ધીરુભાઇ અંબાણી વિષે પરિમલ નથવાણી લિખિત ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પુસ્તકોનું મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે લોકાર્પણ

————————————————————————————————— માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અતિથિ વિશેષ તરીકેની પ્રેરક ઉપસ્થિતિ ————————————————————————————————————– રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા લિખિત પુસ્તક ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’નું ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આજ રોજ ગાંધીનગરમાં રાજભવનમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અતિથિ વિશેષ તરીકેની ઉપસ્થિતિએ આ ગ્રંથપ્રાગટ્ય સમારંભને…