દારૂના નશામાં પોલીસ સ્ટેશનને ઊડાડી દેવાની ધમકી

આરોપી શિવકુમારની ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો પ્રયાગરાજ યુપીના પ્રયાગરાજમાં એક વ્યક્તિએ ડાયલ 112 પર ફોન કરીને કોતવાલી પોલીસ સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકીભર્યા કોલને કારણે પોલીસની ટીમ એક્શનમાં આવી ગઈ અને વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે પોલીસ સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિ બીજું કોઈ…

અનંતનાગમાં ગ્રેનેડ હુમલામાં સેનાના જવાન સહિત ત્રણ ઘાયલ

સુરક્ષા દળોએ અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારના અથલાન ગાડોલે ગામમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન કરતા આતંકીઓનો હુમલો જમ્મુ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લો અવાનવાર સેના અને આંતકી વચ્ચે અથડામણને કારણે ચર્ચામાં રહેતો હોય છે. આજે પણ  આ જિલ્લામાં આંતકી દ્વારા ગ્રેનેડ હુમલો થયાના સમાચાર મળી રહ્યા છે. આ હુમલામાં સેનાના જવાન સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. સત્તાવાર…

ભારતમાં વિસ્ફોટ-મોદીની હત્યાની ધમકીથી તપાસનો ધમધમાટ

૬ઠ્ઠી ઓગસ્ટે વેબસાઈટ પર કથિતરૂપે ટિપ્પણી પોસ્ટ કરનારી વ્યક્તિ એમ.એ. મોખીમ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધયો પુણે મહારાષ્ટ્રના પુણેમાં ચલાવવામાં આવતી હિન્દુ ધર્મ વિશેનાં તથ્યોને સમર્પિત વેબસાઈટને ભારતમાં બોમ્બ વિસ્ફોટ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપતી પોસ્ટ મળી છે, એવું પોલીસે જણાવ્યું હતું.૬ઠ્ઠી ઓગસ્ટે વેબસાઈટ પર કથિતરૂપે ટિપ્પણી…

વેપારીના અપહરણ કેસમાં શિંદે જૂથના ધારાસભ્યના પુત્ર સામે ગુનો દાખલ

મુંબઈના ગ્લોબલ મ્યુઝીક જંકશનની ઓફિસમાં તોડફોડ કરી વેપારીનું અપહરણ કરી વિધાનસભ્ય પ્રકાશ સુર્વેની ઓફિસમાં લઇ જવામાં આવ્યો મુંબઈ બંદૂકની અણીએ મુંબઈના એક વેપારીના અપહરણ કરવા બાબતે શિંદે જૂથના વિધાનસભ્ય પ્રકાશ સુર્વેના દિકરા સહિત કેટલાક લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 10 થી 15 લોકોએ બુધવારે 9 ઓગષ્ટના રોજ બપોરે મુંબઈના ગ્લોબલ મ્યુઝીક જંકશનની ઓફિસમાં…

જીઆરપીની ટીમે મુંબઈ સેન્ટ્રલ કાર શેડમાં ક્રાઈમ સીન રિક્રીએટ કર્યો

કાર શેડમાં ઊભેલી ટ્રેનના જે કોચમાં આરપીએફના એએસઆઈ અને ત્રણ પ્રવાસીઓની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી તેમાં જીઆરપીની ટીમ ગઈ મુંબઈ રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના કોન્સ્ટેબલ ચેતન સિંહે ૩૧ જુલાઈની સવારે દોડતી ટ્રેનમાં કરેલા ગોળીબારમાં ચાર જણે જીવ ગુમાવ્યાની ઘટનાની તપાસના ભાગ રૂપે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ની ટીમે કાર શેડમાં ઊભેલી જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ…

નારાયણ રાણેએ સાથી સાંસદને ગૃહમાં જ ધમકાવ્યા

સાંસદે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન અરવિંદ સાવંતને કહ્યું કે ‘ઓય બેસ નીચે… નવી દિલ્હીમંગળવારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા વચ્ચે માહોલ ગરમ રહ્યો. મણિપુરમાં હિંસા મુદ્દે કેન્દ્ર સરકાર સામે આ અવિશ્વાસ પ્રસ્તાવ લવાયો છે જેના પર ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન કેન્દ્રીયમંત્રી નારાયણ રાણે લોકસભામાં બોલતી વખતે નિયંત્રણ ગુમાવી બેઠા અને તેમના સાથી…

કલમ 370 નાબૂદ કરવા પર બ્રેક્ઝિટ જેવા જનમતનો કોઈ પ્રશ્ન જ નથીઃ સુપ્રીમ

કલમ 370ની નાબૂદી બંધારણીય રીતે માન્ય હતી કે નહી તે અંગે કોર્ટ મૂલ્યાંકન કરી રહી છે નવી દિલ્હીસુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને પડકારતી અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે ત્યારે ગઈકાલે કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું હતું કે કલમ 370 નાબૂદ કરવા પર બ્રેક્ઝિટ જેવા જનમતનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે કલમ 370ની…

ભૂસ્ખલનથી અમરનાથ યાત્રા અસ્થાયી રૂપે અટકાવાઈ

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર વાહનોની અવાર જવર પણ ઠપ જમ્મુઆજે રામબન જિલ્લામાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવેને બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે જમ્મુથી શ્રીનગરની અમરનાથ યાત્રાને અસ્થાયી રૂપે અટકાવવામાં આવી હતી. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર વાહનોની અવાર જવર પણ ઠપ થઇ ગઈ છે.રામબનમાં ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓને સૌથી વધારે મુશ્કેલીનો…

સરકારે આઠ યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ લાદી દીધો

સરકાર સોશિયલ મીડિયા પર થઈ રહેલી ગતિવિધિઓ પર સતત નજર રાખી રહી છે તેમા પણ ખોટા સમાચારને લઈને સરકારે ખુબ જ કડક વલણ અપનાવ્યું નવી દિલ્હીસરકારે ગઈકાલે મોટી કાર્યવાહી કરતા આઠ યુટ્યુબ ચેનલો બંધ કરી દીધી છે. સરકારે ગઈકાલે કહ્યું કે તેણે લોકસભાની ચૂંટણી અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર પ્રતિબંધ જેવા ખોટા સમાચાર ફેલાવવા પર…

ભારત છોડોની વર્ષગાંઠ ઊજવવા નિકળેલા તુષાર ગાંધીની અટકાયત

સાંતાક્રૂઝ પોલીસે થોડા સમય બાદ છોડી દીધા, તુષાર ગાંધીએ ટ્વીટ કરીને તમામ માહિતી શેર કરી મુંબઈમહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની મુંબઈમાં પોલીસે અટકાયત કરી છે. તુષાર ગાંધીએ પોતે ટ્વીટ કરીને અટકાયત કરી હોવાનો દાવો કર્યો છે. તુષારે ટ્વીટ કર્યું કે તેમની સાંતા ક્રુઝ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જોકે થોડા સમય બાદ તેમને છોડી…

ગોપાલ કાંડાના ઘર અ ને ઓફિસો પર ઈડીના દરોડા

ગોપાલ કાંડા હરિયાણા લોકહિત પાર્ટીના મુખિયા છે, તેઓ હરિયાણાની ભાજપ અને જેજેપીની ગઠબંધન સરકારને બહારથી સમર્થન આપી રહ્યા છે ચંદિગઢએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ હરિયાણાના ચર્ચિત ધારાસભ્ય ગોપાલ કાંડા પર દરોડા પાડ્યા છે. ઈડીની ટીમો સવારે 6 વાગ્યે તેમના ગુરુગ્રામના ઘરે અને એરલાઈન્સ કંપની એમડીએલઆર ઓફિસે પહોંચી હતી. જ્યાં કડક સુરક્ષા વચ્ચે તેના સ્થાને દસ્તાવેજોની ચકાસણી…

નૂહ રમખાણો સુનિયોજિત, રાજકીય પક્ષીની ભૂમિકાની તપાસ જરૂરીઃ દુષ્યંત ચૌટાલા

ડેપ્યુટી સીએમએ વહીવટી નિષ્ફળતાની વાત સ્વીકારતાં કહ્યું કે સરકારના અધિકારી કોઈપણ સ્થિતિનું યોગ્ય રીતે આકલન ન કરી શક્યા નવી દિલ્હીનૂહ રમખાણો મામલે ફરી એકવાર દુષ્યંત ચૌટાલાએ સરકાર સામે સવાલો ઊઠાવ્યા. તેમણે કહ્યું કે સરકાર નૂહમાં સ્થિતિનું સાચું અનુમાન લગાવવામાં જ નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે જિલ્લા તંત્ર પાસે એવી માહિતી હતી કે ધાર્મિક સરઘસમાં…

આપના સાંસદ ટામેટાંની માળા પહેરીને સંસદ ગૃહમાં પહોંચ્યા

મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસમાં આપના સાંસદ સુશીલ ગુપ્તાએ અનોખી રીતે વિરોધ કર્યો નવી દિલ્હીરાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આપ સાંસદ સુશીલ ગુપ્તા ટામેટાંની માળા પહેરીને આવતાં મામલો બગડ્યો હતો. જેના બાદ ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી અને જેના પગલે રાજ્યસભાની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. રાજ્યસભા બાદ લોકસભામાં…

રાહુલ ગાંધીએ રસ્તામાં અકસ્માતગ્રસ્ત સ્કૂટી ચાલકની મદદ કરી

કોંગ્રેસના નેતા સંસદ જવા નિકળ્યા ત્યારે રસ્તામાં એક સ્કૂટીને અકસ્માત થયો હોઈ તેમણે કાર રોકીને મદદ કરી નવી દિલ્હીલોકસભામાં આજે સતત બીજા દિવસે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ ચર્ચામાં સામેલ થયા છે. આજે કોંગ્રેસના નેતા તેમના નિવાસસ્થાનથી સંસદ જવા નીકળ્યા ત્યારે તેમની કાર અચાનક રોકાઈ ગઈ હતી. તેમની…

રાહુલની ફ્લાઈંગ કિસ પર સ્મૃતિ ઈરાની વિફર્યા

રાહુલ ગાંધીએ બહાર નીકળતી વખતે અભદ્ર ઈશારો કર્યો, આવું માત્ર એક મહિલા દ્વેષી વ્યક્તિ જ કરી શકે છેઃ સ્મૃતિ નવી દિલ્હીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે લોકસભામાં મણિપુર વિવાદને લઈને ભાજપ પર જબરદસ્ત પ્રહારો કર્યા… તો રાહુલને વળતો જવાબ આપવા ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિએ ઈરાની પણ આક્રમક જોવા મળ્યા… લોકસભામાં રાહુલ ગાંધીનું ભાષણ બાદ…

ભાજપને દેશ છોડવા મજબૂર કરી દઈશુઃ મમતા બેનર્જી

ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પૂર્વોત્તર રાજ્યોની હાલત સુધારવામાં નિષ્ફળ રહી છે, ભગવા પાર્ટીએ દેશ છોડી દેવો જોઈએ કોલકાતાપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ આજે મણિપુર હિંસા અંગે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પૂર્વોત્તર રાજ્યોની હાલત સુધારવામાં નિષ્ફળ રહી છે. ભગવા પાર્ટીએ દેશ છોડી દેવો જોઈએ.ઉલ્લેખનિય છે કે, મમતા…

હરિયાણાના ત્રણ જિલ્લામાં મુસ્લિમ વેપારીઓ પર પ્રતિબંધ

આ પત્રોમાં કહેવામાં આવ્યું છે કે, અમારો ઈરાદો કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી, જે પેઢીઓથી અહીં રહી રહ્યા છે તેમને છોડીને હાલના વર્ષમાં અહીં રહેતા લોકોની ઓળખ ચકાસાશે ચંદિગઢહરિયાણાના ત્રણ જિલ્લા રેવાડી, મહેન્દ્રગઢ અને ઝજ્જરની પચાસથી વધુ પંચાયતોએ તેમના સંબંધિત વિસ્તારોમાં મુસ્લિમ વેપારીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા પત્રો જારી કર્યા છે. આ પચાસ પંચાયતોના…

શાળામાં રાષ્ટ્રગીત ગાતી વખતે વિદ્યાર્થીનીનું એટેક આવતાં મોત

શાળા પ્રબંધન સાથે જોડાયેલા લોકો તાત્કાલિક વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરો તેનો જીવ ન બચાવી શક્યા ચામરાજનગરકર્ણાટકના ચામરાજનગરમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. એક સ્કૂલમાં સવારની સભા દરમિયાન રાષ્ટ્રગીત ગાતી વખતે એક વિદ્યાર્થીનીને હાર્ટ એટેક આવી ગયો હતો. શાળા પ્રબંધન સાથે જોડાયેલા લોકો તાત્કાલિક વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરો તેનો જીવ ન…

સેના મણિપુરમાં એક દિવસમાં શાંતિ સ્થાપી શકે છે, સરકાર ઉપયોગ કરતી નથીઃ રાહુલ

મોદી સરકાર સામે નિશાન તાક્તા રાહુલ ગાંધીએ કહ્યું, તમે લોકોએ મણિપુરમાં હિન્દુસ્તાન, ભારત માતાની હત્યા કરી છે, તમે ભારતની સુરક્ષા કરનારા નથી પણ તમે તેમના હત્યારા છો નવી દિલ્હીસંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે બીજા દિવસે ચર્ચા થઈ રહી છે જેમા સાંસદ પદ પરત મળ્યાં બાદ રાહુલ ગાંધી પહેલીવાર…

ગુજરાતની કુલ સોલાર કેપેસિટી10,133 મેગાવોટે પહોંચી

નવી અને રિન્યુએબલ એનર્જી તથા વીજ વિભાગના મંત્રીનો રાજ્યસભાના સાંસદપરિમલ નથવાણીને પ્રત્યુત્તર ગુજરાતની કુલ સોલાર ઊર્જાની સ્થાપિત ક્ષમતા 30મી જૂન, 2023ના રોજ 10,133.66 મેગાવોટે પહોંચી છે. ગુજરાતનું સોલાર વીજ ઉત્પાદન 2022-23માં 10,335.32 MU હતું. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં નવી અને રિન્યુએબલ એનર્જી તથા વીજ મંત્રી આર કે સિંહે 08 ઓગસ્ટ, 2023ના…