ગોપાલ સ્નેક્સે CSR બજેટ બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવાની મંત્રૌષધિ સુવર્ણપ્રાશન મૂવમેન્ટને સમર્પિત કર્યું

આ CSR પહેલ સાથે, ગોપાલ સ્નેક્સ કંપની, બાળકો માટે સ્વસ્થ ભવિષ્યનું નિર્માણ કરવા માટે એક ઉમદા પ્રયાસમાં રોકાણ કરી રહી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવાનો, પાચનમાં મદદ કરવાનો તેમજ સમગ્ર શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવાનો છે રાજકોટ:  ભારતમાં સંગઠિત પરંપરાગત નાસ્તા ક્ષેત્રે અગ્રણી, ગોપાલ સ્નેક્સ લિમિટેડ કંપનીએ તેના CSR(કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) બજેટનો 100 ટકા હિસ્સો “મંત્રૌષધિ સુવર્ણપ્રાશન મૂવમેન્ટ” માટે…

મિરાજ ગ્રુપ 1 કરોડ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ સાથે હરિયાળા ભવિષ્ય માટે પ્રતિબદ્ધ

ઉદયપુર, નાથદ્વારા મિરાજ ગ્રુપે આજે એક મહત્વાકાંક્ષી વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેમાં 1 કરોડ વૃક્ષો વાવવાનું વચન આપ્યું હતું. આ પહેલનો હેતુ વૃક્ષ સંરક્ષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે ગ્રીન કવર વધારવાનો છે. કંપનીએ લીમડો, અમલતાસ, પીપલ, ઉમર અને ગુલમહોર જેવા 5 કરોડ બીજ અને છોડનું આયોજન કર્યું…

બજાજ ફિનસર્વ મહારાષ્ટ્રમાં રૂ. 5,000 કરોડનું રોકાણ કરશે

પૂણે ભારતના અગ્રણી અને સૌથી વધુ વૈવિધ્યસભર નાણાંકીય સેવા જૂથોમાંના એક બજાજ ફિનસર્વ લિમિટેડે આજે પુણેમાં રૂ. 5000 કરોડનો પ્રોજેક્ટ વિકસાવવા માટે મહારાષ્ટ્ર સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે, જે દેશમાં સૌથી મોટા નાણાંકીય સેવાના રોકાણોમાંનું એક છે. મહારાષ્ટ્રના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને બજાજ ફિનસર્વના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર સંજીવ…