સુવર્ણ મંદિરમાં ગવાતી ગુરબાનીના ફ્રી- ટેલીકાસ્ટ રાઈટસની જાહેરાત

Spread the love

ગુરબાનીના ફ્રી-ટેલીકાસ્ટ રાઇટ્સના બિલને પંજાબ વિધાનસભાએ મંજૂરી આપી દીધી


અમૃતસર, ચંડીગઢ
‘ગુરબાની’ના ફ્રી-ટેલીકાસ્ટ રાઇટ્સના બિલને પંજાબ વિધાનસભાએ મંજૂરી આપી દીધી છે. ‘ગુરબાની’ના ફ્રી-ટેલીકાસ્ટ રાઇટ્સ આપવા માટે પંજાબની ભગવંત માન સરકાર ‘શિખ-ગુરુદ્વારા એક્ટ’માં સુધારો કરી ‘સુવર્ણ મંદિર’માં ગવાતી ગુરબાનીના ફ્રી- ટેલીકાસ્ટ રાઈટસ આપવાની જાહેરાત કરી હતી. આ બાબતે ગઈકાલે મળેલી પંજાબ સરકારની કેબિનેટ મીટીંગમાં આ નિર્ણય લેવાયો હતો, જેને હવે પંજાબ વિધાનસભાએ પણ મંજૂરી આપી દીધી છે.
વાસ્તવમાં ‘શિખ-ગુરુદ્વારા એક્ટ’ તો તે સમયની બ્રિટિશ સરકારના સમયમાં ઘડવામાં આવ્યો હતો. તેમાં પંજાબની વર્તમાન ભગવંત માન સરકાર સુધારા કરવા માગે છે. આ અંગે માને કહ્યું હતું કે, ‘આ પ્રસ્તાવનો એજન્ડા કેબીનેટ મિટીંગમાં પસાર કરાયા બાદ જૂનની ૨૦મીએ મળનારા વિધાનસભાના વિશેષ સત્રમાં તે રજૂ કરવામાં આવશે. આ અંગે પંજાબ સરકાર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે, ‘મુખ્ય મંત્રી ભગવંત માનનાં નેતૃત્વ હેઠળની પંજાબ સરકારે, અમૃતસર સ્થિત શ્રી હરમંદર સાહિબમાં ગવાતી પવિત્ર ‘ગુરબાની’નું ફ્રી-ટુ-એ૨- ટેલીકાસ્ટ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.
જયારે માને કહ્યું હતું કે, આ નિર્ણય વિશ્વભરમાં પ્રસરેલા શિખોની લાગણીઓને લક્ષ્યમાં લઈ એક સિંગલ- ચેનલ ઉપરથી ‘ગુરબાની’ નિઃશુલ્ક ટેલીકાસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *