વારાણસીથી અયોધ્યા જતી બસ ખાડામાં પલટી જતાં 32 લોકોને ઈજા

Spread the love

બસમાં મધ્યપ્રદેશના શિવપુરીના મુસાફરો સવાર હોવાનો દાવો

વારાણસી

વારાણસીથી અયોધ્યા ધામ જઇ રહેલી દર્શનાર્થીઓથી ભરેલી એક બસ ત્રિલોચન મહાદેવ નજીક ભવનાથપુર ગામ નજીક બેકાબૂ થઈ જતાં ખાડામાં પલટી ગઇ હતી. આ દુર્ઘટના રવિવારે રાતે લગભગ એક વાગ્યે સર્જાઈ હતી. 

માહિતી અનુસાર આ બસ વારાણસીથી ઉપડી હતી અને તેમાં 66 મુસાફરો સવાર હતા. જેમાંથી 32 લોકો ઘવાયા હતા. બસમાં મધ્યપ્રદેશના શિવપુરીના મુસાફરો સવાર હોવાનો દાવો કરાયો છે. દુર્ઘટનામાં પાંચ લોકોની હાલત ગંભીર જણાવાઇ રહી છે જેમને બીએચયુ ટ્રોમા સેન્ટર ખાતે રિફર કરાયા હતા. બાકી અન્ય ઘાયલોને જોનપુરની જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *