પોલીસ સાથેના એન્કાઉન્ટર બાદ બિશ્નોઈ ગેંગના બે શાર્પશૂટર્સની ધરપકડ

દિલ્હીના વીવીઆઈપી વસંત કુંજ વિસ્તારમાં લોરેન્સ ગેંગના બે શાર્પ શુટર છે તેવી માહિતી મળતા પોલીસની કાર્યવાહી નવી દિલ્હીદિલ્હીના વીવીઆઈપી વિસ્તારમાં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને ગેંગસ્ટરો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું જેમાં પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શૂટરોની ધરપકડ કરી હતી અને બાદમાં તેમને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચમાં લઈ જવાયા હતા જ્યાં બંનેની પૂછપરછ કરવામાં આવી…

સીએમની રેસમાં હોવાની ચર્ચાઓને ફગાવી દેતા બાબા બાલકનાથ

મોદીના નેતૃત્વમાં પહેલીવાર જનતા-જનાર્દનને સાંસદ અને ધારાસભ્ય બનાવીને દેશની સેવા કરવાની તક આપી છેઃ બાલકનાથ નવી દિલ્હીબાબા બાલકનાથ અલવર લોકસભા મતવિસ્તારમાંથી 2019માં ભાજપે ટિકિટ આપતા સાંસદ તરીકે ચૂંટાયા હતા જો કે પાર્ટીએ તેમને આ વખતે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં તિજારા બેઠક પરથી ટિકિટ આપી હતી જેમાં તેનો વિજય થયો હતો ત્યારે તેમણે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી…

જી20 સમિટ માટે કેન્દ્ર સરકારે 1310 કરોડ ફાળવ્યા

રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાકેત ગોખલેના પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી આપવામાં આવી નવી દિલ્હીભારતમાં આયોજિત જી20 સમિટ 2023ને સરકાર મોટી સફળતા ગણાવી રહી છે ત્યારે બીજી તરફ તેના માટે થયેલા થયેલા કરોડો રૂપિયાના ખર્ચ અંગે વિવાદ પણ ઉભો થયો છે. વિદેશ રાજ્ય પ્રધાન વી મુરલીધરને શુક્રવારે જી20 સમિટ માટેના ખર્ચ અંગે રાજ્યસભામાં જવાબ આપતાં…

શિસ્તની વાત કરતું ભાજપ સાત દિવસ બાદ પણ સીએમ નક્કી નથી કરી શખ્યુઃ ગેહલોત

ગોગામેડીની હત્યા મામલે એનઆઈએ દ્વારા તપાસ સામે વાંધો ન હોવાના દસ્તાવેજો પર મારે હસ્તાક્ષર કરવા પડ્યા, જોકે આ કામ કોઈ નવા સીએમએ કરવાની જરૂર હતી નવી દિલ્હીરાજસ્થાનમાં હાલમાં કાર્યવાહક સીએમ અશોક ગેહલોત હારની સમીક્ષા બેઠકમાં સામેલ થવા દિલ્હી પહોંચ્યા હતા. દરમિયાન મીડિયા સાથે એરપોર્ટ પર વાતચીતમાં તેમણે ભાજપ પર જોરદાર નિશાન તાકતાં કહ્યું કે વિધાનસભાની…

એનઆએના દરોડામાં 15 શંકાસ્પદ આતંકી ઝડપાયા, ઘાટકોપર ટ્રેન બ્લાસ્ટનો આરોપી પણ જબ્બે

શકમંદો પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી પણ જપ્ત કરવામાં આવતા એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં સફળતા મળી મુંબઈનેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) અને એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)એ સમગ્ર રાજ્યમાં 44 સ્થળો અને કર્ણાટકમાં એક જગ્યાએ દરોડા પાડ્યા હતા. જેમાં 15 શંકાસ્પદ આતંકવાદીઓની અટકાયત કરવામાં આવી છે. આ દરોડામાં ઘાટકોપર ટ્રેન બ્લાસ્ટના બે આરોપીની પણ ભાળ મળી હતી….

કેરલ, તામિલનાડૂ- લક્ષદ્વીપમાં વરસાદ, સિક્કીમ- બંગાળમાં હિમવર્ષાની શક્યતા

આગામી 24 કલાકમાં નાગાલેન્ડ, મણિપૂર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય અને આસામ તથા ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વરસાદની શક્યતા નવી દિલ્હીદેશના ઘણાં રાજ્યોમાં હજી ઠંડીની રાહ જોવાઇ રહી છે. હવામાન ખાતાની આગાહી મુજબ દેશના કેટલાંક વિસ્તારોમાં આગામી 4 થી 5 દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. કેરલ, માહે, તામિલનાડૂ, પુડુચેરી, કરાઇકલ અને લક્ષદ્વીપમાં વિજળીના…

વૈષ્ણોદેવીની યાત્રા માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરાઈ

હેલિકોપ્ટર સેવા યોગ્ય નિયમો હેઠળ ઓફ અને ઓનલાઈન બુક કરી શકાશે નવી મુંબઇવૈષ્ણોદેવીની પવિત્ર યાત્રા દર વર્ષે લાખો ભક્તોને આકર્ષે છે. જો કે શ્રદ્ધાળુઓ કુલ 13 કિમીની આ યાત્રા પગપાળા જ પૂર્ણ કરે છે, પરંતુ ઘણા લોકો છે જે આ મુશ્કેલ યાત્રા પગપાળા પૂર્ણ કરી શકતા નથી.હિમાલયના આકર્ષક દ્રશ્યો વચ્ચે ઝડપી અને વધુ આરામદાયક મુસાફરી…

મહુઆ મોઈત્રાને લોકસભામાંથી બરતરફ કરવામાં આવ્યા

મે અદાણીનો મુદ્દો ઊઠાવ્યો એટલા માટે જ મારું સાંસદ પદ છીનવી લેવામાં આવ્યુઃ મહુઆ મોઈત્રા નવી દિલ્હીમહુઆ મોઈત્રા વિરુદ્ધ રજૂ કરાયેલા રિપોર્ટે તેમની મુશ્કેલી વધારી દીધી છે. આ મામલે મહુઆ મોઈત્રા વિરુદ્ધ ગૃહમાં પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. લોકસભામાં એથિક્સ કમિટીના રિપોર્ટની તરફેણમાં આ પ્રસ્તાવ પાસ થતાં મહુઆ મોઈત્રાને બરતરફ કરી દેવામાં આવ્યા છે. લોકસભા…

પાકિસ્તાનમાં નરેન્દ્ર મોદીનો ભારે ક્રેઝ છેઃ અંજુ

લોકો પાકિસ્તાનમાં પણ કેન્દ્રમાં પીએમ મોદી જેવા નેતા ઈચ્છતા હોવાનો અંજુનો ખુલાસો નવી દિલ્હીપાકિસ્તાનથી ભારત પરત ફરેલી અંજુએ ઘણા ખુલાસા કર્યા છે. 29 નવેમ્બરે ભારત ફરેલી અંજુએ કહ્યું કે, જે સમયે તે પાકિસ્તાનમાં હતી ત્યારે લોકો તેને ભારતને લઇને ઘણા પ્રશ્નો પુછતા હતા. અંજુએ જણાવ્યુ કે, “પાકિસ્તાનમાં પીએમ નરેન્દ્ર મોદીનો ગજબનો ક્રેઝ છે ત્યાંના લોકો…

અમદાવાદના સાબરમતીમાં દેશનું પ્રથમ બૂલેટ ટ્રેન સ્ટેશન તૈયાર

સ્ટેશનના નિર્માણ દરમિયાન આધુનિક આર્કિટેક્ચર સાથે સાંસ્કૃતિક વારસાનું પણ અનોખુ મિશ્રણ જોવા મળી રહ્યું છે નવી દિલ્હી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનના પ્રોજેકટનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે ત્યારે ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન બનીને તૈયાર થઈ ગયું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન ટર્મિનલનો એક વીડિયો પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ…

મહુઆ મોઈત્રાના કેસમાં રિપોર્ટ રજૂ થતાં લોકસભામાં હોબાળો

લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી નવી દિલ્હી મહુઆ મોઈત્રાના કેશ ફોર ક્વેશ્ચન કેસમાં એથિક્સ કમિટી દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી. આ કારણે જ લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આજે સંસદના શિયાળુ સત્રનો પાંચમો દિવસ…

ભાજપે ત્રણ રાજ્યો માટે નિરક્ષકો જાહેર કર્યા, રવિવાર સુધી સીએમનો નિર્ણય

આ નિરીક્ષકો ધારાસભ્ય દળ સાથે બેઠક કરશે અને તેમાં તેમનો અભિપ્રાય મેળવશે નવી દિલ્હી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજય બાદથી આ રાજ્યોમાં મુખ્યમંત્રી પદ કોને સોંપાશે તે મુદ્દે ચર્ચા વિચારણાં ચાલી રહી છે. આ સૌની વચ્ચે ભાજપે આ ત્રણેય રાજ્યો માટે નિરીક્ષકોના નામની જાહેરાત કરી દીધી છે.  સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, વિનોદ તાવડે…

અગ્નિ-1 મિસાઈલનું સફળ ટ્રેનિંગ લોન્ચ કરાયું

સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડના નેજા હેઠળ આયોજિત ટ્રેનિંગ લોન્ચ, તમામ ઓપરેશનલ અને તકનીકી પરિમાણોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું થિરુવનંતપુરમ ગઈકાલે મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ ‘અગ્નિ-1’નું ટ્રેનિંગ લોન્ચ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે આ અંગે માહિતી આપી છે. મંત્રાલયે કહ્યું કે ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી મીડીયમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ ‘અગ્નિ-1’નું પ્રશિક્ષણ પ્રક્ષેપણ સફળતાપૂર્વક હાથ…

અર્જુન મુંડાને કૃષિ-ખેડૂત ક્લાયણ મંત્રાલયનો વધારોનો હવાલો

અર્જુન મુંડા પહેલેથી જ આદિજાતિ બાબતોના મંત્રી છે જેને હવે તોમરનાં ખાતાં સોંપાયા મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડ્યા બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ મંત્રાલયમાં પોતાનું પદ છોડી દીધું છે. તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું, જેને રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું છે અને હવે કેબિનેટ મંત્રી અર્જુન મુંડાને  કૃષિ મંત્રાલય અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનો વધારાનો…

રજિસ્ટ્રી દસ્તાવેજોમાંતી ઉર્દૂ-ફારસી શબ્દો હટાવવા નિર્ણય

હવે સબ રજિસ્ટ્રારે ઉર્દૂની પરીક્ષા નહીં આપવી પડે, પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પસંદગી બાદ પણ કાયમી નોકરી માટે આ પરીક્ષા પાસ કરવાની ફરજ પડતી હતી લખનઉ ઉત્તરપ્રદેશમાં (યુપી) યોગી સરકારે રજિસ્ટ્રી દસ્તાવેજોમાંથી ઉર્દૂ-ફારસી શબ્દોને હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ ઉપરાંત હવે સબ રજિસ્ટ્રારે ઉર્દૂની પરીક્ષા નહીં આપવી પડે. અત્યાર સુધી પબ્લિક સર્વિસ કમિશન દ્વારા…

2018થી વિદેશોમાં 403 ભારતીય છાત્રોના મોત થયા

રિપોર્ટ અનુસાર, વિશ્વના 34 દેશોમાં કેનેડામાં સૌથી વધુ 91 મૃત્યુ થયા, સરકારે રાજ્યસભામાં માહિતી આપી નવી દિલ્હી ભારતમાં રહેતા ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવાના ઈરાદે વિદેશમાં જાય છે. જેમાં ખાસ કરીને આ વિદ્યાર્થીઓ અમેરિકા, ઈંગ્લેન્ડ, રશિયા અને કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોની પસંદગી કરે છે. આ દરમિયાન ભારત સરકારે એક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં 2018…

2023ના વર્ષ દરમિયાન અલ્મોરા ફોલ્ટથી 124 વાર ધરા ધ્રૂજી

2023ની શરૂઆત 24મી જાન્યુઆરીએ 5.8ની તીવ્રતાના ભૂકંપ સાથે થઈ પછી ત્રીજી ઓક્ટોબરે 6.2ની અને ત્રીજી નવેમ્બરે 6.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો નવી દિલ્હી ભૂકંપની દ્રષ્ટિએ આ વર્ષ ઘણું ખતરનાક સાબિત થયું છે. આ વર્ષની શરુઆતમાં જ 5.8ની તીવ્રતાનો ભૂકંપનો અનુભવાયો હતો અને વર્ષમાં કુલ 124 વાર ધરા ધ્રુજી છે. કેન્દ્રિય મંત્રીએ સંસદમાં અલ્મોરા ફોલ્ટને જવાબદાર ગણાવ્યો…

તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર લપસી પડતાં હોસ્પિટલમાં દાખલ

પીઠમાં ગંભીર ઈજા, સર્જરીની જરૂર પડી શકે છે હૈદ્રાબાદ તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રીને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સુ્ત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે તેઓ લપસીને પડી ગયા હતા જેના પગલે તેમને પીઠમાં ગંભીર ઈજા પહોંચી હતી.  તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર  (કેસીઆર) ગઈકાલે લપસીને પડી ગયા હોવાથી હૈદરાબાદની યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા…

ભાજપે મણિપુરમાં 30 વર્ષથી લાગુ દારૂબંધી ઊઠાવી લીધી

કેબિનેટે રાજ્યની મહેસૂલી આવક વધારવા અને ઝેરીલા દારૂની સપ્લાય રોકવા માટે લીકર પોલિસીમાં ફેરબદલ કર્યા ઈમ્ફાલ દારૂબંધી એક અતિ સંવેદનશીલ મુદ્દો ગણાય છે. આ મુદ્દે કોઈ પણ સરકાર ગમે તેવો નિર્ણય કરતાં પહેલાં અનેકવાર વિચારે છે. ટેક્સની દૃષ્ટિએ આ સરકાર માટે કમાણીનો મોટો સોર્સ હોય છે. જ્યારે લોકો માટે આ ભાવનાત્મક મુદ્દો છે. એટલે જ…

લોકસભાની ચૂંટણી માટે કમર કસી લેવા કાર્યકરોને મોદીની સલાહ

તમામ સાંસદો પોતપોતાના ક્ષેત્રમાં જઈને લાભાર્થીઓ સાથે સંપર્ક કરે અને લોકોને સરકારી યોજનાઓથી માહિતગાર કરવા વડાપ્રધાનની સુચના નવી દિલ્હીદેશમાં 3 રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની પ્રચંડ જીત બાદ આજે સંસદ ભવનમાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ત્રણેય રાજ્યોમાં જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવાયા હતા. બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ…