એફિલ ટાવર વિવાદ પર BAPSનું સ્પષ્ટીકરણ, કહ્યું- મુલાકાતમાં કોઈને પ્રવેશથી રોકવામાં આવ્યા નહોતા

લગભગ 100 સભ્યોના પ્રતિનિધિમંડળની મુલાકાત અંગે ઉઠેલા સવાલો પર BAPSએ આપી સફાઈ, લિંગ આધારિત કોઈ વિનંતી કરવાનો ઈનકાર પેરિસ | એફિલ ટાવરના સ્ટાફ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ અને ત્યારબાદ થયેલા મીડિયા કવરેજ વચ્ચે BAPS સ્વામિનારાયણ સંસ્થાએ પોતાના પ્રતિનિધિમંડળની મુલાકાત અંગે સ્પષ્ટીકરણ આપ્યું છે. BAPSએ જણાવ્યું છે કે શનિવારે એફિલ ટાવરની મુલાકાતે ગયેલા તેમના પ્રતિનિધિમંડળમાં લગભગ…

હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી: લાખો ભક્તોએ અલૌકિક લ્હાવો લીધો

અમદાવાદમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 2026 નિમિત્તે ભાડજ હરે કૃષ્ણ મંદિરે ભક્તિભાવ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો, જ્યાં મહાઅભિષેક, ૧૦૦૮ પ્રકારના ભોજન અને નંદલાલ છંગાના સંકીર્તનથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું. અમદાવાદ અમદાવાદના ભાડજ સ્થિત હરે કૃષ્ણ મંદિરમાં શુક્રવાર, ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી અત્યંત ભવ્ય અને દિવ્ય રીતે સંપન્ન થઈ હતી. મંદિરમાં…

પેરિસમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ પરંપરાની ભવ્ય નગરયાત્રા

એફિલ ટાવર પાસે યોજાયેલી ઐતિહાસિક નગરયાત્રામાં 40થી વધુ દેશોના 5,000 સહભાગીઓ જોડાયા; 1,500થી વધુ કલાકારોએ સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરી પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ ફ્રાન્સની રાજધાની પેરિસમાં આજે ભારતીય સંસ્કૃતિ, સંગીત, કલા અને હિન્દુ પરંપરાની ભવ્ય ઉજવણી જોવા મળી હતી. વિશ્વવિખ્યાત એફિલ ટાવર નજીક ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ અંતર્ગત યોજાયેલી ઐતિહાસિક નગરયાત્રામાં હજારો ભક્તો, કલાકારો, મુલાકાતીઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિઓ…

પેરિસ મંદિર મહોત્સવમાં ભક્તિ અને સંસ્કૃતિનો ભવ્ય સંગમ: પાલખી યાત્રાથી સેન નદીની ઐતિહાસિક જળયાત્રા સુધી હજારો લોકો જોડાયા

5,500થી વધુ લોકોની સેન નદી પર સાંસ્કૃતિક નૌકાયાત્રા; 2,500થી વધુ મહિલાઓ-યુવતીઓ પાલખી યાત્રામાં જોડાઈ પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ ફ્રાન્સમાં પ્રથમ પરંપરાગત પથ્થરથી નિર્મિત હિન્દુ મંદિરના લોકાર્પણ પ્રસંગે યોજાઈ રહેલા 13 દિવસીય ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ એટલે કે પેરિસ મંદિર મહોત્સવમાં ભક્તિ, ભારતીય સંસ્કૃતિ અને ભારત-ફ્રાન્સની મિત્રતાનો ભવ્ય સંગમ જોવા મળી રહ્યો છે. મહોત્સવના ભાગરૂપે 2 સપ્ટેમ્બરે બુસી-સેંટ-જ્યોર્જેસમાં યોજાયેલી પાલખી…

પેરિસ મંદિર મહોત્સવમાં મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં વૈદિક મહાયજ્ઞનો પ્રારંભ

ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરના ઐતિહાસિક લોકાર્પણ પૂર્વે 2થી 14 સપ્ટેમ્બર સુધી મહાયજ્ઞનું આયોજન, વિશ્વશાંતિ અને સર્વના કલ્યાણ માટે પ્રાર્થના પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરના ઐતિહાસિક લોકાર્પણ અવસર પૂર્વે બુધવારે, 2 સપ્ટેમ્બરના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં પવિત્ર વૈદિક મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો. પેરિસ મંદિર મહોત્સવ અંતર્ગત આયોજિત આ મહાયજ્ઞ 2થી…

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના CEO જિતેન્દ્ર મિશ્રાની ‘સ્પેશિયલ-7’ ટીમ ટૂંક સમયમાં રચાશે

અયોધ્યા નવનિયુક્ત CEO જિતેન્દ્ર મિશ્રાને વહીવટી વહીવટમાં મદદ કરવા માટે ખાસ ટીમ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં અનુભવી અધિકારીઓ સામેલ થઈ શકે છે. રામ મંદિર ટ્રસ્ટમાં નવી વહીવટી ટીમની કવાયત અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નવા મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની નિમણૂક થયા બાદ હવે તેમની…

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

કૃષ્ણ ભગવાનની આરતી અને મટકી ફોડ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક લીધો ભાગ અમદાવાદ વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી હીરામણિ હાયર સેકંડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે જન્માષ્ટમી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ ૮થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તેમજ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાથી વિદ્યાર્થીઓને પરિચિત કરવાના હેતુથી કૃષ્ણ ભગવાનની આરતી તથા મટકી ફોડ સ્પર્ધાનું આયોજન…

ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસમાં ‘નમસ્તે’ શિલ્પનું અનાવરણ

ભારતીય સંસ્કૃતિ અને ફ્રાન્સ-ભારતની મિત્રતાનું પ્રતીક બન્યું ‘નમસ્તે’ શિલ્પ; મંદિર મહોત્સવ પૂર્વે સાંસ્કૃતિક સેતુનું નિર્માણ પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસમાં મંગળવારે ભારતીય સંસ્કૃતિ અને ફ્રાન્સ-ભારતની મિત્રતાનું પ્રતીક બનેલા ‘નમસ્તે’ શિલ્પનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. એવન્યુ દુ જનરલ-દ-ગોલ પરના સર્કલ ખાતે સ્થાપિત આ શિલ્પનું અનાવરણ સ્થાનિક મેયર યાન ડુબોસ્ક, ભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કે. જી. પ્રવીણ કુમાર…

ફ્રાન્સના પેરિસમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ઐતિહાસિક આગમન: ફેસ્ટિવલ ઓફ કલ્ચરનો શુભારંભ

ફ્રાન્સમાં સનાતન હિન્દુ ધર્મ માટે એક ઐતિહાસિક અધ્યાયનો પ્રારંભ બુસી-સેંટ-જ્યોર્જેસ (પેરિસ) બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ગુરુ અને આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ૨૯ ઓગસ્ટના રોજ ફ્રાન્સના બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે ભવ્ય આગમન થયું હતું. તેમની પાવન ઉપસ્થિતિમાં આગામી ૬ સપ્ટેમ્બરના રોજ ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું લોકાર્પણ થશે. આ ઐતિહાસિક ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ (પેરિસ મંદિર મહોત્સવ)…

મોરારી બાપુની હાર્વર્ડમાં નવ દિવસીય રામકથાનું સમાપન

ભારતના પવિત્ર ગ્રંથોના સંરક્ષણ માટે હાર્વર્ડને ખાસ અપીલ; રામચરિતમાનસ અને વૈશ્વિક શૈક્ષણિક જગત વચ્ચે સંવાદની નવી શરૂઆત કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સ હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં મોરારી બાપુની ‘માનસ ગુરુ પ્રસાદ’ રામકથાનું ભવ્ય સમાપન થયું. નવ દિવસીય આ આયોજનમાં રામચરિતમાનસની આધ્યાત્મિક અને સાહિત્યિક પરંપરા સાથે ભારતીય શાસ્ત્રીય ચિંતન અને વૈશ્વિક શૈક્ષણિક જગતને એક મંચ પર લાવવામાં આવ્યા. હાર્વર્ડને…

ફ્રાન્સમાં સનાતન આધ્યાત્મિક પરંપરાનું ઐતિહાસિક સીમાચિહ્ન

પેરિસમાં ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ, 6 સપ્ટેમ્બરે મહંત સ્વામી મહારાજ કરશે પ્રાણપ્રતિષ્ઠા પેરિસ કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિ માટે વિશ્વવિખ્યાત પેરિસ શહેર હવે સનાતન હિન્દુ આધ્યાત્મિક પરંપરાના એક ઐતિહાસિક કેન્દ્રનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે નવનિર્મિત બી. એ. પી. એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું છે. ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ…

અમેરિકાના રોબિન્સવિલે સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

‘અક્ષરધામમાં ભારતની સંસ્કૃતિ પણ એટલી જ વાઇબ્રન્ટ છે’: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રોબિન્સવિલે, ન્યુ જર્સી: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવાર, 22 ઓગસ્ટ 2026ના રોજ અમેરિકાના ન્યુ જર્સીના રોબિન્સવિલે સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે અક્ષરધામ દ્વારા ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતના પ્રસાર, સમાજસેવા અને સ્વયંસેવકોના નિઃસ્વાર્થ સમર્પણની પ્રશંસા કરી હતી. પુષ્પહારથી મુખ્યમંત્રીનું…

‘સ્વાગતમ્ કૃષ્ણ 2026’ : ઇસ્કોન સમગ્ર ગુજરાતમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો આધ્યાત્મિક સંદેશ પહોંચાડશે

ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે 23થી 28 ઓગસ્ટ સુધી ઝુલન મહોત્સવ, 4 સપ્ટેમ્બરે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ; અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં આધ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અમદાવાદ ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના આધ્યાત્મિક સંદેશને મંદિરની બહાર સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાના હેતુથી…

નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સંગોષ્ઠી, ગ્રંથ-લોકાર્પણ અને વિશેષ સન્માન સમારોહ

‘વેદાંતદર્શનસંગ્રહ’નું લોકાર્પણ; ભદ્રેશદાસ સ્વામીને ‘વેદાંતવિદ્યાવિશ્વગુરુ’ની પ્રતિષ્ઠિત ઉપાધિ એનાયત નવી દિલ્હી કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, નવી દિલ્હીના સંશોધન અને વિકાસ પ્રકોષ્ઠ દ્વારા 8 અને 9 ઑગસ્ટ દરમિયાન વેદાંત પરંપરાના દાર્શનિક વૈભવ અને તેની સમકાલીન પ્રાસંગિકતાને કેન્દ્રમાં રાખીને રાષ્ટ્રીય સંગોષ્ઠી, ગ્રંથ-લોકાર્પણ તથા વિશેષ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘વેદાંતદર્શનસંગ્રહ’ ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે મહામહોપાધ્યાય…

સનાતન સંત સમાજનો વિરોધ: ધાર્મિક લાગણીઓ દુભાવવા મામલે અનેક નેતાઓ સામે કડક કાર્યવાહીની માગ

અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી FIR નોંધવા, સાંસદ સભ્યપદ રદ કરવા અને કાનૂની કાર્યવાહી કરવાની રજૂઆત અમદાવાદ: સનાતન સંત સમાજ દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનના ભાગરૂપે કેટલાક રાજકીય નેતાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સંસદ પરિસરમાં બનેલી એક ઘટનાથી સનાતન ધર્મ, સંત…

‘પીઠમાં દુખાવો હોય તો બાબાજી નહીં, ડૉક્ટર પાસે જાઓ’; પ્રેમાનંદ મહારાજનો સંદેશ અંધશ્રદ્ધા સામે મજબૂત ઉદાહરણ

‘આશીર્વાદથી બીમારી સાજી થતી નથી, યોગ્ય સારવાર જ ઉપાય છે’; પ્રેમાનંદ મહારાજે ભક્તને સમજાવેલી વાત ફરી ચર્ચામાં વૃંદાવન આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજના પ્રવચનો લાખો લોકો સાંભળે છે. તાજેતરમાં તેમનો એક સંદેશ સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે બીમારી અને સારવાર અંગે અત્યંત મહત્વની વાત કહી છે. પીઠના દુખાવાથી પરેશાન એક ભક્તે…

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પૂરી રથયાત્રામાં શ્રદ્ધાળુઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે ‘પૂરી રથયાત્રા સેવા’નો પ્રારંભ

લાખો ભક્તો માટે વિનામૂલ્યે અન્ન સેવા, 50 કિમીના માર્ગ પર 90 પોલીસ સહાય કેન્દ્રો અને ટેક-આધારિત સંકલન સાથે રિલાયન્સે વહીવટીતંત્રને આપ્યું મજબૂત સમર્થન. ભુવનેશ્વર: ૧૬ જુલાઈ, ૨૦૨૬થી જગન્નાથપૂરીમાં શરૂ થઈ રહેલી ઐતિહાસિક અને પવિત્ર રથયાત્રામાં દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ મહાપર્વમાં ભક્તોની યાત્રા સુરક્ષિત, સરળ અને સુવ્યવસ્થિત બને તે હેતુથી રિલાયન્સ ફાઉન્ડેશન…

મંદિરમાં પરિક્રમા કેવી રીતે કરવી? જાણો કેટલા ફેરા કરવા અને કયા નિયમોનું પાલન કરવું

દરેક દેવતાની પરિક્રમાની સંખ્યા અલગ; શિવલિંગની સંપૂર્ણ પરિક્રમા કેમ નથી કરાતી? જાણો ધાર્મિક માન્યતાઓ નવી દિલ્હીહિંદુ ધર્મમાં ભગવાનની પરિક્રમાને વિશેષ ધાર્મિક મહત્ત્વ આપવામાં આવ્યું છે. પરિક્રમા એટલે ભગવાનને કેન્દ્રમાં રાખીને શ્રદ્ધા અને ભક્તિભાવથી તેમની આસપાસ પ્રદક્ષિણા કરવી. પરંતુ ઘણા ભક્તોના મનમાં પ્રશ્ન રહે છે કે પરિક્રમા કઈ દિશામાં કરવી, કયા દેવતાની કેટલી પરિક્રમા કરવી અને…

16 જુલાઈથી શરૂ થશે જગન્નાથ રથયાત્રા, જાણો આ પવિત્ર મહોત્સવની 10 વિશેષ અને રસપ્રદ વાતો

આષાઢ સુદ બીજથી શરૂ થતી વિશ્વવિખ્યાત પુરી રથયાત્રા 24 જુલાઈ સુધી ચાલશે; ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની ભવ્ય યાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાશે પુરી ઓડિશાના પુરીમાં યોજાતી વિશ્વપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ 16 જુલાઈથી થશે અને 24 જુલાઈ સુધી વિવિધ ધાર્મિક વિધિઓ સાથે આ મહોત્સવ ઉજવાશે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ત્રણ અલગ-અલગ રથોમાં…

સંસ્કૃત અપનાવો, ભારતીય સંસ્કૃતિ બચાવો: સરસપુરમાં ગગનભેદી મંત્રોચ્ચાર સાથે ભવ્ય રથોત્સવ સંસ્કૃત યાત્રા

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે બાલા હનુમાન મંદિર ખાતે ચાંદીની ચરણ પાદુકા પૂજન અને કળશ યાત્રાનું ભવ્ય આયોજન, ૪૦૦ ઋષિકુમારોના વેદમંત્રોથી સરસપુર ગુંજી ઉઠ્યું અમદાવાદ અમદાવાદની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા–૨૦૨૬ના પાવન અવસરે ભગવાનના મોસાળ ગણાતા સરસપુર વિસ્તારમાં આ વર્ષે એક અનોખો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સમારોહ યોજાયો હતો. શ્રી બાલા હનુમાન મંદિર દ્વારા “સંસ્કૃત અપનાવો, ભારતીય સંસ્કૃતિ બચાવો”ના…