આ મંદિર 21 મી સદીમાં પારસ્પરિક સહયોગનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે ” – કે અન્નામલાઈ અબુ ધાબી ૧૫ ઓગસ્ટ ૨૦૨૫, શુક્રવારના રોજ, ભારતના રાજકીય નેતા તથા સમાજસેવક શ્રી કે. અન્નામલાઈએ અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. ભારતના સ્વાતંત્ર્યદિનના અવસરે તેમની આ મુલાકાત ભારતના સમાનતા, નમ્રતા અને એકતાના શાશ્વત મૂલ્યોના…
છ સોમવારના 14 જુલાઈથી શરૂ થયેલા કાર્યક્રમની 18 ઓગસ્ટે શ્રાવણના છેલ્લા સોમવારે પૂર્ણાહૂતી 11 ઓગસ્ટે અમદાવાદના અપલ-સોનલ શાહના ગ્રુપના ગરબા-ટિપણી નૃત્યએ આકર્ષણ જમાવ્યું સોમનાથ શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે શ્રી સોમનાથ ટ્રસ્ટ નિર્મિત ૩ વિશેષ મંચો પર ગાયન, વાદન અને રોશની સાથે વિવિધ ભારતીય નૃત્ય શૈલીના નિપૂણ કલાકારો દ્વારા શ્રેણીબદ્ધ…
અમદાવાદ રુદ્રાષ્ટકમમાં, ભગવાન શિવનો મહિમા વર્ણવતી વખતે, એક શ્લોકમાં, તેમના માનવ માથાની માળાનો ઉલ્લેખ નીચે મુજબ કરવામાં આવ્યો છે: ‘મૃગધીશચર્મમ્બરમ મુંડમલમ, પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામિ.’ એટલે કે, સિંહની ચામડી પહેરેલા અને માનવ માથાની માળા પહેરેલા ભગવાન શિવ, દરેકનો પ્રેમ છે અને હું આવા પ્રિય શંકરજીને નમન કરું છું. ભગવાન શિવના…
અમદાવાદ ઝૂલણ ઉત્સવ શ્રાવણ મહિનામાં તેજસ્વી પખવાડિયાના અગિયારમાં દિવસથી(અગ્યારસ) પૂર્ણ-ચંદ્ર દિવસ(પૂર્ણિમા) સુધી ઉજવવામાં આવે છે. આ ઉત્સવ બાળપણમાં મનોરંજન માટે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મિત્રો, ગાયો ચરાવનાર યુવાન છોકરા અને છોકરીઓ વૃક્ષ નીચે ઝૂલતા એ પ્રસંગની યાદગીરીરૂપે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના સહયોગ શ્રી રાધા અને…
અમદાવાદ બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના સંત પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીને, જુલાઈ ૨૦૨૫ દરમિયાન, અમેરિકાના વિવિધ રાજ્ય તથા શહેરોના શાસકો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
મથુરા વૃંદાવનમાં શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમ ચલાવતા પ્રેમાનંદ મહારાજ સતત હેડલાઇન્સમાં રહે છે. તેમનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં, તેઓ આજના યુવાનોના ચારિત્ર્ય પર પ્રશ્નો ઉઠાવતા જોવા મળે છે. તેમનું કહેવું છે કે જો કોઈ છોકરો કે છોકરી લગ્ન પહેલાં ચાર લોકો…
‘ સમગ્ર ભારત દેશની સાંસ્કૃતિક ધારાઓને, હિન્દુ ધર્મની વિવિધ ધારાઓને એક કરવાનો અદ્ભુત પ્રયાસ ‘ : ડૉ. મોહન યાદવ મધ્યપ્રદેશના માનનીય મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ગુરુ પૂર્ણિમાના પવિત્ર ઉત્સવની ઉજવણી દરમિયાન અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે તારીખ ૧૨ અને ૧૩ જુલાઈના રોજ BAPS હિંદુ…
વિશ્વ સંસ્કૃત સંમેલન એ સંસ્કૃત ભાષાનું એક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય સંમેલન છે. આ સંમેલન દુનિયાની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ ભાષાનો ઉત્સવ છે, જે સંસ્કૃત અને સંસ્કૃતિના પુનર્જીવન, સંરક્ષણ અને વૈશ્વિક પ્રસાર માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સંમેલન દર ત્રણ વર્ષે વિશ્વના વિવિધ દેશોમાં યોજાય છે, જેમાં હજારો સંસ્કૃતવિદ્ વિદ્વાનો પોતાના…
રથયાત્રાનાપવિત્રઅનેઅત્યંતઐતિહાસિકતહેવારનિમિત્તેહીરામણિ નર્સરી-કે.જી. વિભાગના વિદ્યાર્થીઓમાં શાળાકીયપ્રવૃતિઓસાથેજોડાયેલારહેઅનેબાળકોનીસર્જનાત્મકતાનેપ્રોત્સાહનમળેતેહેતુથીવિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને સુંદર રથ બનાવીને સ્કૂલ કેમ્પસમાં રથયાત્રાનું આયોજન કર્યું હતું. આ રથયાત્રમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાઈ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ આ સાથે પ્રભુ જગન્નાથ, ભાઈ બાલભદ્ર અને બહેન સુભદ્રાને વંદન કરી સમગ્ર વિશ્વને સ્વસ્થ અને નીરોગી બનાવે…
રથયાત્રાના પવિત્ર અને અત્યંત ઐતિહાસિક તહેવાર નિમિત્તે હીરામણિ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) નાં બાળકોશાળાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા રહે અને બાળકોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તે હેતુ થી ધોરણ – ૧ થી ૨ બાળકો માટે “રથયાત્રાનાં ચિત્રમાં કલર પુરાવાની સ્પર્ધા”, ધોરણ – ૩ અને ૪ બાળકો માટે “કાગળમાંથી વિવિધ રથયાત્રા ને લાગતાં…
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.1 થી 7માં રથયાત્રા પર ચિત્ર મોડલ બનાવવાની સ્પર્ધા યોજાઈ. જેમાં વિદ્યાર્થીઓએ રંગીનકાગળ, પૂંઠું, મોતી, કલર, જરીપટ્ટી, ટીલડી, મોરપીંઠ, સળીનો ઉપયોગ કરી જગતના નાથ જગન્નાથ, સુભદ્રા અને બલરામના મોડલ બનાવ્યા હતા. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લીધો હતો.
માતૃ વંદનાઃ હરિદ્વારમાં ભાગવદ કથાનો સાતમો દિવસઃ સુદામા સાથે કૃષ્ણના મિલન આડેના વિઘ્નોથી લઈને પારઘી દ્વારા છોડાયેલા તીરથી વિંધાઈને કૃષ્ણના સમાધિસ્થ થવાના પ્રસંગોને શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસે એ રીતે વર્ણવ્યા કે શ્રોતાઓની આંખોમાં આંસુ આવી ગયા હરિદ્વાર કૃષ્ણ દ્વારકાના નાથ તરીકે ફરજ બજાવવા સાથે પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે ત્યાં…
માતૃ વંદનાઃ હરિદ્વારમાં ભાગવદનો ચોથો દિવસઃ રામના જન્મથી રામવનવાસ અને ગાદી સંભાળવા સુધી તથા કૃષ્ણ જન્મોત્સવનભવ્ય ઊજવણી હરિદ્વાર ભાગવદ કથામાં ચોથા દિવસની મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રામાઅવતારથી લઈને કૃષ્ણઅવતારની વાત આ દિવસે પ્રસ્તુત કરાય છે. પંચાલ પરિવારે રામાવતાર માટે તો ખાસ કોઈ તૈયારી કરવાની નહતી પણ કૃષ્ણાવતારના પ્રસંગને શાસ્ત્રી જયેન્દ્ર…
જાણીતા કથાકાર જયેન્દ્રભાઈ વ્યાસના વ્યાસપીઠે હરિદ્વારના નારાયણી નિવાસમાં ભાગવદ કથા હરિદ્વારા જીવતા માવતરની ઉપેક્ષા કરનારા અને મૃત્યુ બાદ તેમની પાછળ પુણ્યલાભ માટે ધાર્મિક વિધિઓ કરનારા માટે એક ઉદાહરણ સમાન કાર્ય અમદાવાદના ત્રણ ભાઈઓએ કર્યું છે. નવિન-દિલીપ અને રાકેશ પંચાલ નામના આ ભાઈઓ માતા સવિતાબેન રેવનદાસ પંચાલની ઈચ્છા પૂરી કરવા તેમની…
અમદાવાદ સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે કે બેંગ્લોરમાં આવેલું પ્રખ્યાત હરે ક્રિષ્ના હિલ મંદિર ઈસ્કોન બેંગ્લોર સોસાયટીનું છે, નહીં કે ઈસ્કોન-મુંબઈ સોસાયટીનું. ઈસ્કોન-મુંબઈ સોસાયટીને ઈસ્કોન-બેંગ્લોર સોસાયટીના કામકાજમાં દખલ ન કરવા આદેશ આપવામાં આવ્યો. વર્ષ 1977માં જ્યારે શ્રીલા પ્રભુપાદ મહા સમાધીમાં લીન થયા ત્યારથી ઈસ્કોન-બેંગ્લોર અને ઈસ્કોન-મુંબઈ વચ્ચે એક વિવાદ ચાલી…
અક્ષરધામમાં ભારતીય કળા, સ્થાપત્ય અને સંસ્કૃતિના દર્શનથી ઉપ રાષ્ટ્રપ્રમુખ અને પરિવાર થયા રોમાંચિત ‘આપે આટલી ચોકસાઈ અને કાળજી સાથે આ અદ્ભુત મંદિરની રચના કરી છે, તે ભારત માટે ખરેખર ગર્વની બાબત છે. અમને અને ખાસ કરીને અમારા બાળકોને આ સ્થાન ખૂબ જ ગમ્યું. ભગવાનના આશીર્વાદ સૌ પર વરસતા રહે.’યુ.એસ.એ.ના ઉપ…
અમદાવાદ હરેકૃષ્ણ મંદિર- ભાડજ તા. 14 માર્ચ, 2025 શુક્રવારના રોજ ગૌર પૂર્ણિમાની ઉજવણી કરી રહ્યું છે. આ દિન ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ કે જેમને ભગવાન શ્રીકૃષ્ણના છુપા અવતાર તરીકે વિશેષ માનવામાં આવે છે તેમના અવતરણનો શુભદિન છે. આ વર્ષે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની 536મી જન્મજયંતિ આવી રહી છે તેમજ આ…
વિવિધ રાગમાલાઓનો સંચય રાગોપનિષદ સંગીતપ્રેમીઓ માટે સંભારણું બનશે – વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ મુંબઈમાં તાજેતરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજાની પાવન છત્રછાયામાં, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસના શુભહસ્તે, શાસ્ત્રીય સંગીત આધારીત જૈન પ્રાચીન ભક્તિગીતોના મહાગ્રંથ ‘રાગોપનિષદ્’ અને તેના મ્યુઝિક આલબમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંદેશો આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘‘ભારતમાં…
અમદાવાદ આજથી 500 વર્ષ પૂર્વે વિદ્વાન જૈન સાધુઓ દ્વારા લખાયેલાં અને સચવાયેલાં ગહન ગ્રંથ રાગોપનિષદની સંગીતમય રજૂઆતનો કાર્યક્રમ મુંબઈમાં યોજાશે. રાગોપનિષદ આધ્યાત્મિકતા અને શાસ્ત્રીય સંગીત વચ્ચેના ઊંડા જોડાણને પ્રકાશિત કરે છે, જે દર્શાવે છે કે રાગરાગિણી જ્ઞાન અને આંતરિક વિકાસના માધ્યમ તરીકે કેવી રીતે કામ કરે છે. જૈન સાધુઓની રચનાઓમાં…
અમદાવાદ સતધામ અમદાવાદ દ્વારા શહેરમાં સૌપ્રથમવાર “જનની જન્મભૂમીશ્વ સ્વર્ગાત અપિ ગરીયસી” અને “મેરા ભારત મહાન” આ સૂત્રોને લક્ષ્યમાં રાખી નીકોલમાં આવેલા ખોડિયારધામ ગ્રાઉન્ડ ખાતે વિશ્વમાં સૌપ્રથમવાર તા. 21 થી 27 ફેબ્રુઆરી, 2025 દરમિયાન પ.પૂ. સત્ શ્રી સ્વામીજીની “રાષ્ટ્ર કથા”નું આયોજન કરવામાં આવ્યું છે. એક સપ્તાહ ચાલનારી આ રાષ્ટ્ર કથાનો સમય રાત્રે 8.30 થી 11.30નો રહેશે. આ કથાનું…
અમદાવાદ વિશ્વ ગુરુ શ્રીલ પ્રભુપાદ મહારાજજીના શુભાશીષથી હરેકૃષ્ણ મંદિર ભાડજ દ્વારા ૨૨ ફેબ્રુઆરી, 2025ના રોજ અમદાવાદના હરેકૃષ્ણ મંદિર ખાતે મેગા યુવા મહોત્સવ “પરિવર્તન”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિવિધ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામાજિક પહેલ દ્વારા સમગ્ર રાજ્યના યુવાનોને પ્રેરણા આપવા, જોડવા અને સશક્ત બનાવવા માટે એક જીવંત પ્લેટફોર્મ બનાવવાનો છે. આ કાર્યક્મમાં રાજ્ય અને તેની બહારના 1000થી વધુ યુવાનો ઉત્સાહપૂર્વક જોડાશે એવો એક અંદાજ છે. મંદિરની વેબસાઈટwww.harekrishnmandir.org ઉપર “પરિવર્તન”- મેગા યુવા મહોત્સવની માહિતી મળી રહેશે. “પરિવર્તન”- મેગા યુવા મહોત્સવ કાર્યક્રમની વિગતો આપતાં હરેકૃષ્ણ મંદિર ભાડજ યુવા સંગઠનના હેડ શ્રી રાસપરાયણ પ્રભુએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં યુવાઓ આત્મહત્યા, મોબાઇલ એડીક્શન,…
પ્રયાગરાજ મુકેશ અંબાણીએ આજે તેમની માતા, પુત્રો અને પૌત્રો સાથે પ્રયાગરાજમાં મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. અંબાણીએ તેમની માતા કોકિલાબેન, પુત્રો આકાશ અને અનંત, પુત્રવધુઓ શ્લોકા અને રાધિકા, પૌત્ર-પૌત્રીઓ પૃથ્વી અને વેદા, તથા બહેનો દીપ્તિ સલગાંવકર અને નીના કોઠારી સાથે સ્નાન કર્યું. તેમની સાથે અંબાણીના સાસુ…
પ્રયાગરાજ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર જળના પ્રયાગરાજના સંગમ તટે લાખો લોકો મહાકુંભ 2025ની આધ્યાત્મિક યાત્રાએ આવી રહ્યા છે. સ્વ-ની શોધ અને દૈવી કૃપા માટે જીવનમાં એકવાર આવેલી આ યાત્રારૂપી તક ઘણા લોકો માટે પડકારરૂપ બની શકે છે. આ સ્થિતિને ધ્યાને રાખઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ‘તીર્થ યાત્રી સેવા’ શરૂ કરી છે, જે યાત્રાળુઓની યાત્રાને…
અમદાવાદ હીરામણી પ્રાયમરી સ્કૂલ(અંગ્રેજી માધ્યમ)ના બાળકો દ્વારા ચિન્મય મિશન અમદાવાદ સંસ્થા દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય પાંચનાશ્લોક ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં અમદાવાદની વિવિધ શાળાઓના 800 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાંથી 160 વિદ્યાર્થી ફાઇનલ રાઉન્ડની સ્પર્ધામાં પસંદગી પામેલ હતા જેમાં હીરામણી શાળાના 14માંથી બે વિદ્યાર્થીઓ અલગ અલગ કેટેગરીમાં…
8 ડિસેમ્બર સુધી આચાર્ય ભગવંતોના નિશ્રામાં વિવિધ કાર્યક્રમો યોજાશે વાસ્તુદોષ ટાળવા ચૌમુખ ભગવાન અને શ્રીયંત્રની સ્થાપના કરવામાં આવી અમદાવાદ જૈન તથા દ્રવિડ શૈલિનાં સમન્વય યુક્ત વિશ્વનું પ્રથમ જીનાલય શ્રી પાર્શ્વ પ્રેમ ૨૪ જિનેશ્વરધામમાં 8 ડિસેમ્બરના રોજ ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. પ.પૂ. ગચ્છાધીપતિ શ્રી કુલચંદ્રસૂરિશ્વરજી મ.સાની પ્રેરણાથી તથા પૂ. પંન્યાસ…
અમદાવાદ અમદાવાદના જુનાવાડજ ખાતે આવેલા રાજ રાજેશ્વરી શ્રી લાખણેચી માતાના મંદિરમાં સમસ્ત લાખણેચી મા સેવક પરિવારઃ ગોતા-વાડજના પરમ પૂજ્ય ભુવાજી શ્રી રણછોડભાઈના માર્ગદર્શનમાં દેવ દીવાળીના રોજ સવા સો દીવાની ભવ્ય આરતી અને 56 ભોગના અન્નકૂટનું આયોજન કરાયું હતું. આ ભવ્ય ઉત્સવમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ ભાગ લીધો હતો.
સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતેગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અભિવાદન કરાશે અમદાવાદ તા 17 ઓક્ટોબર 2024 – શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે ગુજરાત રાજ્યનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ગૌમાતા પોષણ યોજના તેમજ અન્ય જીવદયાનાં નિર્ણયો લેવા બદલ સમસ્ત મહાજન તથા સમગ્ર ગુજરાતની જીવદયા/ગૌસેવા…
હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમના) બાળકો માટે“શ્લોકગાન”સ્પર્ધાનુંઆયોજન કરવામાં આવ્યું હતું. કર્મની ભાગીરથી, ભક્તિની યમુના અને જ્ઞાનની સરસ્વતી સમાન શ્રીમદ ભગવતગીતા હજારો વર્ષથી અનેક મનુષ્યોના જીવનમાં પ્રેરણા નો પ્રકાશ પાથરતી અને સર્વને સ્વસ્થ રાખતી આવી છે, તેનાં શ્લોકોનું સુંદર ગાન ધોરણ- ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓએ કરી તેનો અર્થ અને શ્રીમદ…
ગુરુપૂર્ણિમાનાં પવિત્ર અને અત્યંત ઐતિહાસિક તહેવાર નિમિત્તે હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) નાં બાળકો દ્વારા કાવ્ય, ભજન, ગીત, નૃત્ય, નાટક દ્વારા, પ્રવચન, વકૃત્વ સ્પર્ધા યોજીને જીવનમાં ગુરુનું મહત્વ સમજાવ્યું હતું. જેમકે ગુરુ વિનાનું જીવન અધૂરું છે. જેવી રીતે માતા-પિતા આપણને સંસ્કાર આપે છે તો બીજી તરફ ગુરુ આ૫ણને જ્ઞાન આપે છે….
હીરામણિના નાના ભૂલકાંઓ આપણા દેશની ધાર્મિક પરંપરા તેમજ તહેવારોથી પરિચિત થાય તે માટે હીરામણિ નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાંઓ દ્વારા રથ બનાવી સ્કૂલ કેમ્પસમાં રથયાત્રા કાઢવામાં આવી હતી.
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં રથયાત્રા પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો.1 થી 4 માં વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર સ્પર્ધા તેમજ ધો. 5 થી 7 માં રથના વિવિધ મોડેલ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ નકામાં પૂંઠા, બોક્સ, આઈસક્રીમ, સ્ટીક, કપ, ટીકડા દોરી, ટીંલડી વગેરેનો ઉપયોગ કરી કલાત્મક ભગવાન…
અમદાવાદ આધ્યાત્મિક શિક્ષણ અને જ્ઞાનની ઉજવણીમાં, ભાડજ, અમદાવાદ ખાતે હરે કૃષ્ણ મંદિરે એક ભવ્ય ગીતા સ્પર્ધાનું આયોજન કર્યું જેમાં 3000 થી વધુ ઉત્સાહી વ્યક્તિઓએ ભાગ લીધો. ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે આયોજિત આ સ્પર્ધાનો હેતુ ભગવદ-ગીતાના ગહન ઉપદેશોનો પ્રચાર કરવાનો હતો, જે તેના આધ્યાત્મિક ઊંડાણ અને વ્યવહારિક શાણપણ માટે…
અમદાવાદ એગ્રો-પ્રોસેસિંગ ઉદ્યોગમાં અગ્રણી નામના ધરાવનાર, ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ લિમિટેડ, દ્રારા સામાજિક ઉત્થાન માટે તેમના સમર્પણના ભાગરૂપે હરે કૃષ્ણ મુવમેન્ટ, અમદાવાદને મદદગાર થયા. એકતા અને સમર્થનનારૂપમાં, ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ લિમિટેડ દ્રારા વંચિત દર્દીઓને પૌષ્ટિક ભોજન આપવાના સંસ્થાના ઉમદા પ્રયાસમાં મદદ કરવા ત્રણ વાહનોનું દાન કર્યું છે. સલામત અને કાર્યક્ષમ વાહનવ્યવહાર…
રાજેશ શુક્લા, રાષ્ટ્રીય બૌદ્ધિક સલાહકારના મુખ્ય વ્યૂહરચનાકાર અને સ્વામી નારાયણ ટ્રસ્ટના વડા સ્વામી પુરષોત્તમ શાસ્ત્રીજી મહારાજ ભારતીય સમાજમાં સમાનતા તરફ ઐતિહાસિક પહેલ કરે છે અમદાવાદ ભારતીય સમાજમાં સમાનતા અને સામાજિક ન્યાય તરફની સીમાચિહ્નરૂપ પહેલ તરીકે, સમતા મૂલક સમાજ કી સ્થાન પ્રોજેક્ટ વર્ષો જૂની પરંપરાઓમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે, જે…
૩૫ મુમુક્ષુઓએ સંસારી વેશ ત્યજીને ભગવાન શ્રી મહાવીરનો વેશ અંગિકાર કર્યો અમદાવાદ અમદાવાદ શહેરના પાંચસો વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એક જ મંડપ હેઠળ ૩૫ જૈન દીક્ષાનો મહોત્સવ દીક્ષાના મહાનાયક પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાના પવિત્ર હાથે સંપન્ન થયો હતો. સાબરમતી રિવર ફ્રન્ટ ઉપર આશરે ત્રણ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ…
અમદાવાદ ઐતિહાસિક જૈન દીક્ષા મહોત્સવમાં રવિવારે અમદાવાદમાં ૩૫ મુમુક્ષુઓની ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી, જેમાં હાથી, ઘોડા, ઊંટગાડીઓ, બળદગાડા, શણગારેલા રથો ઉપરાંત વિન્ટેજ કારોમાં બેસીને દીક્ષા લેતાં પહેલાં છૂટા હાથે ચલણી નોટો, વસ્ત્રો, વાસણો, મોતી વગેરેનું દાન કરવામાં આવ્યું હતું. સવારે ૬.૩૦ કલાકે મુમુક્ષુ ભાવેશભાઈ ભંડારી અને તેમનાં ધર્મપત્ની જિનલબહેનના નિવાસસ્થાન ઋજુવાલિકા, શાંતિનગરથી શરૂ થયેલી શોભાયાત્રા ઉસ્માનપુરા ચાર રસ્તા, આશ્રમ રોડ, પાલડી ચાર રસ્તા થઈને સાત કિલોમીટરની યાત્રા કરીને રિવરફ્ર્ન્ટ પર તૈયાર કરવામાં આવેલી ભવ્ય અધ્યાત્મ નગરીમાં આવી પહોંચી હતી. આ વર્ષીદાનના વરઘોડામાં આશરે ૪૦૦ સાધુ-સાધ્વીજી ભગવંતો ઉપરાંત આશરે દસ હજાર ભાવિકો જોડાયા હતા, જ્યારે રાજનગર અમદાવાદના આશરે પાંચ લાખ લોકોએ વિવિધ સ્થળેથી વરઘોડાના દર્શન કર્યા હતા. વર્ષીદાનની યાત્રા અધ્યાત્મ નગરીમાં આવી પહોંચી તે પછી સોમવારે સવારે ૬ વાગ્યે યોજાનારા દીક્ષા મહોત્સવમાં મુમુક્ષુઓ સાધુ બન્યા પછી જે ૧૮ વસ્ત્રો, પાત્રો, ઉપકરણો વગેરેનો ઉપયોગ કરવાના છે, તેની ઉછામણી બોલાવવાની શરૂઆત થઈ હતી. આ ૧૮ ઉપકરણો પૈકી સાધુજીવનનાં પ્રતિક સમાન ઓઘાની અને મુહપત્તિની ઉછામણી બોલાવવામાં આવતી નથી; પણ તે લાભ મુમુક્ષુના પરિવારને આપવામાં આવે છે. ઓઘા અને મુહપત્તિ સિવાય કામળી, કાપડો, સાડો અથવા ચોલપટ્ટો, પાત્રા, તરપણી, ચેતનો, પુસ્તકની પોથી, નવકારવાળી, દાંડો, દંડાસન, સુપડી, પૂંજણી, ચરવળી, આસન, સંથારો અને ઉત્તરપટ્ટો મળીને કુલ ૧૬ ઉપકરણોની ઉછામણી બોલવામાં આવી હતી. આ ઉપકરણોને કુલ પાંચ જૂથોમાં વહેંચીને તેની ઉછામણી બોલવામાં આવી હતી. આ રીતે કુલ ૩૫ મુમુક્ષુઓ માટે ૧૭૫ ઉછામણી બોલવામાં આવી હતી. તેમાં સૌથી વધુ ઉછામણી રુચિકુમારી મહેન્દ્રભાઈ અંગારાને ઉપકરણો વહોરાવવા માટે ૬૯,૯૧, ૨૨૨ રૂ.ની બોલવામાં આવી હતી. ૩૫ મુમુક્ષુઓ પૈકી જે ટોપ ટેન ઉછામણી બોલાઈ તે નીચે મુજબ હતી : (૧) રુચિકુમારી મહેન્દ્રભાઈ અંગારા : રૂ. ૬૯,૯૧,૨૨૨ (૨) માન્ય વિજયભાઈ શાહ : રૂ. ૬૫,૦૯,૩૩૭ (૩) વિદિતકુમાર સુમેરમલજી મહેતા : રૂ. ૫૫,૭૫,૨૨૨ (૪) ભાવેશભાઈ ગિરીશભાઈ ભંડારી : રૂ. ૪૨,૪૨,૫૫૫ (૫) દેવેશ નંદિષેણભાઈ રાતડિયા રૂ. ૩૪,૮૭,૦૯૬ (૬) હિનલ સંજયભાઈ જૈન : રૂ. ૨૯,૭૯,૦૦૦ (૭) ભવ્ય મહેન્દ્રકુમાર સિસોદિયા : રૂ. ૨૪,૯૬,૦૦૦ (૮) જૈની ગૌતમકુમાર કોઠારી : રૂ. ૨૧,૯૪,૦૦૦ (૯) જિનલબહેન ભાવેશભાઈ ભંડારી : રૂ. ૨૦,૯૫,૦૦૦ (૧૦) હિતજ્ઞકુમાર શ્રેયાંસભાઈ સંઘવી : રૂ. ૧૫,૧૯,૯૦૬