અમદાવાદ હરેકૃષ્ણ મંદિર- ભાડજ તા. 14 માર્ચ, 2025 શુક્રવારના રોજ ગૌર પૂર્ણિમાની ઉજવણી કરી રહ્યું છે. આ દિન ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ કે જેમને ભગવાન શ્રીકૃષ્ણના છુપા અવતાર તરીકે વિશેષ માનવામાં આવે છે તેમના અવતરણનો શુભદિન છે. આ વર્ષે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની 536મી જન્મજયંતિ આવી રહી છે તેમજ આ…
વિવિધ રાગમાલાઓનો સંચય રાગોપનિષદ સંગીતપ્રેમીઓ માટે સંભારણું બનશે – વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ મુંબઈમાં તાજેતરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજાની પાવન છત્રછાયામાં, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસના શુભહસ્તે, શાસ્ત્રીય સંગીત આધારીત જૈન પ્રાચીન ભક્તિગીતોના મહાગ્રંથ ‘રાગોપનિષદ્’ અને તેના મ્યુઝિક આલબમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંદેશો આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘‘ભારતમાં…
અમદાવાદ આજથી 500 વર્ષ પૂર્વે વિદ્વાન જૈન સાધુઓ દ્વારા લખાયેલાં અને સચવાયેલાં ગહન ગ્રંથ રાગોપનિષદની સંગીતમય રજૂઆતનો કાર્યક્રમ મુંબઈમાં યોજાશે. રાગોપનિષદ આધ્યાત્મિકતા અને શાસ્ત્રીય સંગીત વચ્ચેના ઊંડા જોડાણને પ્રકાશિત કરે છે, જે દર્શાવે છે કે રાગરાગિણી જ્ઞાન અને આંતરિક વિકાસના માધ્યમ તરીકે કેવી રીતે કામ કરે છે. જૈન સાધુઓની રચનાઓમાં…
અમદાવાદ સતધામ અમદાવાદ દ્વારા શહેરમાં સૌપ્રથમવાર “જનની જન્મભૂમીશ્વ સ્વર્ગાત અપિ ગરીયસી” અને “મેરા ભારત મહાન” આ સૂત્રોને લક્ષ્યમાં રાખી નીકોલમાં આવેલા ખોડિયારધામ ગ્રાઉન્ડ ખાતે વિશ્વમાં સૌપ્રથમવાર તા. 21 થી 27 ફેબ્રુઆરી, 2025 દરમિયાન પ.પૂ. સત્ શ્રી સ્વામીજીની “રાષ્ટ્ર કથા”નું આયોજન કરવામાં આવ્યું છે. એક સપ્તાહ ચાલનારી આ રાષ્ટ્ર કથાનો સમય રાત્રે 8.30 થી 11.30નો રહેશે. આ કથાનું…
અમદાવાદ વિશ્વ ગુરુ શ્રીલ પ્રભુપાદ મહારાજજીના શુભાશીષથી હરેકૃષ્ણ મંદિર ભાડજ દ્વારા ૨૨ ફેબ્રુઆરી, 2025ના રોજ અમદાવાદના હરેકૃષ્ણ મંદિર ખાતે મેગા યુવા મહોત્સવ “પરિવર્તન”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિવિધ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામાજિક પહેલ દ્વારા સમગ્ર રાજ્યના યુવાનોને પ્રેરણા આપવા, જોડવા અને સશક્ત બનાવવા માટે એક જીવંત પ્લેટફોર્મ બનાવવાનો છે. આ કાર્યક્મમાં રાજ્ય અને તેની બહારના 1000થી વધુ યુવાનો ઉત્સાહપૂર્વક જોડાશે એવો એક અંદાજ છે. મંદિરની વેબસાઈટwww.harekrishnmandir.org ઉપર “પરિવર્તન”- મેગા યુવા મહોત્સવની માહિતી મળી રહેશે. “પરિવર્તન”- મેગા યુવા મહોત્સવ કાર્યક્રમની વિગતો આપતાં હરેકૃષ્ણ મંદિર ભાડજ યુવા સંગઠનના હેડ શ્રી રાસપરાયણ પ્રભુએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં યુવાઓ આત્મહત્યા, મોબાઇલ એડીક્શન,…
પ્રયાગરાજ મુકેશ અંબાણીએ આજે તેમની માતા, પુત્રો અને પૌત્રો સાથે પ્રયાગરાજમાં મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. અંબાણીએ તેમની માતા કોકિલાબેન, પુત્રો આકાશ અને અનંત, પુત્રવધુઓ શ્લોકા અને રાધિકા, પૌત્ર-પૌત્રીઓ પૃથ્વી અને વેદા, તથા બહેનો દીપ્તિ સલગાંવકર અને નીના કોઠારી સાથે સ્નાન કર્યું. તેમની સાથે અંબાણીના સાસુ…
પ્રયાગરાજ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર જળના પ્રયાગરાજના સંગમ તટે લાખો લોકો મહાકુંભ 2025ની આધ્યાત્મિક યાત્રાએ આવી રહ્યા છે. સ્વ-ની શોધ અને દૈવી કૃપા માટે જીવનમાં એકવાર આવેલી આ યાત્રારૂપી તક ઘણા લોકો માટે પડકારરૂપ બની શકે છે. આ સ્થિતિને ધ્યાને રાખઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ‘તીર્થ યાત્રી સેવા’ શરૂ કરી છે, જે યાત્રાળુઓની યાત્રાને…
અમદાવાદ હીરામણી પ્રાયમરી સ્કૂલ(અંગ્રેજી માધ્યમ)ના બાળકો દ્વારા ચિન્મય મિશન અમદાવાદ સંસ્થા દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય પાંચનાશ્લોક ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં અમદાવાદની વિવિધ શાળાઓના 800 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાંથી 160 વિદ્યાર્થી ફાઇનલ રાઉન્ડની સ્પર્ધામાં પસંદગી પામેલ હતા જેમાં હીરામણી શાળાના 14માંથી બે વિદ્યાર્થીઓ અલગ અલગ કેટેગરીમાં…
8 ડિસેમ્બર સુધી આચાર્ય ભગવંતોના નિશ્રામાં વિવિધ કાર્યક્રમો યોજાશે વાસ્તુદોષ ટાળવા ચૌમુખ ભગવાન અને શ્રીયંત્રની સ્થાપના કરવામાં આવી અમદાવાદ જૈન તથા દ્રવિડ શૈલિનાં સમન્વય યુક્ત વિશ્વનું પ્રથમ જીનાલય શ્રી પાર્શ્વ પ્રેમ ૨૪ જિનેશ્વરધામમાં 8 ડિસેમ્બરના રોજ ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. પ.પૂ. ગચ્છાધીપતિ શ્રી કુલચંદ્રસૂરિશ્વરજી મ.સાની પ્રેરણાથી તથા પૂ. પંન્યાસ…
અમદાવાદ અમદાવાદના જુનાવાડજ ખાતે આવેલા રાજ રાજેશ્વરી શ્રી લાખણેચી માતાના મંદિરમાં સમસ્ત લાખણેચી મા સેવક પરિવારઃ ગોતા-વાડજના પરમ પૂજ્ય ભુવાજી શ્રી રણછોડભાઈના માર્ગદર્શનમાં દેવ દીવાળીના રોજ સવા સો દીવાની ભવ્ય આરતી અને 56 ભોગના અન્નકૂટનું આયોજન કરાયું હતું. આ ભવ્ય ઉત્સવમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ ભાગ લીધો હતો.
સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતેગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અભિવાદન કરાશે અમદાવાદ તા 17 ઓક્ટોબર 2024 – શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે ગુજરાત રાજ્યનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ગૌમાતા પોષણ યોજના તેમજ અન્ય જીવદયાનાં નિર્ણયો લેવા બદલ સમસ્ત મહાજન તથા સમગ્ર ગુજરાતની જીવદયા/ગૌસેવા…
હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમના) બાળકો માટે“શ્લોકગાન”સ્પર્ધાનુંઆયોજન કરવામાં આવ્યું હતું. કર્મની ભાગીરથી, ભક્તિની યમુના અને જ્ઞાનની સરસ્વતી સમાન શ્રીમદ ભગવતગીતા હજારો વર્ષથી અનેક મનુષ્યોના જીવનમાં પ્રેરણા નો પ્રકાશ પાથરતી અને સર્વને સ્વસ્થ રાખતી આવી છે, તેનાં શ્લોકોનું સુંદર ગાન ધોરણ- ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓએ કરી તેનો અર્થ અને શ્રીમદ…
ગુરુપૂર્ણિમાનાં પવિત્ર અને અત્યંત ઐતિહાસિક તહેવાર નિમિત્તે હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) નાં બાળકો દ્વારા કાવ્ય, ભજન, ગીત, નૃત્ય, નાટક દ્વારા, પ્રવચન, વકૃત્વ સ્પર્ધા યોજીને જીવનમાં ગુરુનું મહત્વ સમજાવ્યું હતું. જેમકે ગુરુ વિનાનું જીવન અધૂરું છે. જેવી રીતે માતા-પિતા આપણને સંસ્કાર આપે છે તો બીજી તરફ ગુરુ આ૫ણને જ્ઞાન આપે છે….
હીરામણિના નાના ભૂલકાંઓ આપણા દેશની ધાર્મિક પરંપરા તેમજ તહેવારોથી પરિચિત થાય તે માટે હીરામણિ નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાંઓ દ્વારા રથ બનાવી સ્કૂલ કેમ્પસમાં રથયાત્રા કાઢવામાં આવી હતી.
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં રથયાત્રા પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો.1 થી 4 માં વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર સ્પર્ધા તેમજ ધો. 5 થી 7 માં રથના વિવિધ મોડેલ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ નકામાં પૂંઠા, બોક્સ, આઈસક્રીમ, સ્ટીક, કપ, ટીકડા દોરી, ટીંલડી વગેરેનો ઉપયોગ કરી કલાત્મક ભગવાન…
અમદાવાદ આધ્યાત્મિક શિક્ષણ અને જ્ઞાનની ઉજવણીમાં, ભાડજ, અમદાવાદ ખાતે હરે કૃષ્ણ મંદિરે એક ભવ્ય ગીતા સ્પર્ધાનું આયોજન કર્યું જેમાં 3000 થી વધુ ઉત્સાહી વ્યક્તિઓએ ભાગ લીધો. ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે આયોજિત આ સ્પર્ધાનો હેતુ ભગવદ-ગીતાના ગહન ઉપદેશોનો પ્રચાર કરવાનો હતો, જે તેના આધ્યાત્મિક ઊંડાણ અને વ્યવહારિક શાણપણ માટે…
અમદાવાદ એગ્રો-પ્રોસેસિંગ ઉદ્યોગમાં અગ્રણી નામના ધરાવનાર, ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ લિમિટેડ, દ્રારા સામાજિક ઉત્થાન માટે તેમના સમર્પણના ભાગરૂપે હરે કૃષ્ણ મુવમેન્ટ, અમદાવાદને મદદગાર થયા. એકતા અને સમર્થનનારૂપમાં, ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ લિમિટેડ દ્રારા વંચિત દર્દીઓને પૌષ્ટિક ભોજન આપવાના સંસ્થાના ઉમદા પ્રયાસમાં મદદ કરવા ત્રણ વાહનોનું દાન કર્યું છે. સલામત અને કાર્યક્ષમ વાહનવ્યવહાર…
રાજેશ શુક્લા, રાષ્ટ્રીય બૌદ્ધિક સલાહકારના મુખ્ય વ્યૂહરચનાકાર અને સ્વામી નારાયણ ટ્રસ્ટના વડા સ્વામી પુરષોત્તમ શાસ્ત્રીજી મહારાજ ભારતીય સમાજમાં સમાનતા તરફ ઐતિહાસિક પહેલ કરે છે અમદાવાદ ભારતીય સમાજમાં સમાનતા અને સામાજિક ન્યાય તરફની સીમાચિહ્નરૂપ પહેલ તરીકે, સમતા મૂલક સમાજ કી સ્થાન પ્રોજેક્ટ વર્ષો જૂની પરંપરાઓમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે, જે…
૩૫ મુમુક્ષુઓએ સંસારી વેશ ત્યજીને ભગવાન શ્રી મહાવીરનો વેશ અંગિકાર કર્યો અમદાવાદ અમદાવાદ શહેરના પાંચસો વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એક જ મંડપ હેઠળ ૩૫ જૈન દીક્ષાનો મહોત્સવ દીક્ષાના મહાનાયક પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાના પવિત્ર હાથે સંપન્ન થયો હતો. સાબરમતી રિવર ફ્રન્ટ ઉપર આશરે ત્રણ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ…
અમદાવાદ ઐતિહાસિક જૈન દીક્ષા મહોત્સવમાં રવિવારે અમદાવાદમાં ૩૫ મુમુક્ષુઓની ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી, જેમાં હાથી, ઘોડા, ઊંટગાડીઓ, બળદગાડા, શણગારેલા રથો ઉપરાંત વિન્ટેજ કારોમાં બેસીને દીક્ષા લેતાં પહેલાં છૂટા હાથે ચલણી નોટો, વસ્ત્રો, વાસણો, મોતી વગેરેનું દાન કરવામાં આવ્યું હતું. સવારે ૬.૩૦ કલાકે મુમુક્ષુ ભાવેશભાઈ ભંડારી અને તેમનાં ધર્મપત્ની જિનલબહેનના નિવાસસ્થાન ઋજુવાલિકા, શાંતિનગરથી શરૂ થયેલી શોભાયાત્રા ઉસ્માનપુરા ચાર રસ્તા, આશ્રમ રોડ, પાલડી ચાર રસ્તા થઈને સાત કિલોમીટરની યાત્રા કરીને રિવરફ્ર્ન્ટ પર તૈયાર કરવામાં આવેલી ભવ્ય અધ્યાત્મ નગરીમાં આવી પહોંચી હતી. આ વર્ષીદાનના વરઘોડામાં આશરે ૪૦૦ સાધુ-સાધ્વીજી ભગવંતો ઉપરાંત આશરે દસ હજાર ભાવિકો જોડાયા હતા, જ્યારે રાજનગર અમદાવાદના આશરે પાંચ લાખ લોકોએ વિવિધ સ્થળેથી વરઘોડાના દર્શન કર્યા હતા. વર્ષીદાનની યાત્રા અધ્યાત્મ નગરીમાં આવી પહોંચી તે પછી સોમવારે સવારે ૬ વાગ્યે યોજાનારા દીક્ષા મહોત્સવમાં મુમુક્ષુઓ સાધુ બન્યા પછી જે ૧૮ વસ્ત્રો, પાત્રો, ઉપકરણો વગેરેનો ઉપયોગ કરવાના છે, તેની ઉછામણી બોલાવવાની શરૂઆત થઈ હતી. આ ૧૮ ઉપકરણો પૈકી સાધુજીવનનાં પ્રતિક સમાન ઓઘાની અને મુહપત્તિની ઉછામણી બોલાવવામાં આવતી નથી; પણ તે લાભ મુમુક્ષુના પરિવારને આપવામાં આવે છે. ઓઘા અને મુહપત્તિ સિવાય કામળી, કાપડો, સાડો અથવા ચોલપટ્ટો, પાત્રા, તરપણી, ચેતનો, પુસ્તકની પોથી, નવકારવાળી, દાંડો, દંડાસન, સુપડી, પૂંજણી, ચરવળી, આસન, સંથારો અને ઉત્તરપટ્ટો મળીને કુલ ૧૬ ઉપકરણોની ઉછામણી બોલવામાં આવી હતી. આ ઉપકરણોને કુલ પાંચ જૂથોમાં વહેંચીને તેની ઉછામણી બોલવામાં આવી હતી. આ રીતે કુલ ૩૫ મુમુક્ષુઓ માટે ૧૭૫ ઉછામણી બોલવામાં આવી હતી. તેમાં સૌથી વધુ ઉછામણી રુચિકુમારી મહેન્દ્રભાઈ અંગારાને ઉપકરણો વહોરાવવા માટે ૬૯,૯૧, ૨૨૨ રૂ.ની બોલવામાં આવી હતી. ૩૫ મુમુક્ષુઓ પૈકી જે ટોપ ટેન ઉછામણી બોલાઈ તે નીચે મુજબ હતી : (૧) રુચિકુમારી મહેન્દ્રભાઈ અંગારા : રૂ. ૬૯,૯૧,૨૨૨ (૨) માન્ય વિજયભાઈ શાહ : રૂ. ૬૫,૦૯,૩૩૭ (૩) વિદિતકુમાર સુમેરમલજી મહેતા : રૂ. ૫૫,૭૫,૨૨૨ (૪) ભાવેશભાઈ ગિરીશભાઈ ભંડારી : રૂ. ૪૨,૪૨,૫૫૫ (૫) દેવેશ નંદિષેણભાઈ રાતડિયા રૂ. ૩૪,૮૭,૦૯૬ (૬) હિનલ સંજયભાઈ જૈન : રૂ. ૨૯,૭૯,૦૦૦ (૭) ભવ્ય મહેન્દ્રકુમાર સિસોદિયા : રૂ. ૨૪,૯૬,૦૦૦ (૮) જૈની ગૌતમકુમાર કોઠારી : રૂ. ૨૧,૯૪,૦૦૦ (૯) જિનલબહેન ભાવેશભાઈ ભંડારી : રૂ. ૨૦,૯૫,૦૦૦ (૧૦) હિતજ્ઞકુમાર શ્રેયાંસભાઈ સંઘવી : રૂ. ૧૫,૧૯,૯૦૬
અમદાવાદ અમદાવાદ શહેરના સદીઓના ઇતિહાસમાં પહેલી વખત યોજાઈ રહેલા 35 દીક્ષાના મહોત્સવ માટે પધારેલા 15 આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો ઉપરાંત 35 મુમુક્ષુઓ અને તેમના પરિવારજનો આજે ભવ્ય સામૈયા સાથે રિવર ફ્રન્ટ ઉપર બનેલી ભવ્ય અધ્યાત્મ નગરીમાં પ્રવેશ્યા હતા. તેમની શોભાયાત્રા સુવિધા ચાર રસ્તાથી શરૂ થઈને પ્રીતમ નગર અખાડા થઈને સાબરમતી રિવર ફ્રન્ટ પહોંચી ત્યારે 12 ગજરાજ…
હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્રારા તા. 17 એપ્રિલ, 2024 બુધવારના રોજ ભગવાન શ્રી રામચંદ્રના અયોધ્યાના રાજા દશરથ અને તેમના પત્ની કૌશલ્યાના ત્યાં થયેલ દિવ્ય અવતરણની યાદગીરીરૂપે “શ્રી રામનવમી મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી જેનો આશરે 10,000 કરતા પણ વધુ ભકતોએ લાભ લીધો હતો. શ્રધ્ધાળુ ભક્તોએ આખા દિવસ દરમ્યાન ઉપવાસ રાખ્યો હતો…
મંદિરમાં મહાસંકિર્તન તથા પાલકી ઉત્સવ સહિતના કાર્યક્રમો યોજાશે અમદાવાદ હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે 17 એપ્રિલે સાંજના 6.00 વાગ્યાથી રામનવમી ઉત્સવની શરૂઆત થશે. શ્રીરામનવમી ઉત્સવએ હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ઉજવાતા ઉત્સવમાંનો એક મુખ્ય ઉત્સવ છે. આ ઉત્સવ દરમ્યાન હરેકૃષ્ણ મંદિર, ભાડજમાં ભગવાન શ્રી શ્રી રાધા માધવના શ્રીવિગ્રહોને ખાસ અંલકારથી શણગારવામાં આવશે….
આ દેશ રઘુવરનો છે બાબરના પરિવારનો નથી, વ્રજના સાધુ-સંતો ભેગા મળીને ઠાકુરજીને બિરાજમાન કરશેઃ શાસ્ત્રી મથુરા બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ફરી એક નિવેદન આપ્યુ છે. તેમણે મથુરામાં કહ્યું કે જે રીતે ભગવાન રામલલા અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા અને એક પાંદડું પણ ન હલ્યું તેવી જ રીતે ઠાકુરજી…
મજમાહ યુનિવર્સિટી એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરીએ રમઝાનનો ચાંદ દેખાયાની પુષ્ટી પણ કરી દોહા સાઉદી અરબમાં રમઝાન મહિનાનો ચાંદ દેખાઈ ગયો છે. ઈસ્લામ ધર્મના સૌથી પવિત્ર મહિનાની શરૂઆત થઇ ચૂકી છે. આ સાથે હવે એ પણ નક્કી થઇ ગયું છે કે ભારતમાં આવતીકાલથી રમઝાન મહિનાની શરૂઆત થઇ શકે છે અને આજ રાતથી પહેલી…
દિશા-નિર્દેશો અનુસાર ટી-શર્ટ, ટોપી અને ટાઈટ ફિટિંગ ડ્રેસ પહેરીને આવનાર લોકોને મંદિરમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં અબુ ધાબી સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) ના અબુ ધાબીના પહેલા હિંદુ મંદિરને શુક્રવારે સામાન્ય જનતા માટે ખોલી દેવામાં આવ્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરીએ પથ્થરથી નિર્મિત અબુ ધાબીના આ પહેલા હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કર્યુ…
શ્રી કલ્કી ધામ મંદિર પરિસર 5 એકરમાં ફેલાયેલું હશે, તેનું નિર્માણ કાર્યક્રમ 5 વર્ષમાં પૂરું કરવાનું લક્ષ્ય રખાયું લખનૌ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેમણે કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. તેમની સાથે આ કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પીએમ મોદીએ…
મંદિર ટ્રસ્ટની બેઠકમાં નક્કી કરવામાં આવ્યુ કે ધોરણ 6થી 12 સુધીના તમામ બાળકોને મફત પુસ્તક-ડ્રેસ આપવામાં આવશે વારાણસીશ્રીકાશી વિશ્વનાથ મંદિરમાં ચાર દાયકા બાદ પૂજારી સેવા માર્ગદર્શિકા લાગુ થવાનો માર્ગ વિસ્તૃત થઈ ગયો છે. મંદિરના ટ્રસ્ટની ગુરુવારે આયોજિત 105મી બેઠકમાં આની પર ચર્ચા કરવામાં આવી. સમસ્ત મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કર્યા બાદ…
આ મૂર્તિ એકદમ રામલલાની નવી બનાવાયેલી મૂર્તિ જેવી જ છે, પુરાતત્વવિદોએ કહ્યું કે આ મૂર્તિ 11મી કે 12મી સદીની હોઈ શકે છે બેંગલુરૂકર્ણાટકના રાયચૂર જિલ્લામાં ચમત્કાર થયો છે. એક ગામમાં કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી આવી હતી. જે આશરે એક હજાર વર્ષ જૂની હોવાનો દાવો કરાયો છે. ખાસ વાત…
આગામી વર્ષોમાં અયોધ્યા માત્ર રામ મંદિર માટે નહીં પરંતુ એક વિશાળ આધ્યાત્મિક ટુરિસ્ટ હબ તરીકે જાણીતું બનશે અયોધ્યાઅયોધ્યામાં એક ભવ્ય કાર્યક્રમમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. જોકે, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું કામ આટલેથી પૂર્ણ થતું નથી. રામ જન્મભૂમિ ટ્રસ્ટ હજુ બીજા 13 મંદિરો માટે પણ મોટા પ્લાન…
મંગલદીપ વિદ્યાલય, રાણીપ ખાતે અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તારીખ 19 1 2024 ને શુક્રવારના રોજ શાળા પટાંગણમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓની રામ લક્ષ્મણ જાનકીના પાત્રની વેશભૂષા અને રામ ભજન ગાન તેમજ વિદ્યાર્થીઓના શ્રી રામ જીવન પરના વક્તવ્યની રજૂઆત કરવામાં…
સનાતન-હિન્દુ સંસ્કૃતિમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાયોની સેવા અને પૂજન અર્ચન કરવાનું એક વિશેષ મહત્વ રહ્યું છે. મકરસંક્રાંતિ નિમિત્તે શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે તા.13, 14, 15 જાન્યુઆરી-2024 સવારે 7 થી સાંજના 6 કલાક દરમિયાન ગોસેવા આધારિત મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમિયાન ત્રણેય દિવસ સવારે 8-30 તથા સાંજે 6-30 કલાકે ગોઆરતી કરવામાં આવશે. સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજીંગ ટ્રસ્ટી પૂ. શ્રી ભાગવત…
સમારોહના પ્રચારને ચાર તબક્કામાં વહેંચીને તૈયારીઓને આગળ ધપાવવાનો નિર્ણય લેવાયો, પ્રથમ તબક્કો 20 ડિસેમ્બર સુધી ચાલશે અયોધ્યા વર્ષે 22 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી અભિજીત મુહૂર્ત મૃગાશિરા નક્ષત્રમાં બપોરે 12:20 વાગ્યે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ કાર્યને આંતરરાષ્ટ્રીય બનાવવા માટે રવિવારે સાકેત નિલયમ ખાતે સંઘ પરિવારની બેઠક યોજાઈ હતી. જેમાં સમારોહના…
ઉત્સવમાં રામ દરબાર, સ્વર્ણ રથ, રામ તારક યજ્ઞ અને અંતમાં રાવણ દહન કરવામાં આવશે અમદાવાદ હરે કૃષ્ણ મંદિર, ભાડજ કે જેણે ભક્તોમાં ખુબ ઓછા સમયમાં અતિશય લોકપ્રિયતા મેળવી છે, તેઓ દ્વારા 24 ઓક્ટોમ્બરના રોજ દશેરા મહોત્સવ માટે ખાસ ઉજવણી કરવામાં આવશે. આ દિવસે, ભક્તો માટે મંદિરમાં ઉત્કૃષ્ટ ફુલોની સુશોભન સાથેના…
દરવાજા પર ગોલ્ડ પ્લેટિંગનું કામ નવેમ્બર મહિનામાં પૂરું થઇ જશે, આ સાથે જ આને છેલ્લે નિર્ધારિત જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે અયોધ્યા અયોધ્યાના રામ મંદિરના દરવાજા પર ગોલ્ડ પ્લેટિંગની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગર્ભગૃહમાં સ્થાપિત થનારા સૌથી મોટા દરવાજા સહિત 10 દરવાજાઓના ફિટિંગની ટ્રાયલ પણ પૂરી થઇ ગઈ છે. સોનાના…
હરેકૃષ્ણ મંદિર, ભાડજ તા. 7 સપ્ટેમ્બર, 2023 ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની વિશાળ ભવ્યતા ઉજવણી થઇ. મંદિર ખાતે ઉજવાતો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ખૂબ જ આગવો અને બધા ભકતો ને એક અલૌકિક અનુભવ કરાવનારો હોય છે. ઉત્સવ દરમ્યાન મહાભિષેક, હિંડોળા (ઝૂલન) ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વર્ણરથ ઉત્સવ વિગેરનું કરવામાં આવેલ…
બે માળના રામ મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર સંપૂર્ણપણે તૈયાર છે, મૂર્તિની સ્થાપના બાદ ભક્તો મંદિરમાં રામ લાલાના દર્શન કરી શકશે અયોધ્યાઅયોધ્યામાં રામ મંદિર નિર્માણની જવાબદારી સંભાળી રહેલા વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના મહાસચિવ ચંપત રાયે નિરંજની અખાડાની મુલાકાત લીધી હતી અને અખિલ ભારતીય…
લોકો ગીતાના જ્ઞાન વિશે વધુને વધુ જાણી શકે અને સંશોધકો ગીતાના અધ્યાય, શ્લોક અને તેના જ્ઞાન પર સંશોધન કરી શકશે કાનપુરકાનપુર યુનિવર્સિટી ગીતાના જ્ઞાનને દેશમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાવવા માટે આગળ આવી છે. જે અંતર્ગત કાનપુર યુનિવર્સિટી કેમ્પસમાં ગીતા ચેરની સ્થાપના કરવામાં આવશે. જેથી કરીને લોકો ગીતાના જ્ઞાન…
બાઉન્સરે ભક્તને એક બાદ એક સાત થપ્પડ માર્યા, સૂરજપુર કોતવાલી પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ હાથ ધરી નોઈડાગ્રેટર નોઈડાના જેતપુરમાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાના બીજા દિવસે મોડી રાત્રે એક ભક્તની બાઉન્સરે મારપીટ કરી હતી. ભક્તને એક બાદ એક સાત થપ્પડ મારવામાં આવ્યા હતા. મારપીટનો આ વીડિયો વાયરલ થયો…
મંદિર કમિટી દ્વારા કહેવામાં આવ્યુ છે કે, ટૂંકા કપડા જેવા કે, હાફ પેન્ટ, બરમુડા, મીની સ્કટ અને નાઈટ શૂટ પહેરીને આવનારા શ્રદ્ધાળુ ભગવાનના દર્શન બહારથી જ કરે હાપુડ ઉત્તર પ્રદેશના હાપુડ સ્થિત હાપુડ ખાટુશ્યામ મંદિરમાં જો ભક્તો ફાટેલા જીન્સ, હાફ પેન્ટ, સ્કર્ટ જેવા ઉશ્કેરણીજનક કપડા પહેરીને દર્શન કરવા જાય છે…
આષાઢી સુદ બીજના પ્રસંગે, તા. 20 જૂન 2023, મંગળવારના રોજ, હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા ભગવાન શ્રી શ્રી રાધા માધવની ભવ્ય રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મંદિર દ્વારા આ રથ યાત્રા છેલ્લા 9 વર્ષોથી આયોજન કરવામાં આવે છે. હરે કૃષ્ણ મંદિર માં આ ઉત્સવ ની શરૂવાત જય જગન્નાથ, બલદેવ, સુભદ્રાના…