સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં અમદાવાદના 523 વિદ્યાર્થી પાસ થયા
સમગ્ર ભારતમાં 1,03,517 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 25,860 વિદ્યાર્થીઓ પાસ થયા અમદાવાદધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા જૂન, 2023માં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં. જૂન 2023માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ 2277 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 523 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે 22.97ની…
