટિકોણ અપનાવવા આગ્રહ કર્યો હતો.એક અહેવાલ અનુસાર હાઈકોર્ટે વિદ્યાર્થીની અરજી પર સુનાવણી…

ડબલ્યુટીસી ફાઈનલ જીતાડીને દેશના પ્રથમ સુકાની બનવાની રોહિતને તક

નવી દિલ્હીઆઈપીએલની 16મી સીઝન પૂરી થયા બાદ ક્રિકેટ પ્રેમીઓની નજર હવે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ પર રહેશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડબલ્યુટીસીની ફાઇનલ મેચ 7 જૂનથી લંડનના ઓવલના મેદાનમાં શરુ થશે. આ ફાઈનલમાં રોહિત શર્મા પાસે ઈતિહાસ રચીને વિરાટ કોહલીથી આગળ નીકળવાની તક છે.ભારતીય ક્રિકેટની ટીમ ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 પર છે જ્યારે ઓસ્ટ્રેલિયાની…

અનંતનાગમાં તોયબાના આતંકીઓએ હિંદુ યુવકની હત્યા કરી

શ્રીનગરજમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં દુધની ખરીદી માટે બજારમાં ગયેલા એક બિન-મુસ્લિમ કામદારની લશ્કર-એ-તોયબાના આતંકીઓએ સોમવારે ગોળી મારી હત્યા કરી હતી. જમ્મુ રિજનના ઉધમપુર જિલ્લાનો નિવાસી કામદાર દીપુ કુમાર જંગલાત મંડી વિસ્તારમાં એક સર્કસમાં કામ કરી રહ્યો હતો. સરકારે દીપુ કુમારના પરિવારને રૂ. ૫ લાખની સહાયની જાહેરાત કરી છે.પોલીસે જણાવ્યું હતું કે, જંગલાત મંડી વિસ્તારમાં છેલ્લા કેટલાક…