Spread the love
  • તૃણમૂલ કોંગ્રેસના કોંગ્રેસમાં વિલયની અટકળો તેજ, મમતા-સોનિયા મુલાકાતથી રાજકીય ચર્ચાઓ ગરમાઈ
    બંગાળના રાજકારણમાં નવા સમીકરણોની ચર્ચા, વિલય અંગે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી એસવીએન,નવી દિલ્હી પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને કોંગ્રેસ વચ્ચે સંભવિત વિલયની અટકળોએ જોર પકડ્યું છે. વિવિધ મીડિયા અહેવાલો અને રાજકીય સૂત્રોના દાવા મુજબ, તાજેતરમાં તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી Mamata Banerjee તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા…
  • મમતા બેનર્જીને મોટો રાજકીય ઝટકો? 20 TMC સાંસદોએ NDAને સમર્થન આપ્યાનો દાવો
    કાકોલી ઘોષ દસ્તીદારના નિવેદનથી બંગાળના રાજકારણમાં ગરમાવો, બળવાખોર સાંસદોના નામ હજુ ગુપ્ત એસવીએન,કોલકાતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક વિખવાદ વધુ ઘેરો બનતો જોવા મળી રહ્યો છે. પક્ષના વરિષ્ઠ સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે દાવો કર્યો છે કે ટીએમસીના આશરે 20 લોકસભા સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ…
  • અશોક ગેહલોતનો મોટો દાવો: કોંગ્રેસ અધ્યક્ષ પદ મામલે ફરી ‘ષડયંત્ર’ની ચર્ચા
    નવી દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી એકવાર એવો દાવો કર્યો છે કે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના હતા, પરંતુ પાર્ટીના આંતરિક “આયોજિત ષડયંત્ર”ના કારણે તેમનું નામ અંતિમ ક્ષણે બદલાઈ ગયું હતું. તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે. અધ્યક્ષ પદ માટે…
  • ‘સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો, અમને નહીં’: જંતર-મંતરથી અભિજિત દીપકેનો સરકારને પડકાર
    NEET પેપર લીક મુદ્દે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ તેજ; સોનમ વાંગચુકે પણ આંદોલનને આપ્યું સમર્થન નવી દિલ્હી NEET પેપર લીક અને દેશની શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓના મુદ્દે રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. દિલ્હી…
  • મમતાની શક્તિપ્રદર્શન બેઠકમાં નબળી હાજરી, 41માંથી માત્ર 5 સાંસદો જ પહોંચતા ટીએમસીમાં વધતી નારાજગીના સંકેત
    ધારાસભ્યો અને પૂર્વ જનપ્રતિનિધિઓનો પણ મર્યાદિત પ્રતિસાદ; બેઠક બાદ પક્ષની આંતરિક સ્થિતિને લઈને અટકળો વધુ તેજ કોલકાતા તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) માટે હાલનો સમય પડકારોથી ભરેલો હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. પક્ષ પ્રમુખ મમતા બેનરજી દ્વારા બોલાવવામાં આવેલી મહત્વપૂર્ણ બેઠકમાં સાંસદો, ધારાસભ્યો અને પૂર્વ જનપ્રતિનિધિઓની ઓછી હાજરીએ રાજકીય વર્તુળોમાં…
  • CBSEના રી-વેલ્યુએશન પોર્ટલ પર સાયબર હુમલો, 2 મિનિટમાં 15 લાખ હિટ્સ; ફાઈલો એક્સેસ કરવાનો પ્રયાસ નિષ્ફળ
    સાયબર સુરક્ષા ટીમની સતર્કતાથી હુમલાઓ નિષ્ફળ, હજારો વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક અરજી કરી એસવીએન,નવી દિલ્હી  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના રી-વેલ્યુએશન પોર્ટલ પર મોટા પાયે સાયબર હુમલાનો પ્રયાસ થયો હોવાની માહિતી સામે આવી છે. બોર્ડના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ દ્વારા પુનઃમૂલ્યાંકન માટે ઓનલાઈન અરજીઓ કરવામાં આવી રહી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ…
  • ભાજપને ભારે પડશે અન્નામલાઈની નારાજગી? તમિલનાડુના રાજકારણમાં નવા સમીકરણોના સંકેત
    નવી પાર્ટીની અટકળો વચ્ચે દિલ્હીમાં વ્યસ્ત બેઠકો, AIADMK સાથેના ગઠબંધનથી અસંતોષ હોવાની ચર્ચા એસવીએન,ચેન્નાઈ તમિલનાડુના પૂર્વ BJP પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈ ફરી એકવાર રાજ્યના રાજકીય કેન્દ્રબિંદુ બન્યા છે. નવી રાજકીય પાર્ટીની સંભાવનાઓ અને ભાજપ છોડવાની અટકળો વચ્ચે અન્નામલાઈની તાજેતરની રાજકીય ગતિવિધિઓએ રાજ્યના રાજકારણમાં નવા સમીકરણોની ચર્ચા તેજ કરી છે. ચેન્નાઈ…
  • મમતા બેનરજીના બળવાખોરો સામે કડક પગલાં, બે ધારાસભ્યો TMCમાંથી સસ્પેન્ડ
    ચૂંટણીમાં પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક અસંતોષ તેજ; ગેરહાજર ધારાસભ્યોને લઈને પણ વધ્યા સવાલો કોલકાતા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મળેલા નિરાશાજનક પરિણામો બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક ખેંચતાણ અને અસંતોષ ખુલ્લેઆમ સામે આવવા લાગ્યો છે. પક્ષના અનેક નેતાઓ અને કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે, જ્યારે કેટલાક નેતાઓએ પક્ષ છોડીને…
  • દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની તૈયારીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’
    6 જૂને દિલ્હી પહોંચશે અભિજીત દીપકે, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગને લઈને આંદોલનનાં સંકેત એસવીએન,નવી દિલ્હીસોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) હવે દિલ્હીમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવા જઈ રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને CJPના સ્થાપક અભિજીત દીપકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર…
  • દિલ્હીમાં આઈએસઆઈના નવ એજન્ટની હથિયારો-વિસ્ફોટકો સાથે ધરપકડ
    પકડાયેલા આતંકીઓના તાર દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયાની આશંકા, દેશના સંવેદનશીલ વિસ્તારોમાં અંધાધૂધી ફેલાવવાનું કાવતરું નિષ્ફળ નવી દિલ્હી દેશની રાજધાની દિલ્હીને અસ્થિર કરવાના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના એક મોટા અને ઘાતક કાવતરાને દિલ્હી પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે ISIના 9 આતંકીઓની ધરપકડ કરી છે, જેના તાર મુંબઈ અંડરવર્લ્ડ અને કુખ્યાત ડોન…