Spread the love
  • દૂધ અને દૂધ ઉત્પાદક ઓપરેટર્સ માટે સજા અને દંડની ઘટનાઓનો આંક બે વર્ષમાં 552થી ઉછળીને 7,109 પર પહોંચી ગયો
    રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને લેખિત જવાબમાં રાજ્યકક્ષાના મત્સ્ય, પશુ સંવર્ધન અને ડેરીઉદ્યોગ મંત્રીએ આપેલી માહિતી નવી દિલ્હી દેશમાં દૂધ અને દૂધની પેદાશોમાં નિયમભંગ બદલ કસૂરવાર ફૂડ ઓપરેટર્સને કરાતી સજા અને દંડનો આંક બે વર્ષના સમયગાળામાં જ 13 ગણો વધી ગયો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (FSSAI) પૂરી પાડેલી વિગતો અનુસાર, વર્ષ…
  • દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીની સંખ્યા 5 વર્ષમાં 33.16 લાખથી ઉછળીને 1.61 કરોડ થઈ
    જળમાર્ગો દ્વારા માલની હેરફેરનો આંક પણ 5 વર્ષમાં 73.64 MT થી વધીને 133.03 MT થયો એપ્રિલ  દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીઓની સંખ્યા વર્ષ 2019-20માં 33.16 લાખ હતી, જે માત્ર 5 વર્ષમાં જબરદસ્ત ઉછાળા સાથે 2023-24ના અંતે 1.61 કરોડના આંકે પહોંચી ગઈ છે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન જળમાર્ગો દ્વારા માલની હેરફેરનો આંક…
  • છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતના કુલ 14 કરોડ લોકોને પી.એમ. ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળ્યો
    ગુજરાતને ત્રણ વર્ષમાં રૂ. 1329 કરોડ ફૂડ સબસિડી પેટે મળ્યા નવી દિલ્હી કેન્દ્ર સરકારની મહત્વની એવી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં લગભગ 14 કરોડ લોકોને લાભ મળ્યો છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22થી છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત રાજ્યને રૂ. 1329 કરોડની ખાદ્ય સબસિડીની ચૂકવણી કરી…
  • હરિયાણા ડીજીપીની ચેતવણી, કોઈ ગેંગસ્ટરની પોસ્ટ લાઈક અને શેર કરનારને જેલમાં ધકેલાશે
    • હરિયાણાના ડીજીપી શત્રુઘ્ન કપૂર તરફથી મોટી ચેતવણી • સોશિયલ મીડિયા વપરાશકર્તાઓએ ગુંડાઓની પોસ્ટથી દૂર રહેવું જોઈએ • નફરતભર્યા સંદેશા પોસ્ટ કરનારાઓ સામે પોલીસ કાર્યવાહી કરશે. ચંદીગઢ હરિયાણા પોલીસે સોશિયલ મીડિયા પર ગેંગસ્ટરની પોસ્ટને લાઈક અને શેર કરનારાઓને ચેતવણી આપી છે. હરિયાણાના ડીજીપી શત્રુજિત કપૂરે જણાવ્યું હતું કે પોલીસ ગેંગસ્ટરની…
  • પાકિસ્તાનની જેલોમાં હાલમાં 194 ભારતીય માછીમારો કેદ, જેમાંના 123 ગુજરાતના
    રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્યમંત્રીએ આપેલી માહિતી નવી દિલ્હી આજ પર્યંત 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. ગુજરાતના આ 123 માછીમારોમાંથી 33 એવા છે કે જે 2021ની સાલથી, 68 માછીમારો 2022ની સાલથી પાકિસ્તાની જેલમાં કેદ છે. જ્યારે ગુજરાતના નવ માછીમારોને 2023માં અને 13ને 2024માં…
  • અનંત અંબાણીના વનતારાએ પ્રાણી કલ્યાણમાં સર્વોત્તમ કામગીરી બદલ જીત્યો પ્રતિષ્ઠિત નેશનલ ‘પ્રાણી મિત્ર’ એવોર્ડ
    જામનગર (ગુજરાત) અનંત અંબાણીના વનતારાને પ્રતિષ્ઠિત ‘પ્રાણી મિત્ર’ નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે. આ એવોર્ડ ‘કોર્પોરેટ’ કેટેગરી હેઠળ ભારત સરકાર દ્વારા પ્રાણી કલ્યાણ ક્ષેત્રે એનાયત કરાતું સર્વોચ્ચ સન્માન છે. હાથીઓના રેસ્ક્યુ, ઉપચાર અને આજીવન કાળજી રાખવાની સમર્પિત કામગીરી કરી રહેલા વનતારાની સંસ્થા, રાધેક્રિશ્ન ટેમ્પલ એલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટના અસાધારણ યોગદાનની આ એવોર્ડ દ્વારા કદર કરવામાં આવી છે. આ…
  • ગીર રક્ષિત વિસ્તારમાં 21 મહત્ત્વપૂર્ણ લાયન કોરિડોર્સ
    પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર ગીર રક્ષિત વિસ્તાર માટેના મેનેજમેન્ટ પ્લાન અનુસાર સરકારે કુલ 21 મહત્ત્વપૂર્ણ કોરિડોર્સની ઓળખ કરી છે. ગીરમાં લાયન કોરિડોર્સ સંબંધે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતી વેળાએ વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કિર્તી વર્ધન સિંઘે રાજ્યસભામાં ફેબ્રુઆરી…
  • ગીરમાં સિંહોને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં 37%નો વધારો
    રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પર્યાવરણ, વન્ય અને આબોહવા પરિવર્તન મંત્રીનો પ્રત્યુત્તર અમદાવાદ ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 37%નો વધારો થયો છે. ગીરમાં સિંહને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની અંદાજિત સંખ્યા 2019માં 1,55,659થી વધીને 2024માં 2,13,391 થઈ છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી શ્રી…
  • ગુજરાતની હાઈકોર્ટમાં 1,70,963 કેસ પડતર; જ્યારે રાજ્યનીજિલ્લા અને નીચલી અદાલતોમાં પડતર કેસની કુલ સંખ્યા 16,90,643
    કાયદા અને ન્યાય રાજ્યમંત્રીનો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર નવી દિલ્હી અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે. રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય (સ્વતંત્ર હવાલો) તેમજ સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલે 19 ડિસેમ્બર, 2024ના રોજ…
  • સૌથી મુશ્કેલ પરીક્ષા પાસ કરીને પટાવાળો તેની જ ઓફિસમાં ઓફિસર બન્યો
    • શૈલેન્દ્ર કુમાર બાંધે સીજીપીએસસી ક્લિયર કર્યું • ચાર નિષ્ફળતાઓ પછી સફળતા મળી • સીજીપીએસસી ઓફિસમાં પટાવાળા તરીકે કામ કરતો હતો • માતા-પિતાને સફળતાનો શ્રેય આપ્યો રાયપુર કહેવાય છે કે જ્યાં ઈચ્છા હોય ત્યાં રસ્તો હોય છે. આવો જ એક કિસ્સો છત્તીસગઢની રાજધાની રાયપુરમાં સામે આવ્યો છે. છત્તીસગઢ પબ્લિક સર્વિસ…