વડાપ્રધાન મોદી સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ દ્વારા આયોજિત SOULલીડરશીપ કોન્ક્લેવની પ્રથમ આવૃતિનું ઉદ્દઘાટન કરશે

Spread the love

ગાંધીનગરમાં આજે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપના અત્યાધુનિક કેમ્પસનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું

નવી દિલ્હી

નેતાગીરી પ્રવચનમાં એક નવો અધ્યાય શરૂ કરવા માટે એસઓયુએલ (SOUL) લીડરશીપ કોન્ક્લોવની પ્રથમ આવૃતિ 21 અને 22 ફેબ્રુઆરી 2025ના રોજ ભારત મંડપમ્, નવી દિલ્હી ખાતે શરૂ થઈ રહી છે. આ બે દિવસિય ઇવેન્ટમાં રાજકિય, રમત-જગત, કળા અને મીડિયા ક્ષેત્ર, આધ્યાત્મિક વિશ્વના, જાહેર નીતિ, બિઝનેસ તથા સામાજિક ક્ષેત્રના અગ્રણીઓને એકઠા થશે અને તેમના અંગત નેતૃત્વના પ્રવાસ વિશે ચર્ચા કરશે, નવી પેઢીના વિચારકોને સમજદારીપૂર્વક કઈ રીતે ચર્ચામાંભાગ લેવા પ્રેરણા આપશે, સમજાવશે તથા પરિવર્તનશીલ અનુભવો પણ વર્ણવશે.

SOULલીડરશીપ કોન્ક્લોવનું ઉદ્દઘાટન માનનિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે, જ્યાં તેઓ ઔપચારિક રીતે સ્કુલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ (SOUL)ની પણ જાહેરાત કરશે, જે એક અગ્રણી ખાનગી ભંડોળથી ચાલતી લીડરશીપ ઇન્સ્ટિટ્યુટ છે, જેને સામન વિચારધારા ધરાવતા વ્યક્તિઓના ગ્રુપ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે, જેમાં ટોરન્ટ ગ્રુપના ચેરમેન એમેરિટસ- સુધિર મેહતા, એચડીએફસી લિ.ના ભૂતપૂર્વ-ચેરમેન- દિપક પારેખ, સન ફાર્માસ્યુટિકલ્સના એમડી- દિલિપ સંઘવી, ઝાયડસ લાઈફસાયન્સ લિ.ના ચેરમેન- પંકજ પટેલ, જેએસડબલ્યુ જૂથના ચેરમેન- સજ્જન જિંદાલ અને કોટક મહિન્દ્રા બેંકના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર- ઉદય કોટકનો સમાવેશ થાય છે. SOULલીડરશીપ કોન્ક્લેવની શરૂઆતની આવૃતિમાં નેતાગીરીને જોવાની તથા ચર્ચા કરવાની રીતને ફરીથી આકાર આપવાની એક નોંધનિય ઇવેન્ટ બનવાનો વાયદો કરે છે, જેમાં પોત-પોતાના ક્ષેત્રમાં અદ્દભુત અસર ઉભી કરનારા લોકો તેમની મહત્વની માહિતી પૂરી પાડશે.

ગુજરાતના મુખઅય મંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરમાંSOULનાઅત્યાધુનિક કેમ્પસનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ગિફ્ટ સિટી રોડ પર ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી નજીક 22 એકરમાં ફેલાયેલા SOUL કેમ્પસને આગામી બે વર્ષમાં રૂ.150 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. SOULનો હેતુ આરોગ્ય, શિક્ષણ, ગ્રામિણ વિકાસ તથા સ્વચ્છતા જેવા જાહેર ક્ષેત્રોમાં કારકીર્દી બનાવવા માટે યુવાનોને તાલિમ આપવાનો તથા સશક્ત બનાવવાનો છે. એક અઠવાડિયાના વર્કશોપથી લઇને 9થી 12 મહિનાના લાંબાગાળાના અભ્યાસક્રમો સુધીના વિશિષ્ટ કાર્યકમો ઓફર કરીને, SOUL માર્ચ 2027 સુધીમાં ઔપચારિક કાર્યક્રમો શરૂ કરશે.

શ્રી સૌરભ લોહરી, ડિરેક્ટર ઇન-ચાર્જ, સ્કૂલ ઓફ અલ્ટીમેટ લિડરશીપ કહે છે, “નેતાગીરીએ ફક્ત બીજાને માર્ગદર્શન આપવા વિશે નથી, પણ તે તેમને દ્રષ્ટિકોણ, હેતુ તથા પ્રમાણિક્તા સાથે કામ કરવા માટે પ્રેરણા આપવા વિશે છે. જાહેર હિતનો હેતુ સૌથી મોટો છે. આપણા માનનિય વડાપ્રધાનના દ્રષ્ટિકોણ સાથે સુસંગત SOUL ખાતે અમારો હેતુ નવી પેઢીના નેતાઓને સજ્જ કરવાનો છે, જેઓ તેમની યોગ્યતા અને પ્રતિબદ્ધતાથી ઉભરી આવશે, તેમને શાસન અને જાહેર સેવાની જટિલતાઓને પાર કરવા માટે જરૂરી જ્ઞાન તથા કુશળતાથી સજ્જ કરવામાં આવશે.SOUL લીડરશીપ કોન્ક્લેવ નેતૃત્વ અને સમાજ પર તેની ગહન અસર પર અર્થપૂર્ણ સંવાદ શરૂ કરવાની એક અનોખી તક આપે છે, આ એક એવું પ્લેટફોર્મ બનાવે છે, જ્યાં નવા વિચારો ખીલી શકે છે અને નેતાઓની આગામી પેઢીને પણ પ્રેરણા આપી શકે છે.

SOUL લીડરશીપ કોન્ક્લેવની પ્રથમ આવૃતિમાં જે વક્તાઓ ભાગ લેશે તેમાં અશ્વિની વૈશ્નવ- રેલવે, માહિતી અને પ્રસારણ મંત્રી, ડો. ડી.વાય. ચંદ્રચુડ- ભારતના ભૂતપૂર્વ ન્યાયાધીશ, શક્તિકાંતા દાસ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગર્વર્નર, બીકે શિવાની, બ્રહ્મકુમારીના આધ્યાત્મિક નેતા, ગુકેશ દોમારાજુ- વર્તમાન વિશ્વ ચેસ ચેમ્પિયન, અજય પિરામલ- પિરામિલ જૂથના ચેરમેન અને સુનિલ ભારતી મિત્તલ, ભારતી એન્ટરપ્રાઈઝીસના સ્થાપક અને ચેરમેન સહિતના અન્ય વક્તાઓનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *