સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 21 સેન્ટીમીટરનો વધારો
ડેમની સપાટી 126.85 મીટરે પહોંચી; કુલ જળસંગ્રહ ક્ષમતા 65.54 ટકા, પાણીની આવક 11,084 ક્યુસેક નોંધાઈ કેવડિયા: રાજ્યમાં વરસાદની સ્થિતિ વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક યથાવત રહેતા ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની જળસપાટીમાં 21 સેન્ટીમીટરનો વધારો થયો છે, જેના પરિણામે ડેમની સપાટી 126.85 મીટર…
