છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકોની 5 સપ્ટેમ્બરે પેટા ચૂંટણી

ઝારખંડ, ત્રિપુરા, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમં ચૂંટણી, 8 સપ્ટેમ્બરે મત ગણતરી નવી દિલ્હીચૂંટણી પંચે વિધાનસભાની 7 બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરી દીધી છે. જે રાજ્યોમાં પેટાચૂંટણી યોજાવાની છે, તેમાં ઝારખંડ, ત્રિપુરા, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે 5મી સપ્ટેમ્બરે મતદાન…

રાહુલ ગાંધીને જૂનો સરકારી બંગલો ફરી ફાળવવામાં આવ્યો

બંગલો મળ્યા બાદ તેમને પૂછવામાં આવ્યું કે તમને કેટલી ખુશી થઇ છે ઘર પાછું મળી ગયું છે, ત્યારે તેમણે કહ્યું કે, આખું ભારત મારું ઘર છે નવી દિલ્હીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગઈકાલે લોકસભા સચિવાલયે સદસ્યતા પુનઃસ્થાપિત કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ પછી રાહુલે પોતાના ટ્વિટર હેન્ડલ પર ‘અયોગ્ય સાંસદ’ને…

ગુરૂગ્રામના પાંચ હજાર મુસ્લિમ વેપારીઓ ધંધો બંધ કરીને શહેર છોડી ગયા

હિંસક હુમલાઓથી ડરથી મોટાભાગના મુસ્લિમ વેપારીઓઓને દિલ્હી અને નોઈડા જ્યાં તેમના સંબંધીઓ રહે છે, તેમજ પડોશી રાજ્યોમાં તેમના ગામોમાં ભાગી જવાની ફરજ પડી નૂહહરિયાણાના નૂહ, સોહના અને ગુરુગ્રામમાં ગત જૂલાઈની 31મી તારીખે હિંસા ફાટી નીકળી હતી જેની અસર હવે વેપાર પર પણ દેખાવા લાગી છે. આ હિંસાની અસર અનેક પરિવારો પર પડી છે ત્યારે હવે…

શ્રીકાંત શિંદેએ સંસદમાં હનુમાન ચાલિસાનો પાઠ શરૂ કરી દીધો

શિંદેને રોકવામાં ન આવ્યા ત્યાં સુધી તેઓ હનુમાન ચાલીસા બોલતા રહ્યા, તેમણે લગભગ 30 સેકન્ડ સુધી હનુમાન ચાલીસાનો પાઠ કર્યો નવી દિલ્હીલોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન શિવસેના સાંસદ અને એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે હનુમાન ચાલીસાનો પાઠ કરવા લાગ્યા. ઉપરાંત તેમણે કહ્યું કે, એક સમયે મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વાંચવા પર પ્રતિબંધ હતો. વાસ્તવમાં તેમના…

ગુરૂગ્રામમાં એક માંસની દુકાન પર તોફાનીઓનો પત્થરમારો

ઘટનામાં દુકાનના સંચાલકને ઈજા થઈ, પોલીસે ફરિયાદના આધારે એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી ગુરુગ્રામ ચાર દિવસની હિંસા બાદ અરાજક તત્વો ગુરુગ્રામમાં શાંતિપૂર્ણ વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સોમવારે રાત્રે ફરી એકવખત તોફાની તત્વોએ સેક્ટર પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીઆરપીએફ ચોક પાસે સ્થિત એક માંસની દુકાન પર પથ્થરમારો કર્યો હતો. પીડિતે પોલીસ સ્ટેશનમાં બદમાશો વિરુદ્ધ…

પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીનું બાલ્કનીમાંથી પડતાં મોત

યુવક તેની પ્રેમિકાને મળવા પિત્ઝા ડિલિવરી બોય તરીકે ઘરમાં ઘૂસ્યો હતો પણ યુવતીના પિતા જાગી જતાં બાલ્કનીમાં સંતાવવા જતાં પટકાયો હૈદરાબાદ ગર્લફ્રેન્ડને મળવા માટે મોડી રાત્રે લગભગ 3 વાગ્યા આસપાસ યુવક પહોંચ્યો હતો. જ્યાં છોકરીના ઘરે ત્રીજે માળ ચઢીને તે ગયો હોવાની માહિતી મળી રહી છે. પરંતુ અચાનક કઈક અવાજ થતા તેના પિતા જાગી ગયા…

વિપક્ષ ગઠબંધન પરસ્પર અવિશ્વાસથી પીડાય છેઃ મોદી

અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પહેલા ભાજપના સંસદીય દળની બેઠક પીએમ મોદીની અધ્યક્ષાતામાં યોજાઈ નવી દિલ્હી સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને આજે 14માં દિવસે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત બાદ ફરીથી શરુ કરવામાં આવી છે અને લોકસભામાં અવિશ્વાસ પર ચર્ચા શરુ થઈ છે ત્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પહેલા ભાજપના સંસદીય દળની બેઠક પીએમ મોદીની…

મુંબઈમાં બોમ્બ વિસ્ફોટની ધમકીથી પોલીસ તંત્રમાં ખળભળાટ

પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને કોલ કરનાર આરોપીની ધકપકડ કરી લીધી મુંબઈ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. કોલરે મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી આપતાં મુંબઈ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર મંત્રાલય કંટ્રોલ રૂમમાં આ ધમકી ભર્યો કોલ આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને…

ચાલુ ટ્રેનના મહિલા ડબ્બામાંથી મહિલાને નીચે ફેંકી, આબાદ બચાવ

શરાબના નશામાં ટ્રેનમાં ચઢેલા આરોપીને પોલીસે ધરપકડ કરી મુંબઈ મુંબઈના દાદર રેલવે સ્ટેશન પર 29 વર્ષીય મહિલા યાત્રીને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ત્યાં એક શખ્સે પૂણેથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાંથી મહિલાને નીચે ફેંકી દીધી હતી. આ ઘટના 06 ઓગષ્ટના રોજ રાત્રે લગભગ 8:30 વાગ્યે બની હતી. રેલવે પોલીસે આરોપીની ધરપકડ…

રાજ્યસભામાં મનમોહનસિંહની હાજરી પર રાજકારણ ગરમાયું

સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહેલા 90 વર્ષીય પૂર્વ પીએમ મનમોહન સિંહને પણ ગૃહમાં મતદાન કરવા આવતા સત્તાપક્ષના કોંગ્રેસ પર પ્રહાર નવી દિલ્હી રાજ્યસભામાં ગઈકાલે દિલ્હી સર્વિસ બિલને લઈને હોબાળો થયો હતો, જેમાં અંતે એનડીએ ગઠબંધનનો વિજય થયો હતો એટલે રાજ્યસભામાંથી પણ દિલ્હી સર્વિસ બિલ પાસ થઇ ગયું છે. આ બીલને રોકવા માટે ઈન્ડિયા વિપક્ષી મહાગઠબંધને…

ગેહલોત લોકોની સહાનુભૂતી માટે પદ છોડવાની વાત કરે છે

ગેહલોત સારી રીતે જાણે છે કે જો ચૂંટણી બાદ સરકાર રિપીટ થશે તો ફરી એકવાર પાયલોટ કેમ્પનો પડકાર સામે આવશે જયપુર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે અઠવાડિયામાં બે વખત મુખ્યમંત્રી પદ છોડવાની વાત કરી છે. રાજકીય વિશ્લેષકો ગેહલોતના નિવેદનને સારી રીતે વિચારેલી વ્યૂહરચનાનો ભાગ ગણાવી રહ્યા છે. વિશ્લેષકોનું માનવું છે કે, ચૂંટણી પહેલા આવું નિવેદન આપવું…

2024ની સામાન્ય ચૂંટણી દેશમાં લોકશાહી રહેશે કે નહીં તે નક્કી કરશેઃ સ્ટાલિન

લોકશાહીના કારણે જ ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધનએ પોતાનો અવાજ ઉઠાવવાનું શરૂ કર્યુઃ તમિલનાડુના મુખ્યમંત્રી ચેન્નાઈ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ગઈકાલે ચેન્નઈમાં 2024ની સામાન્ય ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો હતો. સ્ટાલિને કહ્યું કે 2024ની સામાન્ય ચૂંટણી નક્કી કરશે કે દેશમાં લોકશાહી રહેશે કે નહીં. તમિલનાડુના સીએમએ કહ્યું કે લોકશાહીના કારણે જ ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધનએ પોતાનો…

મણિપુર હિંસા મામલે સુપ્રીમ હાઈકોર્ટનાં 3 પૂર્વ મહિલા જજની સમિતિ બનાવશે

આ કમિટી તપાસ, રાહત કાર્યો, સારવાર, વળતર, પુર્નવસન વગેરે કામો પર નજર રાખશે, ન્યાયમૂર્તિ ગીતા મિત્તલ ત્રણ પૂર્વ જજોની સમિતિની અધ્યક્ષતા કરશે નવી દિલ્હીમણિપુરમાં છેલ્લા ઘણા મહિનાઓથી હિંસાઓ ચાલી રહી છે અને હજુ પણ હિંસા થમવાનું નામ લેતી નથી, ત્યારે આજે સુપ્રીમ કોર્ટે જાતીય હિંસા સંબંધીત અરજી અંગે સુનાવણી હાત ધરી હતી. સરકાર તરફથી હાજર…

રાજસ્થાન પોલીસની 354 ટીમના દરોડામાં 764 આરોપી ઝડપાયા

764માંથી 179 ગુનેગારો કાયમી વોરંટ, ઈનામી ગુનેગારો અને ધરપકડ વોરંટમાં વોન્ટેડ છે, 1575 પોલીસ અધિકારીઓ અને જવાનોએ 1462 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યાબીકાનેરરાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના આદેશ બાદ બીકાનેર રેંજમાં ફરી ગુનેગારો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે એક જ દિવસમાં જુદા જુદા ગુનાઓમાં 764 ગુનેગારોને દબોચી લીધા છે. આઈજી ઓમપ્રકાશે જણાવ્યું કે, રેંજના…

બોમ્બ વિસ્ફોટની ધમકી આપનારો યુટ્યુબર પુંડુચેરીથી ઝડપાયો

હજુ એ જાણવાનું બાકી છે કે ધરપકડ કરાયેલો યુવક જતીન પ્રજાપતિ (19)એ શા માટે કોલ કર્યા હતા મુંબઈ  શુક્રવારે મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટના ધમકીભર્યા કોલ કરવા બદલ પુડુચેરીમાંથી એક યુટ્યુબરની ધરપકડ કરવામાં આવી છે. ફોન કરનારે પોતાને ફક્ત ‘પરીખ’ તરીકે ઓળખાવ્યો હતો, તેણે બપોરે 3.30થી 9 વાગ્યાની વચ્ચે બંને એરપોર્ટને ઉડાવી દેવાની…

હરિયાણામાં બૂલડોઝર કાર્યવાહી પર હાઈકોર્ટની રોક

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે જાતે જ સુઓ મોટો હાથ ધરી હતી અને પછી આ ચુકાદો આપતાં બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી નૂહ હરિયાણાના નૂહ, મેવાત સહિત વિવિધ વિસ્તારોમાં ભડકેલી હિંસા બાદ હરિયાણા સરકારે કડકાઈ કરતાં બુલડોઝર ફેરવવાની શરૂઆત કરી હતી. સતત ચારથી પાંચ દિવસ સુધી હરિયાણા સરકારે બુલડોઝરની કાર્યવાહી કરતાં રમખાણોમાં સામેલ લોકોના મકાનો, દુકાનો, હોટેલો તોડી…

ભારત વિરૂધ્ધ બોલશે તેનો જીવ લઈ લઈશુઃ કૈલાશ વિજયવર્ગીય

વિજયવર્ગીય મધ્યપ્રદેશમાં યોજાનારી ચૂંટણીની તૈયારીઓ માટે રતલામ ગ્રામીણ વિધાનસભા ક્ષેત્રમાં આયોજિત કાર્યકર્તા સંમેલનમાં સામેલ થવા પહોંચ્યા રતલામ ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની જીભ લપસી ગઈ હતી. તેમણે એક વિવાદિત નિવેદન આપ્યું. તેમણે મધ્યપ્રદેશના રતલામમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે જે પણ ભારત માતાની જય બોલશે તે અમારો ભાઈ છે. અમે તેના માટે જીવ પણ આપી…

પૂંછમાં એલઓસી નજીક સૈન્યએ બે આતંકીને ઠાર કર્યા

સવારે ભારતીય સૈન્ય અને સ્થાનિક પોલીસના સંયુક્ત અભિયાન હેઠળ આ ઘૂસણખોરીને નિષ્ફળ બનાવાઈ જમ્મુ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં એલઓસી નજીક સૈન્યએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. આ દરમિયાન બે આતંકીઓને ઠાર મરાયા હતા. એક સંરક્ષણ અધિકારીએ આ  માહિતી આપી હતી.  સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનીલ બર્તવાલે કહ્યું કે પૂંછ જિલ્લામાં ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવી દેવાયા છે….

અંતરિક્ષમાં 8400 ટન કચરો, પૃથ્વી પર તબાહીની શક્યતા

અંતરિક્ષમાં કચરો મોટાભાગે 18 હજારથી લઈને 28 હજાર માઈલ્સ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની કક્ષામાં ફરે છે નવી દિલ્હી કચરાની સમસ્યા ફક્ત પૃથ્વી પર જ નહીં પરંતુ અંતરિક્ષમાં પણ વધતી જઈ રહી છે. પૃથ્વીની કક્ષામાં માનવીએ બનાવેલી અનેક કૃત્રિમ વસ્તુઓ સમય અને ઉદ્દેશ્ય પૂરો થયા બાદ જ હજુ અંતરિક્ષમાં ફરી રહી છે. નાસાએ જણાવ્યું કે આશરે…

નૂંહમાં કર્ફ્યુમાં ચાર કલાકની મુક્તિ,એટીએમ કોલવા મંજૂરી

વહીવટીતંત્ર દ્વારા બજાર ખુલવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી નૂંહ નૂંહમાં ઉપદ્રવીઓના તાંડવ બાદ ધીમે-ધીમે સ્થિતિ સામાન્ય બની રહી છે પરંતુ હજું પણ નૂંહમાં કર્ફ્યૂ યથાવત છે. કર્ફ્યૂથી લોકોને રાહત આપવા માટે તંત્રએ 4 કલાકની છૂટ આપી છે. વહીવટી તંત્રએ 8 ઓગષ્ટ સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવ્યો છે. જિલ્લાની તમામ શાકમાર્કેટ સવારે 6:00 વાગ્યાથી ખોલવામાં…