અદાણી સ્પોર્ટ્સલાઈને રણધીર સિંહ સેહરાવતને ગુજરાત જાયન્ટ્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા
અમદાવાદ પ્રો કબડ્ડી લીગ (PKL) ની આગામી સીઝન પહેલા, અદાણી સ્પોર્ટ્સલાઈને અનુભવી કબડ્ડી વ્યૂહરચનાકાર રણધીર સિંહ સેહરાવતને ગુજરાત જાયન્ટ્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. “કબડ્ડીના ચાણક્ય” તરીકે જાણીતા, સેહરાવત લીગના સૌથી અનુભવી કોચમાંના એક છે, જે 2014 માં શરૂઆતથી PKL સાથે સંકળાયેલા છે. તેમના કાર્યકાળ દરમિયાન, તેમની ટીમોએ સીઝન-6માં PKLનું ટાઇટલ જીત્યું અને છ…
