રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પૂરી રથયાત્રામાં શ્રદ્ધાળુઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે ‘પૂરી રથયાત્રા સેવા’નો પ્રારંભ

લાખો ભક્તો માટે વિનામૂલ્યે અન્ન સેવા, 50 કિમીના માર્ગ પર 90 પોલીસ સહાય કેન્દ્રો અને ટેક-આધારિત સંકલન સાથે રિલાયન્સે વહીવટીતંત્રને આપ્યું મજબૂત સમર્થન. ભુવનેશ્વર: ૧૬ જુલાઈ, ૨૦૨૬થી જગન્નાથપૂરીમાં શરૂ થઈ રહેલી ઐતિહાસિક અને પવિત્ર રથયાત્રામાં દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ મહાપર્વમાં ભક્તોની યાત્રા સુરક્ષિત, સરળ અને સુવ્યવસ્થિત બને તે હેતુથી રિલાયન્સ ફાઉન્ડેશન…

80 હિપ્પોને મૃત્યુથી બચાવવા અનંત અંબાણીની કોલંબિયાને અપીલ,

વનતારામાં આજીવન આશ્રય આપવાની ઓફર વનતારાના સ્થાપકે કોલંબિયા સરકારને ઔપચારિક વિનંતી કરી, 80 પ્રાણીઓને સુરક્ષિત રીતે પકડી, સ્થળાંતર કરવા અને આજીવન સંભાળ પૂરી પાડવા માટે વૈજ્ઞાનિક, કાર્યાન્વિત અને નાણાકીય સહાયની ઓફર કરી જામનગર કોલંબિયાની મેગડાલેના નદીના પટમાં રહેતા 80 હિપ્પોપોટેમસને મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને વિશ્વના સૌથી મોટા વન્યજીવ બચાવ, સંભાળ અને સંરક્ષણ કેન્દ્રોમાં સ્થાન…

અનંત અંબાણીને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે પ્રદાન બદલ ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડ એનાયત

પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર અનંત અંબાણી સૌથી યુવા અને પ્રથમ એશિયન વોશિંગ્ટન, ડીસી અમેરિકન હ્યુમેન સોસાયટીની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ, અમેરિકાની સૌથી જૂની નેશનલ હ્યુમેન ઓર્ગેનાઇઝેશન અને પ્રાણી કલ્યાણ ક્ષેત્રે સૌથી મોટી પ્રમાણકર્તા સંસ્થાન એવી ગ્લોબલ હ્યુમેન સોસાયટીએ વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર ‘વનતારા’ના સ્થાપક અનંત અંબાણીને પ્રાણી કલ્યાણ માટે ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડ એનાયત કર્યો છે.  અંબાણી આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર અત્યાર સુધીના સૌથી યુવાન અને પ્રથમ એશિયન છે. આ એવોર્ડ તેમને વન્યજીવન સંરક્ષણ અને પ્રાણી કલ્યાણ માટે પ્રતિબદ્ધ આગેવાનોને એક મંચ પર સાથે લાવનાર એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં એનાયત કરવામાં આવ્યો હતો. પ્રાણી કલ્યાણ અને તેમના સંરક્ષણના ક્ષેત્રમાં વિશ્વભરમાં સૌથી અગ્રણી વૈશ્વિક સન્માનોમાંનો એક ગણાતો આ એવોર્ડ  અંબાણીના વાસ્તવિક પુરાવા આધારિત કલ્યાણ કાર્યક્રમો, વિજ્ઞાન આધારિત સંરક્ષણની પહેલો અને વિશ્વભરમાં વિલુપ્તીની આરે પહોંચેલી પ્રજાતિઓના રક્ષણ માટેના સતત પ્રયાસોમાં તેમની આગેવાનીને બિરદાવે છે. આ એવોર્ડ એવી વ્યક્તિઓને આપવામાં આવે છે જેમની આજીવન પ્રતિબદ્ધતાએ પ્રાણીઓ અને લોકો બંને માટે પરિવર્તનકારી વૈશ્વિક અસર ઊભી કરી છે. ગ્લોબલ હ્યુમેન સોસાયટીએ અંબાણીની વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાની સ્થાપનામાં તેમની દીર્ઘદૃષ્ટિવાળી આગેવાની માટે પસંદગી કરી છે, જેણે મોટા પાયે બચાવ, પુનર્વસન અને પ્રજાતિ સંરક્ષણની શક્યતાઓને ફરીથી આલેખી છે. પશુ કલ્યાણ માટેની તેમની કરુણા, ઉત્કટતા અને અનન્ય સમર્પણ તેમને ભૂતકાળના સન્માનિત મહાનુભાવોની વિશિષ્ટ શ્રેણીમાં સ્થાન આપે છે અને તેમનું કાર્ય માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંરક્ષણના ભવિષ્યને આકાર આપી રહ્યું છે.

અનંત અંબાણી અને મરે ઓકિનક્લોસે જિયો વર્લ્ડ સેન્ટર (જેડબ્લ્યૂસી), બીકેસી, મુંબઈ ખાતે જિયો-બીપીનું 500મું ઇવી ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્દઘાટન કર્યું, ભારતમાં જિયો-બીપીના 5000 ચાર્જિંગ પોઇન્ટ્સ થયા

ભારતના નિર્ણાયક ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણની આગેવાની • જિયો-બીપી પલ્સે 500 ચાર્જિંગ સ્ટેશન પર 5,000 ચાર્જિંગ પોઈન્ટનું ઈન્સ્ટોલેશન પૂર્ણ કર્યું • ટોચની 480 KW પબ્લિક ચાર્જર શ્રેણીનો સમાવેશ થાય છે તેવા ભારતમાં અન્ય કોઈપણ ચાર્જિંગ સર્વિસ પ્રોવાઇડરની સરખામણી કરીએ તો જિયો-બીપી તેના નેટવર્કમાં ફાસ્ટ-ચાર્જિંગ સ્ટેશનનું સૌથી વધુ 95% પ્રમાણ ધરાવે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ના ડાયરેક્ટર અનંત…