એપ્રિલમાં ૪,૧૯૩થી વધુ એકમોની તપાસ; રૂ. ૧.૮૩ લાખનાં ૧,૦૧૮ કિગ્રા શંકાસ્પદ પનીરનો નાશ કરાયો

ગાંધીનગર રાજ્ય સરકાર નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરવાની નીતિ પર હંમેશથી મક્કમ છે. આ અંતર્ગત આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આજે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી, રાજ્યમાં ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઇવની સમીક્ષા કરી હતી અને આ સ્પેશિયલ ડ્રાઇવને હજુ વધુ તીવ્ર બનાવવાના આદેશ આપ્યા હતા. આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું…