મંદિરમાં જીવનસાથી બનાવનારો દિલીપ હિન્દુ નહીં મુસલમાન હતો, મહિલાએ આ મામલે બીકાપુર પોલીસ સ્ટેશનમાં

ફરીયાદ કરી
અયોધ્યા
ધર્મ નગરી અયોધ્યામાં ધર્માંતરણનો મામલો સામે આવ્યો છે. ગોરખપુર નિવાસી મહિલા સાથે ઓળખ છુપાવીને લગ્ન કરવામાં આવ્યા હતા. અયોધ્યામાં સાસરે ગયા બાદ ખુલાસો થયો કે, પતિ બનેલો દિલીપ સરફરાજ છે. મહિલાની ફરિયાદ પર પોલીસે દિલીપ બનેલા સરફરાઝની ધરપકડ કરી લીધી છે. પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. ગોરખપુર જિલ્લાના મજગવા પોલીસ સ્ટેશનની રહેવાસી મહિલા મુંબઈમાં પતિ અને બે બાળકો સાથે રહેતી હતી. પતિના મોત બાદ મહિલા એકલી પડી ગઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે પાડોશી દિલીપે મુશ્કેલીના સમયે મદદ કરીને મહિલાનો વિશ્વાસ જીતી લીધો હતો. મહિલાનો વિશ્વાસ જીત્યા બાદ દિલીપે તેમની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારબાદ બંનેએ મુંબઈના જિવદાની મંદિરમાં લગ્ન કરી પતિ-પત્નીની જેમ રહેવા લાગ્યા. ત્રણ દિવસ અગાઉ જ મહિલા મુંબઈથી પતિ સાથે અયોધ્યા પહોંચી.
પતિનું ઘર બીકાપુર કોતવાલી વિસ્તારમાં ભગ્ગૂ જલાલપુરમાં છે. બીજા દિવસે અયોધ્યામાં પતિએ મહિલા સાથે બળજબરી પૂર્વક નિકાહ કર્યા. ત્યારબાદ મહિલાને જણાવ્યું કે, તેણે મુસ્લિમ રીતિ-રિવાજ પ્રમાણે તેની ઘરમાં રહેવું પડશે. ઘરે રહેતા તેને સચ્ચાઈની ખબર પડી કે, મંદિરમાં જીવનસાથી બનાવનારો દિલીપ હિન્દુ નહીં મુસલમાન હતો. મહિલાએ આ મામલે બીકાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી. પોલીસે આ મામલે કાર્યવાહી કરતા દિલીપ બનેલા સરફરાઝની ધરપકડ કરી લીધી છે.
એસએસપી અયોધ્યા રાજ કરન નય્યરે જણાવ્યું કે, મહિલા છેલ્લા 12 વર્ષોથી મુંબઈમાં રહેતી હતી. પતિના મોત બાદ પાડોશી સાથે લગ્ન કર્યા. પાડોશીએ ખોટી ઓળખ બતાવીને તેની સાથે લગ્ન કર્યા હતા. મહિલાને સત્યથી અજાણ રાખી લગ્ન કરવામાં આવ્યા હતા. ગામ આવ્યા બાદ પતિની અસલિયતનો ખુલાસો થયો. પોલીસે ઘટના સ્થળ પર જઈ તપાસ હાથ ધરી. ધર્મ પરિવર્તનના પ્રયત્નનો ખુલાસો થતાં યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. મહિલા તેના બંને બાળકોને લઈને તેના પિયર ગોરખપુર જતી રહી છે.