ઓડ-ઈવનનો નિયમ અવૈજ્ઞાનિક, પ્રદૂષણ રોકવા કડક પગલાં લોઃ સુપ્રીમ

સ્મોક ટાવર કેમ બંધ? પરાળીથી ખાતરનું શું થયું? પંજાબમાં કેમ સળગી રહી છે પરાળી? પંજાબમાં ધાનની ખેતીનો વિકલ્પ શોધવામાં સુપ્રીમનો આદેશ નવી દિલ્હી દિલ્હી-એનસીઆરમાં દિવસેને દિવસે હવા વધુ ઝેરીલી બનતી જાય છે જેને લઈ આજે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, પ્રદૂષણ રોકવા માટે રાજ્ય સરકારો કડક પગલાં…

મારા નામ પર કોઈ સ્ટેડિયમ નથી, મને પ્રચારની જરૂર નથીઃ મમતા

મમતા બેનર્જીએ કોઈનું નામ ન લીધું પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, તેમણે પીએમ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો કોલકાતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર દ્વારા અનેક સ્કીમો માટે ફંડ ન જારી કરવા મુદ્દે ફરી એક વખત પ્રહાર કર્યો છે. તેમણે ભવાનીપુરમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, મને કોઈ પબ્લિસિટીની જરૂર નથી….

બિહારમાં માત્ર સાત ટકા લોકો જ ગ્રેજ્યુએટ છે

રાજ્યમાં સામાન્ય વર્ગના 25.9 ટકા લોકોનો ગરીબ પરિવારમાં સમાવેશ થાય છે, જેમાં સૌથી વધુ ભૂમિહાર અને બ્રાહ્મણ ગરીબ છે પટના આજે બિહાર વિધાનસભામાં જાતિ આધારિત વસતી ગણતરીનો રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર વિધાનસભા ગૃહમાં ભારે હોબાળો થયો હતો. રીપોર્ટ રજૂ થાય તે પહેલા જાતિ આધારિત વસતી ગણતરીના શૈક્ષણિક અને આર્થિક આંકડાઓ સામે આવ્યા…

દિલ્હી-એનસીઆરમાં ૫.૬ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ગભરાટ

દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટાભાગમાં ત્રણ દિવસમાં બીજીવાર ભૂકંપના આંચકા લાગ્યા નવી દિલ્હી   દિલ્હી અને એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા આવ્યા છે. દિલ્હી-એનસીઆરમાં તેની તીવ્રતા ૫.૬ની માપવામાં આવી હતી. આ ઉપરાંત હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ભૂકંપના આંચકા લાગ્યા હતા. દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટાભાગમાં ત્રણ દિવસમાં…

બિહારમાં જાતિ-જન-ગણનામાં ભારે ગરબડ થઈઃ અમિત શાહ

બિહારના ઉપ મુખ્યમંત્રી અને લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ અમિત શાહના નિવેદન પર ભડકી ઉઠયા મુઝફ્ફરનગર   બિહારમાં જાતિ-જન-ગણના પર હજીએ રાજકારણ ખેલાઈ રહ્યું છે. રવિવારે સાંજે મુઝફ્ફરનગર જિલ્લામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાતિ-જન-ગણનામાં ભારે ગડબડ થઈ હોવાની વાત કરી, અને નીતીશકુમાર સરકાર પર હુમલો કર્યો. તેઓએ કહ્યું કે તેઓ લાલુપ્રસાદ યાદવનાં દબાણમાં ઝુકી જઈ…

સીઆઈસીની નિમણૂંકમાં અંધારામાં રખાયા હોવાનો અધિર રંજનનો આક્ષેપ

અધિર રંજને રાષ્ટ્રપતિને એક પત્ર લખ્યો છે કે માહિતી કમિશનરની પંસદગી વિશે ન તો કંઈ કહ્યું કે ન તો મારી સલાહ લેવામાં આવી નવી દિલ્હી દેશના મુખ્ય માહિતી કમિશનર તરીકે હીરાલાલ સામરિયા ને નિયુક્ત કરવામાં આવ્યા છે તેમણે ગઈકાલે કેન્દ્રિય માહિતી આયોગ (સીઆઈસી)ના વડા તરીકે શપથ લીધા હતા. જો કે તેમની નિમણૂકને લઈને પણ વિવાદ…

દિલ્હીથી લખનઉ સુધી 5.6ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ભયનો માહોલ

ભૂકંપની તીવ્રતા 5.6 નોંધાઈ અને કેન્દ્રબિંદુ નેપાળ પાસે નોંધાયું, ત્રણ દિવસમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા નવી દિલ્હીદિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હીથી લખનઉ સુધી ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા 5.6 નોંધાઈ અને કેન્દ્રબિંદુ નેપાળ પાસે નોંધાયું છે. ત્રણ દિવસમાં…

તેજસ્વી યાદવ અંગે અમદાવાદ કોર્ટમાં સુનાવણી પર સુપ્રીમની રોક

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે તેજસ્વી યાદવ નીચલી અદાલતમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ મળી ગઈ નવી દિલ્હી‘ગુજરાતી ઠગ’ વાળા નિવેદનને લઈને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેજસ્વી યાદવની અરજી પર સુનાવણી કરતા આ કેસની અમદાવાદ કોર્ટમાં સુનાવણી પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે તેજસ્વી યાદવ…

માત્ર સમિતિઓ બનાવવાથી પ્રદૂષમની સ્થિતિ નહીં સુધરેઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમમાં પ્રદૂષણના આકલન માટે એક સ્થાયી સમિતી રચવાની માંગ કરતી અરજીપર વિચાર કરવાનો દેશની વડી અદાલતનો ઈનકાર નવી દિલ્હીશિયાળો આવતા જ હંમેશની માફક દેશની રાજધાની દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગઈ છે જેને કારણે આરોગ્ય પર મોટો ખતરો ઉભો થયો છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આ મામલો એટલો ગંભીર બન્યો છે કે…

દિલ્હીમાં 13-20 નવેમ્બર વાહનો માટે ઓડ-ઈવન ફોર્મ્યુલા લાગુ રહેશે

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, પ્રદૂષણ સતત વધી રહ્યું છે, નિષ્ણાતોના મતે તેનું મુખ્ય કારણ તાપમાનમાં સતત ઘટાડો અને પવનની ખૂબ જ ધીમી ગતિ છે નવી દિલ્હીદિલ્હીમાં હવાની ગુણવત્તાની ખરાબ સ્થિતિ વચ્ચે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે એક પ્રેસ કોન્ફરન્સમાં અનેક મોટી જાહેરાતો કરી. પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે દિલ્હીમાં ઘણા નવા નિયમો લાગુ…

બેંક સાથે 40 કરોડની છેતરપિંડીના કેસમાં જસવંતસિંહ ગજ્જનની અટકાયત

અગાઉ ઈડીએ સપ્ટેમ્બર મહિનામાં જસવંત સિંહ ગજ્જન માજરાના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો, ઈડીના અધિકારીઓએ લગભગ 14 કલાક સુધી દરોડાની કાર્યવાહી કરી જાલંધરપંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જન માજરા સામે મોટી કાર્યવાહી કરવાની ઘટના સામે આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગજ્જનની અટકાયત કરી છે. ઈડીએ બેંક સાથે કરોડોની છેતરપિંડીના જૂના કેસમાં આ કાર્યવાહી કરી છે….

ક્લાઉડ સીડીંગ દ્વારા પ્રદૂષણ પર નિયંત્રણ માટે દિલ્હી પ્રયાસ કરશે

દિલ્હી પર્યાવરણ મંત્રી સમક્ષ ક્લાઉડ સીડીંગના પ્લાનને મૂકાયો જેમાં આઈઆઈટી કાનપુરે કૃત્રિમ વરસાદ કેવી રીતે કરી શકાય તે અંગે પ્રેઝન્ટેશન આપ્યું નવી દિલ્હી દેશમાં વાયુ પ્રદૂષણના કારણે લોકોની ચિંતા વધી છે. દિલ્લી-એનસીઆરમાં પ્રદૂષણ એટલું વધી ગયું છે કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આ શહેરનો એક્યુઆઈ 500 પાર થઇ ગયો છે અત્યાર…

હીરાલાલ સામરિયા દેશના પ્રથમ દલિત ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બન્યા

હીરાલાલ સામરિયા હાલમાં માહિતી કમિશનર તરીકે ફરજ બજાવે છે, તેમણે શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સચિવ તરીકે પણ કાર્ય કરેલું છે નવી દિલ્હી રાજસ્થાનના હીરાલાલ સામરિયા દેશના પ્રથમ દલિત ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બન્યા છે. દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં હીરાલાલ સામરિયાને ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકેના શપથ લેવડાવ્યા. આ માહિતી રાષ્ટ્રપતિ ભવન દ્વારા આપવામાં આવી છે. હીરાલાલ સામરિયા…

કેદારનાથમાં રાહુલ ગાંદી લોકોને ચા વહેચતા જોવા મળ્યા

આ ઘટનાને કોંગ્રેસ પાર્ટીએ ચા સેવા નામ આપ્યું, રાહુલની મુલાકાતને પક્ષે ધાર્મિક યાત્રા ગણાવી કેદારનાથ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મતદાન પહેલાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ઉત્તરાખંડની મુલાકાત લીધી હતી. કેદારનાથ ધામમાં પૂજા અર્ચના કર્યા બાદ તેમણે લોકો સાથે સમય પસાર કર્યો હતો અને ચાની ચુસ્કી લીધી હતી. આ દરમિયાન તેઓ લોકોને ચા વહેંચતા પણ જોવા મળ્યા…

વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરમાં દિલ્હી પ્રથમ, લાહોર બીજા સ્થાને

ટોપના 5 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ભારતના ત્રણ શહેરોનો સમાવેશ થાય છે નવી દિલ્હી ભારત સહિત દુનિયાના ઘણાબધા દેશો પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. આ વાયુ પ્રદૂષણ દિવસેને દિવસે એટલું વધી રહ્યું છે કે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે. દિલ્લી-એનસીઆર સહિત દેશના અનેક શહેરોમાં હવા ઝેરી બની છે. વિશ્વના ટોપના 10 પ્રદૂષિત…

બીએસએફએ સરહદે મધપૂડા લગાવવાનું શરૂ કર્યું

આ પ્રકારની પ્રથમ યોજના નાદિયા જિલ્લાના સરહદી વિસ્તારમાં શરૂ કરાઈ નવી દિલ્હી ભારત-બાંગ્લાદેશ સરહદે દાણચોરી સહિત અન્ય ગુનાખોરીને રોકવા માટે એક નવી રીત અપનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) ના જવાનોએ સરહદે મધમાખીઓના મધપુડા લગાવવાનું શરૂ કરી દીધું છે.  વરિષ્ઠ અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર આ પ્રકારની પ્રથમ યોજના નાદિયા જિલ્લાના સરહદી…

સૈન્યના રોકેટ ફોર્સને મજબૂત કરવા મધ્યમ રેન્જના બેલેસ્ટિક મિસાઈલ્સ તૈનાત કરવાની તૈયારી

ભારતીય સૈન્ય રોકેટ ફોર્સના ભાગ રૂપે લગભગ 1,500 કિલોમીટરની રેન્જ સાથે ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલો તૈનાત કરવાની યોજના બનાવી રહી છે નવી દિલ્હી ભારતના પૂર્વ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતની યોજનાને આગળ વધારતા ભારતીય સૈન્યની રોકેટ ફોર્સને વધુ મજબૂત બનાવવા પર કામ શરૂ થઈ ગયું છે. તેના માટે મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલોને…

મહાદેવ એપ કૌભાંડમાં મારે કોઈ લેવા દેવા નથીઃ બધેલ

ભાજપ વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે પણ છત્તીસગઢમાં કોંગ્રેસનો મુકાબલો કરી શકે તેમ નથીઃ કોંગ્રેસનો પડકાર રાયપુર છતીસગઢમાં થોડા દિવસોમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે એવામાં હાલ રાજનીતિએ જોર પકડ્યું છે. ભાજપે રાજ્યના સીએમ પર 508 કરોડના કૌભાંડના આરોપ લગાવ્યા હતા.  ભાજપે આરોપ કર્યો કે મની લોન્ડરિંગના મામલે મહાદેવ એપના પ્રમોટરે ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા લાંચ…

રશિયાએ ભારતીય શિપયાર્ડમાંથી 24 માલવાહક જહાજોનો ઓર્ડર આપતા યુએસની ચિંતા વધી

ગોવા શિપયાર્ડ લિમિટેડ અને રશિયન નિકાસ કેન્દ્ર વચ્ચે સહકારની જાહેરાત કરવામાં આવી નવી દિલ્હી રશિયા અને ભારત વચ્ચે કાચા તેલની ડીલ ભારતીય રૂપિયામાં થાય છે. રશિયાએ ભારતને કરોડો બૈરલ કાચું તેલ વેચ્યું છે માટે એવો અંદાજો લગાવી શકાય છે કે રશિયા પાસે ભારતીય રૂપિયાનો અઢળક સંગ્રહ હોય શકે છે. આ ભારતીય રૂપિયાના ખજાનાને ખર્ચવા માટે…

હિમાલય વિસ્તારમાં ગમે તે સમયે મોટા ભૂકંપની વૈજ્ઞાનિકોની આગાહી

હિમાલય પર દબાણથી અનેક ભૂકંપની શક્યતા સર્જાઈ રહી છે, આગામી ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર આઠથી વધુ હોવાની સંભાવના નવી દિલ્હી નેપાળમાં ગઈકાલે રાતે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં 132 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપની અસર દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં જોવા મળી હતી, ત્યારે હવે વૈજ્ઞાનિકોએ ટુંક…