દિલ્હીમાં જીઆરએપીના સ્ટેજ III ને લાગુ કરવા સૂચના

Spread the love

બિનજરૂરી નિર્માણકાર્યો પર બેન મૂકી દેવામાં આવ્યો

નવી દિલ્હી

મંગળવારની શરૂઆતથી દિલ્હી-એનસીઆરમાં સ્મોગવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન એવું હતું કે લોકોને આંખોમાં બળતરાં થવા લાગ્યા હતા. તેને જોતાં જ વહીવટીતંત્ર એલર્ટ થઇ ગયું હતું. કમિશન ફોર એર ક્વોલિટી એન્ડ મેનેજમેન્ટ (સીએક્યુએમ) એ ગુરુવારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરએપી) ના સ્ટેજ III ને લાગુ કરવા સૂચના આપી હતી. દિલ્હીમાં એક્યુઆઈ 402 પર પહોંચી જતાં ગેસ ચેમ્બર જેવો અહેસાસ થઈ રહ્યો છે. બિનજરૂરી નિર્માણકાર્યો પર બેન મૂકી દેવામાં આવ્યો છે.  

આ સિવાય સીએક્યુએમ એ દિલ્હી સરકાર અને એનસીઆરના અન્ય શહેરોના વહીવટીતંત્રને આગામી થોડા દિવસો માટે બાળકોની શાળાઓ બંધ રાખવા અને માત્ર ઓનલાઈન વર્ગો ચલાવવાની સલાહ આપી છે. મામલાની ગંભીરતાને જોતા દિલ્હી સરકારે આદેશ જારી કર્યો કે રાજ્યમાં પાંચમા ધોરણના બાળકોના વર્ગો આગામી બે દિવસ સુધી બંધ રખાશે. રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓએ આ આદેશનું પાલન કરવાનું રહેશે. કેજરીવાલ સરકારે વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લીધો છે.

આ ઉપરાંત દિલ્હીમાં પ્રદૂષણનો સામનો કરવા માટે જીઆરએપી-III ના અમલીકરણ પછી દિલ્હી મેટ્રો (ડીએમઆરસી) તેના નેટવર્કમાં 3 આજથી 20 વધારાની ટ્રિપ્સ ઉમેરવા જઈ રહી છે. જીઆરએપી-II ફેઝ 25 ઓક્ટોબરથી લાગુ થયા બાદ દિલ્હી મેટ્રો સોમવારથી શુક્રવાર સુધી 40 વધારાની ટ્રેનો દોડાવી રહી છે. એ જ રીતે શુક્રવારથી, ડીએમઆરસી દિલ્હી-એનસીઆરમાં વધુ લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે 60 વધારાની ટ્રિપ્સ (40+20) ચલાવાશે.

પ્રદૂષણના ખતરનાક સ્તરને જોતા ગુરુગ્રામના ડીએમએ પણ કચરો બાળવા પર કલમ ​​144 લાગુ કરી છે. જિલ્લામાં એક્યુઆઈ માં ઘટાડો અને શહેરમાં ઉચ્ચ સ્તરના પ્રદૂષણની અસરને ધ્યાનમાં રાખીને, ડીએમ નિશાંત કુમાર યાદવે કલમ 144 લાગુ કરવાના આદેશો જારી કર્યો હતો. જેમાં ઔદ્યોગિક, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ખુલ્લામાં પડેલા કચરાને બાળવા પર પ્રતિબંધ મૂક્યો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *