રિઝર્વ બેન્કે રેપોરેટ જાળવાી રાખતા પ્રશાંત પિંપલે, ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર – ફિક્સ્ડ ઇન્કમ બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડનો અભિપ્રાય
અપેક્ષા મુજબ, આરબીઆઈએ તેનો ચાવીરૂપ દર 6.50% પર યથાવત રાખ્યો અને ફુગાવો 4% ટાર્ગેટ બેન્ડની અંદર રહે તેની ખાતરી કરવા માટે અકોમોડેશન પાછું ખેંચવાનું વલણ જાળવી રાખ્યું. મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ના તમામ 6 સભ્યોએ વૃદ્ધિની ફુગાવાની ગતિશીલતા અને તરલતાની સ્થિતિને ધ્યાનમાં રાખીને દર સ્થિર રાખવાનો નિર્ણય કર્યો. ફેબ્રુઆરી 2023 સુધી શ્રેણીબદ્ધ વધારા પછી આરબીઆઈએ ઓનશોર ગ્રોથને ટેકો આપવા માટે વર્તમાન દરને જાળવી રાખ્યો છે અને ફુગાવાની વિકસતી સ્થિતિ અને વૈશ્વિક નાણાંકીય ક્રિયાઓને જોતાં દર લાંબા સમય સુધી જાળવી રાખવાની અપેક્ષા છે.
કામચલાઉ ધોરણે, આરબીઆઈએ બેંકિંગ સિસ્ટમમાં રૂ. 2000ની નોટ પરત કરવા સહિતના વિવિધ પરિબળો દ્વારા પેદા થતી વધારાની પ્રવાહિતાને સંબોધવા માટે સપ્ટેમ્બર 2023 સુધીના સમયગાળા માટે 10% ના ઇન્ક્રીમેન્ટલ સીઆરઆર (આઈસીઆરઆર)માં વધારો કરવાનો નિર્ણય કર્યો. આ પગલું વેરિયેબલ રેપો રેટ (વીઆરઆર) અને વેરિયેબલ રિવર્સ રેપો રેટ (વીઆરઆરઆર) ઓક્શન આરબીઆઈ અત્યાર સુધી કોઈપણ પ્રવાહિતાના મુદ્દાને ઉકેલવા માટે આયોજિત કરતું હતું તેવા દૈનિક માપથી ઉપર હતું.
શાકભાજીના ભાવમાં વધારો જે મોસમી લાગે છે અને અલ નીનો અસર જે થોડી લાંબી અસર કરી શકે છે તેના કારણે નજીકના ગાળામાં ફુગાવો આરબીઆઈના લક્ષ્યાંક 4% (+/- 2%) થી ઉપર રહેવાની ધારણા છે. તદનુસાર, આરબીઆઈએ તેની નાણાંકીય વર્ષ 2024ની ફુગાવાની અપેક્ષાઓ 5.10%થી વધારીને 5.40% કરી અને તેના જીડીપી અનુમાનને 6.50% પર સ્થિર રાખ્યું.