અમદાવાદની સોલા સિવિલમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’ એક્શન મોડમાં
૭૯ કિલો ઘન કચરાનો નિકાલ, ૧૫૯ બિનઉપયોગી મેડિકલ સાધનો થશે સ્ક્રેપ; દર્દી સુરક્ષા માટે માઇક્રો લેવલે ઝુંબેશ અમદાવાદ રાજ્ય સરકારના ‘નમો સ્વચ્છતા અભિયાન’ને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલમાં સ્વચ્છતા, દર્દી સુરક્ષા અને હોસ્પિટલજન્ય ચેપ રોકવાના હેતુથી…
