સરથાણા જકાતનાકા પાસે પાણીમાં બે યુવકો તણાયા: એકનો મૃતદેહ મળ્યો, બીજા માટે યુદ્ધના ધોરણે શોધખોળ
રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ઘટનાસ્થળની મુલાકાત લઈ બચાવ કામગીરીની સમીક્ષા કરી સુરત: સુરતના કામરેજ વિધાનસભા વિસ્તાર હેઠળ આવેલા સરથાણા જકાતનાકા આઉટર રીંગ રોડ નજીક પાણીમાં બે યુવકો તણાઈ જવાની દુઃખદ ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ રાજ્યના આરોગ્ય મંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી….
