સુરત નવી સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ: ૧૦૦મું સફળ કેડેવર અંગદાન સંપન્ન
સ્વ. ભલાભાઈ હળપતિના પરિવારના માનવતાવાદી નિર્ણયથી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને મળ્યું નવજીવન; આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પરિવારને પાઠવી સાંત્વના સુરત શ્રાવણ માસના પવિત્ર સોમવાર અને એકાદશીના અવસરે સુરત નવી સિવિલ હોસ્પિટલના અંગદાન અભિયાનમાં એક અત્યંત ગૌરવવંતી અને ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૦૦ સફળ કેડેવર અંગદાન કરવામાં આવ્યા છે, જે રાજ્યમાં અંગદાન…
