હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં જસ્ટિસ ઓન ટ્રાયલ સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજાયો

અમદાવાદ હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં જસ્ટિસ ઓન ટ્રાયલ નામની કાનુની સલાહ આપતી સંસ્થા દ્વારા હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)ના વડીલોને વસિયતનામું, સીનીયરને લગતા કાયદા વગેરે બાબતોએ ઝીણવટપૂર્વક સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ધારાશાસ્ત્રી કાર્તિક રાવલ, વકીલ સવાણી સાહેબ વગેરેએ ઉપસ્થિત રહી કાનૂની માર્ગદર્શન આપ્યું હતું.