શ્રીલંકાની સરકારે ક્રિકેટ બોર્ડને બરખાસ્ત કરી દીધું

Spread the love

ખેલ મંત્રી રોશન રણસિંઘે શ્રીલંકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાના નેતૃત્વમાં એક સાત સભ્યોની સમિતિની નિમણુક કરી

કોલંબો

ભારત સામે વન-ડે વર્લ્ડ કપ 2023માં 302 રનના અંતરથી મળેલી કારમી હાર બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં હોબાળો મચી ગયો હતો. મળેલા અહેવાલો મુજબ વાત એટલા હદે વધી ગઈ હતી કે સરકારે આજે શ્રીલંકન ક્રિકેટ બોર્ડને બરખાસ્ત કરી દીધો છે. ભારત સામેની હાર બાદ રણસિંઘે શમ્મી સિલ્વાના નેતૃત્વવાળી એસએલસીમાંથી રાજીનામું આપ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ભારત સામે કારમી હાર બાદ સિલ્વા મેનેજમેન્ટના રાજીનામાની માંગ સાથે એસએલસી બિલ્ડીંગ સામે અનેક પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. બિલ્ડીંગની સુરક્ષા માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી. ખેલ મંત્રી રોશન રણસિંઘે શ્રીલંકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાના નેતૃત્વમાં એક સાત સભ્યોની સમિતિની નિમણુક કરી હતી.  ખેલ મંત્રાલયની એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે આ સમિતિની નિમણુક રણસિંઘે દ્વારા 1973ના રમતના કાયદાઓની સંખ્યા 25ની શક્તિઓ હેઠળ કરવામાં આવી છે. આ સમિતિમાં ત્રણ રીટાયર્ડ જજો પણ છે. આ સમિતિમાં બે મહિલાઓ ઉપરાંત પૂર્વ એસએલસી અધ્યક્ષ ઉપાલી ધર્મદાસા પણ આ સમિતિના સભ્ય છે. રણસિંઘે દ્વારા અધિકૃત રાષ્ટ્રીય ખેલ પરિષદના પ્રમુખ રણતુંગા સિલ્વા મેનેજમેન્ટ પર પ્રશ્ન ઉઠાવતા રહ્યા છે. સિલ્વાને મે મહિનામાં તેમના સતત ત્રીજા કાર્યકાળ માટે એસએલસી મુખ્ય તરીકે પસંદ કરવામાં આવ્યો હતો જે વર્ષ 2025 સુધી ચાલવાનું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *