હીરામણિ સ્કૂલના કેમ્પસમાં ગુંજ્યા ‘જય રણછોડ’ના નારા: કે.જી. વિભાગના ભૂલકાંઓએ હોંશે-હોંશે યોજી રથયાત્રા

બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવા અને સર્જનાત્મકતા ખીલવવા શિક્ષકો અને નાનકડા ભૂલકાંઓએ સાથે મળીને સુંદર રથ તૈયાર કર્યો; સમગ્ર વિશ્વની સુખાકારી માટે પ્રાર્થના કરી અમદાવાદ: અષાઢી બીજના પવિત્ર પર્વ અને જગતના નાથ ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા નિમિત્તે અમદાવાદની જાણીતી હીરામણિ સ્કૂલના કે.જી. વિભાગ (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ)ના ભૂલકાંઓ દ્વારા શાળા કેમ્પસમાં જ સુંદર રથયાત્રાનું આયોજન…