અમદાવાદ
હીરામણિ ગુજરાતી માધ્યમમાં રંગમંચ પર ધોરણ, 1 થી ધોરણ 12 સુધીના 1500 જેટલા વિદ્યાર્થીઓએ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ‘સમયચક્ર’માં ભાગ લીધો હતો. જેમાં ચારેય યુગના અવતારોની ઝાંખી રજૂ થઈ હતી.તેમા થીમ પ્રમાણે જુદા જુદા ધોરણનાં વિદ્યાર્થીઓએ સતયુગ, દ્વાપરયુગ ,ત્રેતા યુગ, કલયુગ જેવા વિષયોમાં પોતાની પ્રસ્તુતિ આપી હતી. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓએ રજૂ કરેલ યોગા પ્રેક્ષકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને આ ઉપરાંત અન્ન નું મહત્વ, મોબાઈલ, રામાયણ, હનુમાન ચાલીસા, પ્રેરણા ગીત, કલકી અવતાર ,ગીતા ઉપદેશ ,પદ્માવતીનું આત્મ સમર્પણ,”જીવનની યહી કહાની’ સુંદર નાટકની પ્રસ્તુતિ તથા ગુજરાતી લોકસાહિત્યની રમઝટ બોવતો’ મેર રાસ’ રજૂ થયા હતા.

