વિશ્વ સંસ્કૃત સંમેલન – નેપાળમાં અક્ષરપુરુષોત્તમ દર્શન પર વિશિષ્ટ સત્ર

વિશ્વ સંસ્કૃત સંમેલન એ સંસ્કૃત ભાષાનું એક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય સંમેલન છે. આ સંમેલન દુનિયાની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ ભાષાનો ઉત્સવ છે, જે સંસ્કૃત અને સંસ્કૃતિના પુનર્જીવન, સંરક્ષણ અને વૈશ્વિક પ્રસાર માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સંમેલન દર ત્રણ વર્ષે વિશ્વના વિવિધ દેશોમાં યોજાય છે, જેમાં હજારો સંસ્કૃતવિદ્ વિદ્વાનો પોતાના સંશોધનપત્રો રજૂ કરે છે અને…

સોલ્ટ લેક સિટી ખાતે બી.એ.પી.એસ સંસ્થાના સંતોની મોર્મન ખ્રિસ્તી ધર્મવડાઓ સાથે શુભેચ્છા મુલાકાત

સોલ્ટ લેક સિટી, યુટાહ, યુ.એસ.એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામી, પૂ. વિવેકમૂર્તિદાસ સ્વામી, પૂ. શુકમુનિદાસ સ્વામી વગેરે સંતોએ ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ, લેટર ડે સેઇન્ટસ્ ફર્સ્ટ પ્રેસિડેન્સીના પ્રમુખ સભ્યો ડેલીન એચ. ઑક્સ અને હેન્રી બી. આયરિંગ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. પૂ. સંતોએ વિવિધ ચર્ચ સ્થાનો જેવા કે, વેલ્ફેર સ્ક્વેર પર…

હીરામણિ નર્સરી-કે.જી.ના ભૂલકાંઓ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

રથયાત્રાનાપવિત્રઅનેઅત્યંતઐતિહાસિકતહેવારનિમિત્તેહીરામણિ નર્સરી-કે.જી. વિભાગના વિદ્યાર્થીઓમાં શાળાકીયપ્રવૃતિઓસાથેજોડાયેલારહેઅનેબાળકોનીસર્જનાત્મકતાનેપ્રોત્સાહનમળેતેહેતુથીવિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને સુંદર રથ બનાવીને સ્કૂલ કેમ્પસમાં રથયાત્રાનું આયોજન કર્યું હતું. આ રથયાત્રમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાઈ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ આ સાથે પ્રભુ જગન્નાથ, ભાઈ બાલભદ્ર અને બહેન સુભદ્રાને વંદન કરી સમગ્ર વિશ્વને સ્વસ્થ અને નીરોગી બનાવે તેવી પ્રાર્થના કરી હતી.

હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં રથયાત્રા નિમિત્તે ચિત્ર – કાગળમાંથી રથયાત્રાના મોડલ – થ્રીડી રથ મેકિંગ સ્પર્ધા

રથયાત્રાના પવિત્ર અને અત્યંત ઐતિહાસિક તહેવાર નિમિત્તે હીરામણિ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) નાં બાળકોશાળાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા રહે અને બાળકોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તે હેતુ થી ધોરણ – ૧ થી ૨ બાળકો માટે “રથયાત્રાનાં ચિત્રમાં કલર પુરાવાની સ્પર્ધા”, ધોરણ – ૩ અને ૪ બાળકો માટે “કાગળમાંથી વિવિધ રથયાત્રા ને લાગતાં નમુના” તેમજ  ધોરણ– ૫ થી…

હીરામણિ પ્રાથમિક શાળામાં રથયાત્રા પર ચિત્ર અને મોડલ બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.1 થી 7માં રથયાત્રા પર ચિત્ર મોડલ બનાવવાની સ્પર્ધા યોજાઈ. જેમાં વિદ્યાર્થીઓએ રંગીનકાગળ, પૂંઠું, મોતી, કલર, જરીપટ્ટી, ટીલડી, મોરપીંઠ, સળીનો ઉપયોગ કરી જગતના નાથ જગન્નાથ, સુભદ્રા અને બલરામના મોડલ બનાવ્યા હતા. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ  અને ઉમંગભેર ભાગ લીધો હતો.

હીરામણિ સાંધ્યજીવન કુટિર ભજનકાર મુકેશ ભટ્ટનો ભજનનો કાર્યક્રમ યોજાયો

તા.23-06-2025ને સોમવારે રાધાકૃષ્ણ મહિલા મંડળ – સાબરમતી, અમદાવાદ દ્વારા પ્રખ્યાત ભજનકાર મુકેશ ભટ્ટના ભજનનો કાર્યક્રમ  હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં રાખવામાં આવ્યો હતો. મુકેશ ભટ્ટના ભજનો સાંભળવા સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન અમીન, સી.ઈ.ઓ ભગવત અમીન તથા વૃદ્ધાશ્રમના તમામ વડીલઓએ ઉપસ્થિત રહી ભજનનો આનંદ માણ્યો હતો.

વૈશ્વિક શાંતિ માટે શક્ય એટલા મંત્રજાપ કરો – પૂ.શ્રી ધીરગુરુદેવ

બોપલમાં પૂ.ધીરગુરુદેવના ચાતુર્માસ પ્રવેશોત્સવ સાથે કરોડોના ખર્ચે નવનિર્મિત બિન–સાંપ્રદાયિક સંકુલનું ઉદ્ઘાટન 22 જૂને યોજાશે પ.પૂ.ધીરગુરુદેવના ચાર્તુમાસ દરમ્યાન કાઠીયાવાડ જૈન સમાજ દ્વારા  અનેકવિધ સેવાકીય, મેડીકલ, જીવદયા, શૈક્ષણીક પ્રકલ્પોનું આયોજન સુપર સે ઉપર – વ્યાખ્યાન સંગ્રહ ભાગ:1ની વિમોચન વિધિ અમદાવાદ અમદાવાદમાં વર્ષોથી વસતા કાઠીયાવાડ જૈન સમાજના સંગઠન ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ. ગિરીશચંદ્રજી મ. સા.ની પ્રેરણાથી થયેલ શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પરમશ્રદ્ધેય પૂ. શ્રી…

ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી

“આ મંદિર આંતરધર્મીય સંવાદિતા અને સાંસ્કૃતિક સંવાદનું વૈશ્વિક પ્રતીક છે.”“આ મંદિર એક ચમત્કૃતિ સમાન…”– મિસરી અબુ ધાબી ભારતના વિદેશ સચિવ, વિક્રમ મિસરી અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લઈને અભિભૂત થયા હતા. બી.એ.પી.એસ. હિન્દુ મંદિર, અબુધાબીના મુખ્ય સંત પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામીએ વિક્રમ મિસરી તેમજ ગલ્ફ અફેર્સ જોઇન્ટ સેક્રેટરી રાજા મહાજન, ભારતના યુ. એ. ઈ. ખાતેના…

કૃષ્ણ-સુદામા મિલન, દ્વારકાનાનાથ દ્વારા દ્વારકાને ડૂબાડી દેવાથી લઈને, પારઘીના બાણથી વિંધાઈને સમાધિસ્થ કૃષ્ણના પ્રસંગો સાથે ભાગવદકથાને વિશ્રામ

માતૃ વંદનાઃ હરિદ્વારમાં ભાગવદ કથાનો સાતમો દિવસઃ સુદામા સાથે કૃષ્ણના મિલન આડેના વિઘ્નોથી લઈને પારઘી દ્વારા છોડાયેલા તીરથી વિંધાઈને કૃષ્ણના સમાધિસ્થ થવાના પ્રસંગોને શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસે એ રીતે વર્ણવ્યા કે શ્રોતાઓની આંખોમાં આંસુ આવી ગયા હરિદ્વાર કૃષ્ણ દ્વારકાના નાથ તરીકે ફરજ બજાવવા સાથે પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે ત્યાં તેમના બાળપણના સખા (મિત્ર) સુદામાં…

ગોકુળમાં કનૈયાની રાસ લીલા, જરાસંઘ અને કંસ વધથી લઈને દ્વારકાના નાથ બનવા સુધીની કૃષ્ણની રોમાંચક સફરને શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસજી રજૂ કરી

માતૃ વંદનાઃ હરિદ્વારમાં ભાગવદનો છઠ્ઠો દિવસઃ ગોપીઓ સાથેની કાનાની લીલા, કાનાને ગોકુળ ન છોડવા ગોપીઓની કાકલૂદીનું શાસ્ત્રીજી દ્વારા સુંદર વર્ણન, પંચાલ પરિવારે ઋક્ષમણિ વિવાહ યોજીને ભાવિકોને મોજ કરાવી હરિદ્વાર કૃષ્ણની લીલા અપરંપાર છે. ગોપીઓની મટકી ફોડીને છેડતી કરનારા કાના એ યોજેલા હોળી ઉત્સવમાં એક ગોપીને તેનો પતિ મોકલતો નથી તો કેવી યુક્તિથી કાનો ગોપીને છોડાવે…

માખણચોરથી ગોવર્ધનને ટચલી આગળીથી ઊંચકવાની કનૈયાની લીલા ભાવિકોએ માણી, છપ્પનભોગનો આનંદ લીધો

માતૃ વંદનાઃ હરિદ્વારમાં ભાગવદનો પાંચમો દિવસઃ શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસે માખણચોર બાળ કનૈયાની નટખટ હરકતોથી લઈને ગામજનોને વરૂણના પ્રકોપથી બચાવવા ગોવર્ધનને ઊંચકવાના બહાદૂરીભર્યા ચમત્કારિક પ્રસંગો વર્ણવ્યા હરિદ્વાર ભાગવદમાં કૃષ્ણલીલાનું સુંદર આલેખન કરાયું છે. નટખટ માખણચોર કૃષ્ણ અને ગોપીઓના અનેક પ્રેમની ભક્તિના પ્રસંગોને શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસે એવી ખુબી સાથે રજૂ કર્યા કે શ્રોતાઓને મોજ પડી ગઈ. કથા…

રામાઅવતારથી કૃષ્ણાવતારની શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસની કથાએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા

માતૃ વંદનાઃ હરિદ્વારમાં ભાગવદનો ચોથો દિવસઃ રામના જન્મથી રામવનવાસ અને ગાદી સંભાળવા સુધી તથા કૃષ્ણ જન્મોત્સવનભવ્ય ઊજવણી હરિદ્વાર ભાગવદ કથામાં ચોથા દિવસની મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રામાઅવતારથી લઈને કૃષ્ણઅવતારની વાત આ દિવસે પ્રસ્તુત કરાય છે. પંચાલ પરિવારે રામાવતાર માટે તો ખાસ કોઈ તૈયારી કરવાની નહતી પણ કૃષ્ણાવતારના પ્રસંગને શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસની ઈચ્છા અનુસાર તાદ્શ્ય રજૂ…

પરીક્ષિત રાજાના વ્યાસજી પાસે કથાના માટેના સંઘર્ષની ભાવવાહી રજૂઆત

માતૃ વંદનાઃ હરિદ્વારમાં જયેન્દ્ર શાસ્ત્રીની ભાગવદ કથાનો બીજો દિવસ હરિદ્વાર હરિદ્વારના નારાયણી નિવાસમાં સ્વ. રેવનદાસ પંચાલ પરિવાર દ્વારા બેસાડવામાં આવેલી ભાગવદ કથાના બીજી દિવસે વ્યાસપીઠેથી શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસે જીવનના માટેના છેલ્લા સાત દિવસની મુદતમાં વ્યાસજી પાસેથી ભાગવદ કથાના પ્રયાસમા આવતા વિઘ્નોની સુંદર વાત ભાવવાહી વાણીમાં રજૂ કરી હતી. શિવજીના ગહન ધ્યાનની કઠણાઈ જયેન્દ્ર મહારાજે તેમની…

માતૃવંદનાઃ અમદાવાદી ભાઈઓએ હરિદ્વારમાં ભાગવદ કથા બેસાડી

જાણીતા કથાકાર જયેન્દ્રભાઈ વ્યાસના વ્યાસપીઠે હરિદ્વારના નારાયણી નિવાસમાં ભાગવદ કથા હરિદ્વારા જીવતા માવતરની ઉપેક્ષા કરનારા અને મૃત્યુ બાદ તેમની પાછળ પુણ્યલાભ માટે ધાર્મિક વિધિઓ કરનારા માટે એક ઉદાહરણ સમાન કાર્ય અમદાવાદના ત્રણ ભાઈઓએ કર્યું છે. નવિન-દિલીપ અને રાકેશ પંચાલ નામના આ ભાઈઓ માતા સવિતાબેન રેવનદાસ પંચાલની ઈચ્છા પૂરી કરવા તેમની હાજરીમાં જ ભાગવદ કથા કરાવી…

સુપ્રિમ કોર્ટના ચુકાદાથી ઈસ્કોન-બેંગ્લોર(હરે કૃષ્ણ મંદિર, ભાડજ, અમદાવાદ)ના અનુયાયીઓની પચ્ચીસ વર્ષ લાંબી લડતનો સુખદ અંત

અમદાવાદ સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે કે બેંગ્લોરમાં આવેલું પ્રખ્યાત હરે ક્રિષ્ના હિલ મંદિર ઈસ્કોન બેંગ્લોર સોસાયટીનું છે, નહીં કે ઈસ્કોન-મુંબઈ સોસાયટીનું. ઈસ્કોન-મુંબઈ સોસાયટીને ઈસ્કોન-બેંગ્લોર સોસાયટીના કામકાજમાં દખલ ન કરવા આદેશ આપવામાં આવ્યો. વર્ષ 1977માં જ્યારે શ્રીલા પ્રભુપાદ મહા સમાધીમાં લીન થયા ત્યારથી ઈસ્કોન-બેંગ્લોર અને ઈસ્કોન-મુંબઈ વચ્ચે એક વિવાદ ચાલી રહ્યો હતો, જે મુજબ ઈસ્કોનના…

યુ.એસ.એ.ના ઉપ રાષ્ટ્રપ્રમુખ જે ડી વાન્સે પરિવાર સાથે દિલ્લીના સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

અક્ષરધામમાં ભારતીય કળા, સ્થાપત્ય અને સંસ્કૃતિના દર્શનથી ઉપ રાષ્ટ્રપ્રમુખ અને પરિવાર થયા રોમાંચિત ‘આપે આટલી ચોકસાઈ અને કાળજી સાથે આ અદ્ભુત મંદિરની રચના કરી છે, તે ભારત માટે ખરેખર ગર્વની બાબત છે. અમને અને ખાસ કરીને અમારા બાળકોને આ સ્થાન ખૂબ જ ગમ્યું. ભગવાનના આશીર્વાદ સૌ પર વરસતા રહે.’યુ.એસ.એ.ના ઉપ રાષ્ટ્રપ્રમુખ જે ડી વાન્સ નવી…

ભારતીય સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ‘સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ’ પુસ્તકનું વિમોચન

“પ્રમુખસ્વામી મહારાજના જીવનને પુસ્તકમાં બાંધવું અસંભવિત છે. પ્રમુખસ્વામી મહારાજ એવા એક મહાપુરુષ હતા,  જેમના જીવનની પ્રત્યેક ક્ષણ લોકકલ્યાણ માટે સમર્પિત હતી. અસીમ શાંતિના ધારક, સહજ, સરળ, વિનમ્ર, દિવ્ય, ભારતની સનાતન મહાન સંસ્કૃતિના વાહક પ્રમુખસ્વામી મહારાજ હતા.” “પ્રમુખસ્વામી મહારાજના જીવન પરનું પુસ્તક આપણાં શાસ્ત્રોનો સાર છે. વિશ્વવંદનીય મહાપુરુષ એવા પ્રમુખસ્વામી મહારાજની ચેતનાને વંદન. પ્રમુખસ્વામી મહારાજના જીવન…

હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમા મહોત્સવ ઉજવાશે

અમદાવાદ હરેકૃષ્ણ મંદિર- ભાડજ તા. 14 માર્ચ, 2025 શુક્રવારના રોજ ગૌર પૂર્ણિમાની ઉજવણી કરી રહ્યું છે. આ દિન ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ કે જેમને ભગવાન શ્રીકૃષ્ણના છુપા અવતાર તરીકે વિશેષ માનવામાં આવે છે તેમના અવતરણનો શુભદિન છે. આ વર્ષે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની 536મી જન્મજયંતિ આવી રહી છે તેમજ આ ઉત્સવ ગૌડીય વેષ્ણવો માટે નવવર્ષના…

2500 વર્ષ અગાઉ પ્રચલિત હતાં તેવા વિલુપ્ત થયેલા 126 શાસ્ત્રીય રાગોના ગ્રંથ “રાગોપનિષદ્નું”નું લોકાર્પણ

વિવિધ રાગમાલાઓનો સંચય રાગોપનિષદ સંગીતપ્રેમીઓ માટે સંભારણું બનશે – વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ મુંબઈમાં તાજેતરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજાની પાવન છત્રછાયામાં, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસના શુભહસ્તે, શાસ્ત્રીય સંગીત આધારીત જૈન પ્રાચીન ભક્તિગીતોના મહાગ્રંથ ‘રાગોપનિષદ્’ અને તેના મ્યુઝિક આલબમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંદેશો આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘‘ભારતમાં સદીઓથી સંગીતની આગવી પરંપરા રહી…

જૈન સાધુઓ દ્વારા રચાયેલાં ભારતીય ભક્તિ સંગીત અને શાસ્ત્રીય સંગીતનો સુભગ સમન્વય કરતા  રાગોપનિષદની સંગીતમય રજૂઆત થશે

અમદાવાદ આજથી 500 વર્ષ પૂર્વે વિદ્વાન જૈન સાધુઓ દ્વારા લખાયેલાં અને સચવાયેલાં ગહન ગ્રંથ રાગોપનિષદની સંગીતમય રજૂઆતનો કાર્યક્રમ મુંબઈમાં યોજાશે. રાગોપનિષદ આધ્યાત્મિકતા અને શાસ્ત્રીય સંગીત વચ્ચેના ઊંડા જોડાણને પ્રકાશિત કરે છે, જે દર્શાવે છે કે રાગરાગિણી જ્ઞાન અને આંતરિક વિકાસના માધ્યમ તરીકે કેવી રીતે કામ કરે છે. જૈન સાધુઓની રચનાઓમાં મૂળ ધરાવતું રાગોપનિષદ ભારતીય સંગીતની…