અમદાવાદમાં ક્રિકેટને ગાજતું કરનાર કોચ કુરેશી સરનું નિધન

અમદાવાદછેલ્લા સાડા ચાર દાયકાથી અમદાવાદમાં ક્રિકેટ કોચ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર કોચ એમ.એસ કુરેશીનું ટુંકી માંદગી બાદ ૮૧ વર્ષની વયે બુધવારે અમદાવાદમાં નિધન થયું હતું. ૧૯૭૭માં અમદાવાદના નવરંગપુરા ખાતેના સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટનું કોચિંગ શરૂ કરનાર કુરેશી સરે તેમના સાડા ચાર દાયકા દરમિયાન ૯૦ હજારથી વધુને ક્રિકેટનું કોચિંગ આપ્યું હતું. તેમની પાસે તાલિમ મેળવનારા સંખ્યાબંધ…