સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી પહોંચી 134.28 મીટરે: ડેમ 85.49% ભરાયો

નર્મદા ડેમના જળસ્તરમાં સતત વધારો: છેલ્લા 24 કલાકમાં સપાટી 7 સે.મી. વધી મુખ્ય અંશ: અમદાવાદ: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના જળભંડારમાં સતત વધારો થઈ રહ્યો છે. તારીખ ૨૫ ઓગષ્ટ ૨૦૨૬ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકની સ્થિતિ અનુસાર, નર્મદા ડેમની જળસપાટી ૧૩૪.૨૮ મીટરે પહોંચી ગઈ છે, જે તેની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટરથી માત્ર થોડે…

અમેરિકાના રોબિન્સવિલે સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

‘અક્ષરધામમાં ભારતની સંસ્કૃતિ પણ એટલી જ વાઇબ્રન્ટ છે’: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રોબિન્સવિલે, ન્યુ જર્સી: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવાર, 22 ઓગસ્ટ 2026ના રોજ અમેરિકાના ન્યુ જર્સીના રોબિન્સવિલે સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે અક્ષરધામ દ્વારા ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતના પ્રસાર, સમાજસેવા અને સ્વયંસેવકોના નિઃસ્વાર્થ સમર્પણની પ્રશંસા કરી હતી. પુષ્પહારથી મુખ્યમંત્રીનું…

ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ 13 આરોપી ઝડપાયા, કુલ ધરપકડનો આંકડો 27

મધ્ય પ્રદેશથી નકલી દારૂનું રો-મટીરિયલ સપ્લાય કરનાર મુખ્ય આરોપી આનંદ છાડી પણ SMCના હાથે ઝડપાયો; 13 લોકોના મોત બાદ સપ્લાય નેટવર્કની તપાસ તેજ ભાવનગરભાવનગર લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ તપાસનો દાયરો વધુ વિસ્તારીને 13 આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી સાથે સમગ્ર કેસમાં SMC દ્વારા ઝડપાયેલા આરોપીઓની સંખ્યા વધીને 27 થઈ છે. તપાસમાં મધ્ય…

ઓખા ખાતે ICGS ‘મીરા બહેન’ને પૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે વિદાય

બે દાયકાથી વધુ સમય સુધી દરિયાઈ સુરક્ષામાં આપેલી શાનદાર સેવા બાદ ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજનું ડિકમિશનિંગ ઓખા: સૂર્યાસ્તની ગૌરવપૂર્ણ પળોમાં ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજ ICGS મીરા બહેનને ઓખા પોર્ટ ખાતે પૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે ડિકમિશન કરવામાં આવ્યું. પરંપરાગત અને ગૌરવપૂર્ણ સમારોહમાં જહાજે બે દાયકાથી વધુ સમય સુધી દેશની દરિયાઈ સરહદો અને રાષ્ટ્રીય હિતોની સુરક્ષા…

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે ગેરવર્તણૂક મામલે સરકારનો કડક નિર્ણય

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે કરી ટેલિફોનિક વાતચીત; ન્યાય અને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે થયેલી ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સન્માન અને અધિકારોના રક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ…

જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂા. ૪૩૦૦.૦૪ લાખના ૧૨૯૬ વિકાસ કામોને મંજૂરી

પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષસ્થાને બેઠક; વિકાસકામોમાં ગુણવત્તા, સમયમર્યાદા અને નિયમિત નિરીક્ષણ પર ભાર ભરૂચ: જિલ્લા આયોજન ભવન ખાતે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ વિભાગના અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળ તથા ટ્રાયબલ સબ-પ્લાન કચેરી હેઠળ આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળની…

ભરૂચમાં 4 હજારથી વધુ વિદ્યાર્થીઓ ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાયા

દિકરીના ઘરે પહોંચી પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરીયાએ માતાને સમજાવ્યું શિક્ષણનું મહત્વ, હિરલબેનનો પુનઃ શાળામાં પ્રવેશ કરાવ્યો ભરૂચ : રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ અભિયાન’ અંતર્ગત ‘સમરસ સેતુ વિદ્યા અભિયાન’ હેઠળ ભરૂચ જિલ્લામાં શિક્ષણ વિભાગને મોટી સફળતા મળી છે. વિવિધ કારણોસર ધોરણ 1થી 12 વચ્ચે અભ્યાસ છોડી ચૂકેલા 4,000થી વધુ દીકરા-દીકરીઓને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે…

સરદાર સરોવર નર્મદા ડેમમાં 86.87 ટકા જળસંગ્રહ, કુલ 50,415 ક્યુસેક પાણીની જાવક

ડેમની સપાટી 134.70 મીટરે પહોંચી, નદીમાં 43,260 ક્યુસેક અને કેનાલમાં 7,155 ક્યુસેક પાણી છોડાયું નર્મદા સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ કુલ જળસંગ્રહ 86.87 ટકા નોંધાયો છે. 20 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 5 વાગ્યે ડેમની હાલની જળસપાટી 134.70 મીટર નોંધાઈ હતી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમમાંથી નદી અને કેનાલમાં મળીને કુલ 50,415 ક્યુસેક પાણી…

રાજ્યભરમાં રેસ્ટોરન્ટ્સ સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી

૧૮૭ રેસ્ટોરન્ટ્સમાં આકસ્મિક તપાસ: ૧૩૭ બંધ, ૬ સીલ; ૪૦ને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ગાંધીનગર: રાજ્યમાં નાગરિકોના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેસ્ટોરન્ટ્સ અને ખાદ્ય સંસ્થાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર ખાતે તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ…

શ્રાવણમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી

‘પૂજા ઘી’ અને નકલી ડેરી પ્રોડક્ટ્સથી સાવધ રહેવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની નાગરિકોને અપીલ ગાંધીનગર શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં નાગરિકોને શુદ્ધ અને સાત્વિક ખાદ્યસામગ્રી મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગે ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને ‘પૂજા માટેનું ઘી’ સહિત નકલી ડેરી પ્રોડક્ટ્સથી સાવચેત રહેવાની અપીલ કરી…

‘સ્વાગતમ્ કૃષ્ણ 2026’ : ઇસ્કોન સમગ્ર ગુજરાતમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો આધ્યાત્મિક સંદેશ પહોંચાડશે

ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે 23થી 28 ઓગસ્ટ સુધી ઝુલન મહોત્સવ, 4 સપ્ટેમ્બરે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ; અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં આધ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અમદાવાદ ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના આધ્યાત્મિક સંદેશને મંદિરની બહાર સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાના હેતુથી…

ભાવનગરમાં નકલી દારૂકાંડ: ત્રણનાં મોત, 17 સારવાર હેઠળ

ડુપ્લિકેટ ‘રોયલ સ્ટેગ’ના સેવનથી દુર્ઘટના; 4 બુટલેગર ઝડપાયા, SPની અપીલ- દારૂ પીધો હોય તો તાત્કાલિક હોસ્પિટલમાં તપાસ કરાવો ભાવનગર: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં ડુપ્લિકેટ દારૂ પીવાના કારણે ગંભીર ઘટના સામે આવી છે. 16 ઓગસ્ટની રાત્રે વાડી વિસ્તારમાં યોજાયેલી દારૂની પાર્ટી બાદ અનેક લોકોની તબિયત લથડી હતી. બનાવમાં અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિઓનાં મોત થયા…

ગર્ભપાતની ગોળીઓ ખાધા પછી પણ મહિલા થઇ ગર્ભવતી: ડૉક્ટરો પણ ચોંકી ગયા, સામે આવ્યું આશ્ચર્યજનક સત્ય

અનિચ્છનીય ગર્ભપાત માટે મહિલાએ લીધી હતી દવા, અલ્ટ્રાસાઉન્ડમાં ખુલાસો થતા હોશ ઊડી ગયા નવી દિલ્હી અનિચ્છનીય ગર્ભ ધારણ કર્યા બાદ ઘણી મહિલાઓ ઘરે જ ગર્ભપાતની કિટ (Abortion Pills) નો ઉપયોગ કરતી હોય છે. પરંતુ આ પ્રકારની દવાઓ હંમેશાં ડૉક્ટરની સલાહ અને દેખરેખ વગર લેવી અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તાજેતરમાં ગાયનેકોલોજિસ્ટ ડૉ. શિલ્પી સિંહની…

એકતા અને ‘વિકસિત ભારત ૨૦૪૭’નો બુલંદ સૂર

ના જ્ઞાતિવાદ, ના પ્રાંતવાદ, ના ભાષાવાદ; માત્ર રાષ્ટ્રવાદ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ : પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરીયા ઝઘડિયા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી; તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ અને માનવતાવાદી સેવા આપનાર વ્યક્તિઓનું સન્માન, વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક અર્પણ ભરૂચ ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે દેશભક્તિસભર વાતાવરણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો…

કર્ણાવતી મ્યુનિસિપલ કતલખાનું કાયમી બંધ કરવાની VHPની માગ, ધાર્મિક પર્વો દરમિયાન પણ બંધ રાખવા રજૂઆત

શ્રાવણ માસ અને ગણેશોત્સવ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદનું મહાનગરપાલિકા સમક્ષ આવેદનપત્ર; ઈસનપુરમાં માંસ ફેંકવાની ઘટનાને ગંભીર ગણાવી કાયદેસરની કાર્યવાહીની માગ અમદાવાદકર્ણાવતી મહાનગરમાં મ્યુનિસિપલ કતલખાનાને કાયમી ધોરણે બંધ કરવાની માંગ ઉઠી છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા કણૉતરી મહાનગરપાલિકાના મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આવેદનપત્ર પાઠવી આ માંગ કરવામાં આવી છે. શ્રાવણ માસ, શ્રી ગણેશોત્સવ તથા…

પોરબંદરમાં ભારતીય નૌકાદળના બેન્ડે દેશભક્તિના સૂર રેલાવ્યા

સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે બિરલા હોલ ખાતે ભારતીય નૌકાદળના બેન્ડનું ભવ્ય પ્રદર્શન પોરબંદર દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીની પૂર્વભૂમિકામાં પોરબંદરના બિરલા હોલ ખાતે ભારતીય નૌકાદળના બેન્ડ દ્વારા ભવ્ય સંગીત કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય નૌકાદળના બેન્ડે દેશભક્તિથી ભરપૂર મનમોહક ધૂનો રજૂ કરી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સંગીત, દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવના અનોખા સંગમ સમાન આ…

સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ: જળસપાટીમાં સતત વધારો, સંગ્રહ ક્ષમતા 82%ને વટાવી

નર્મદા ડેમની વર્તમાન સ્થિતિ: પાણીની આવક વધતા જળસપાટી ૧૩૩.૪૭ મીટરે પહોંચી અમદાવાદ: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક સારી એવી થઈ રહી છે, જેના કારણે છેલ્લા ૨૪ કલાકમાં જ ડેમની સપાટીમાં ૨૧ સે.મી.નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જળસપાટી અને સંગ્રહના મુખ્ય આંકડાઓ તારીખ…

AI એપની ખોટી સલાહ: ચીનના વૃદ્ધ ખેડૂતની 24 એકર તલની ખેતી રાતોરાત બરબાદ

ટેક્નોલોજી પર આંધળો વિશ્વાસ જીવનભરની મહેનત પાણીમાં ફેરવી શકે છે, જેનું જીવંત ઉદાહરણ ચીનમાં સામે આવ્યું છે યુઝોઉ ચીનના ચુઝોઉ શહેરમાં એક આશ્ચર્યજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. 67 વર્ષીય એક વૃદ્ધ ખેડૂતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એપ પર વધારે પડતો ભરોસો રાખ્યો, જેના કારણે તેમની આખી ખેતી નષ્ટ થઈ ગઈ. AI દ્વારા આપવામાં આવેલા…

નર્મદા જિલ્લાના એકતાનગરના વિસ્તારો ‘NO DRONE ZONE’ જાહેર: સુરક્ષાને લઈને તંત્ર એલર્ટ

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ, તા. ૦૯/૧૦/૨૦૨૬ સુધી જાહેરનામું અમલમાં રહેશે રાજપીપલા, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના પ્રખ્યાત એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) અને તેની આસપાસના વિસ્તારોની સુરક્ષાને વધુ મજબૂત અને ચુસ્ત બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા…

ગીરના એશિયાટિક સિંહોના સંરક્ષણની ગાથા રજૂ કરતી ‘ગીર કી અમૂલ્ય ધરોહર’ ડોક્યુમેન્ટ્રી

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ડોક્યુમેન્ટ્રી રજૂ કરી; સિંહણો, માલધારી સમુદાય અને વનકર્મીઓની ભૂમિકા પર વિશેષ પ્રકાશ અમદાવાદ વિશ્વ સિંહ દિવસ 2026 નિમિત્તે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગીરના એશિયાટિક સિંહોના સંરક્ષણની ઐતિહાસિક યાત્રા રજૂ કરતી ‘ગીર કી અમૂલ્ય ધરોહર’ નામની ડોક્યુમેન્ટ્રી પ્રસ્તુત કરી છે. ડોક્યુમેન્ટ્રીમાં એશિયાટિક સિંહોના સંરક્ષણની સફળ ગાથા, સ્થાનિક સમુદાયોના…