મણિપુર હિંસા મામલે સુપ્રીમ હાઈકોર્ટનાં 3 પૂર્વ મહિલા જજની સમિતિ બનાવશે

આ કમિટી તપાસ, રાહત કાર્યો, સારવાર, વળતર, પુર્નવસન વગેરે કામો પર નજર રાખશે, ન્યાયમૂર્તિ ગીતા મિત્તલ ત્રણ પૂર્વ જજોની સમિતિની અધ્યક્ષતા કરશે નવી દિલ્હીમણિપુરમાં છેલ્લા ઘણા મહિનાઓથી હિંસાઓ ચાલી રહી છે અને હજુ પણ હિંસા થમવાનું નામ લેતી નથી, ત્યારે આજે સુપ્રીમ કોર્ટે જાતીય હિંસા સંબંધીત અરજી અંગે સુનાવણી હાત ધરી હતી. સરકાર તરફથી હાજર…

રાજસ્થાન પોલીસની 354 ટીમના દરોડામાં 764 આરોપી ઝડપાયા

764માંથી 179 ગુનેગારો કાયમી વોરંટ, ઈનામી ગુનેગારો અને ધરપકડ વોરંટમાં વોન્ટેડ છે, 1575 પોલીસ અધિકારીઓ અને જવાનોએ 1462 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યાબીકાનેરરાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના આદેશ બાદ બીકાનેર રેંજમાં ફરી ગુનેગારો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે એક જ દિવસમાં જુદા જુદા ગુનાઓમાં 764 ગુનેગારોને દબોચી લીધા છે. આઈજી ઓમપ્રકાશે જણાવ્યું કે, રેંજના…

બોમ્બ વિસ્ફોટની ધમકી આપનારો યુટ્યુબર પુંડુચેરીથી ઝડપાયો

હજુ એ જાણવાનું બાકી છે કે ધરપકડ કરાયેલો યુવક જતીન પ્રજાપતિ (19)એ શા માટે કોલ કર્યા હતા મુંબઈ  શુક્રવારે મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટના ધમકીભર્યા કોલ કરવા બદલ પુડુચેરીમાંથી એક યુટ્યુબરની ધરપકડ કરવામાં આવી છે. ફોન કરનારે પોતાને ફક્ત ‘પરીખ’ તરીકે ઓળખાવ્યો હતો, તેણે બપોરે 3.30થી 9 વાગ્યાની વચ્ચે બંને એરપોર્ટને ઉડાવી દેવાની…

હરિયાણામાં બૂલડોઝર કાર્યવાહી પર હાઈકોર્ટની રોક

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે જાતે જ સુઓ મોટો હાથ ધરી હતી અને પછી આ ચુકાદો આપતાં બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી નૂહ હરિયાણાના નૂહ, મેવાત સહિત વિવિધ વિસ્તારોમાં ભડકેલી હિંસા બાદ હરિયાણા સરકારે કડકાઈ કરતાં બુલડોઝર ફેરવવાની શરૂઆત કરી હતી. સતત ચારથી પાંચ દિવસ સુધી હરિયાણા સરકારે બુલડોઝરની કાર્યવાહી કરતાં રમખાણોમાં સામેલ લોકોના મકાનો, દુકાનો, હોટેલો તોડી…

ભારત વિરૂધ્ધ બોલશે તેનો જીવ લઈ લઈશુઃ કૈલાશ વિજયવર્ગીય

વિજયવર્ગીય મધ્યપ્રદેશમાં યોજાનારી ચૂંટણીની તૈયારીઓ માટે રતલામ ગ્રામીણ વિધાનસભા ક્ષેત્રમાં આયોજિત કાર્યકર્તા સંમેલનમાં સામેલ થવા પહોંચ્યા રતલામ ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની જીભ લપસી ગઈ હતી. તેમણે એક વિવાદિત નિવેદન આપ્યું. તેમણે મધ્યપ્રદેશના રતલામમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે જે પણ ભારત માતાની જય બોલશે તે અમારો ભાઈ છે. અમે તેના માટે જીવ પણ આપી…

પૂંછમાં એલઓસી નજીક સૈન્યએ બે આતંકીને ઠાર કર્યા

સવારે ભારતીય સૈન્ય અને સ્થાનિક પોલીસના સંયુક્ત અભિયાન હેઠળ આ ઘૂસણખોરીને નિષ્ફળ બનાવાઈ જમ્મુ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં એલઓસી નજીક સૈન્યએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. આ દરમિયાન બે આતંકીઓને ઠાર મરાયા હતા. એક સંરક્ષણ અધિકારીએ આ  માહિતી આપી હતી.  સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનીલ બર્તવાલે કહ્યું કે પૂંછ જિલ્લામાં ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવી દેવાયા છે….

અંતરિક્ષમાં 8400 ટન કચરો, પૃથ્વી પર તબાહીની શક્યતા

અંતરિક્ષમાં કચરો મોટાભાગે 18 હજારથી લઈને 28 હજાર માઈલ્સ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની કક્ષામાં ફરે છે નવી દિલ્હી કચરાની સમસ્યા ફક્ત પૃથ્વી પર જ નહીં પરંતુ અંતરિક્ષમાં પણ વધતી જઈ રહી છે. પૃથ્વીની કક્ષામાં માનવીએ બનાવેલી અનેક કૃત્રિમ વસ્તુઓ સમય અને ઉદ્દેશ્ય પૂરો થયા બાદ જ હજુ અંતરિક્ષમાં ફરી રહી છે. નાસાએ જણાવ્યું કે આશરે…

નૂંહમાં કર્ફ્યુમાં ચાર કલાકની મુક્તિ,એટીએમ કોલવા મંજૂરી

વહીવટીતંત્ર દ્વારા બજાર ખુલવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી નૂંહ નૂંહમાં ઉપદ્રવીઓના તાંડવ બાદ ધીમે-ધીમે સ્થિતિ સામાન્ય બની રહી છે પરંતુ હજું પણ નૂંહમાં કર્ફ્યૂ યથાવત છે. કર્ફ્યૂથી લોકોને રાહત આપવા માટે તંત્રએ 4 કલાકની છૂટ આપી છે. વહીવટી તંત્રએ 8 ઓગષ્ટ સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવ્યો છે. જિલ્લાની તમામ શાકમાર્કેટ સવારે 6:00 વાગ્યાથી ખોલવામાં…

મણિપુરમાં મૈતેઈ દ્વારા પણ બીરેનસિંહના રાજીનામાની માગ

બિરેન સિંહ સરકાર સામે એક નવો પડકાર ઉભો થયો, મૈતેઈ સંગઠને એન.બિરેન સિંહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી ઈમ્ફાલ મણિપુરના વિષ્ણુપુરના ક્વાટામાં મૈતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. તાજેતરમાં ચુરાચંદપુર અને વિષ્ણુપુરએ હિંસાનું કેન્દ્ર બન્યું છે. આ ઘટના બાદ એન.બીરેન સિંહની સરકાર સાથે ઉભેલુ મૈતેઈ સંગઠન પણ હવે તેમના વિરોધમાં જોવા…

ઈન્ડિયાના ગઢન છતાં લોકસભામાં એનડીએનો ઘોડો વિનમાં રહેવાનાં સંકેત

રાજસ્થાનમાં એનડીએને 21 હિમાચલમાં 3, કર્ણાટકમાં 20, છત્તિસગઢમાં સાત બેઠક મળે એવી સર્વેમાં શક્યતા વ્યક્ત કરાઈ નવી દિલ્હી 2024ની લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો પોતપોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. પ્રાદેશિક પક્ષો પણ તેમની ભૂમિકાને મજબૂત રીતે રજૂ કરી રહ્યા છે. જેથી તેમને યોગ્ય ધ્યાન અને જરૂરિયાત મુજબની ભૂમિકા મળી શકે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…

રાહુલ ગાંધીના સાંસદપદને લોકસભા સ્પિકરે મંજૂરી આપી

વિપક્ષી ગઠબંધન માટે આ મોટા સમાચાર, કોંગ્રેસમાં ખુશીની લહેર નવી દિલ્હી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત અપાયા બાદ હવે તેમના સાંસદ સભ્ય પદને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. હવે લોકસભા સ્પીકરે તેમના સાંસદ પદ માટે મંજૂરી આપી દીધી છે. તેમનું સાંસદ પદ બહાલ થઈ ગયું છે. તેઓ હવે ફરી સંસદમાં જોવા…

અલવર જિલ્લા વિધાનસભાની અનામત બેઠક ખેડલીમાં મિશન હમ ભારત કે બ્રાહ્મણ ક્ષત્રિયની એક બેઠકનું આયોજન

અલવર જિલ્લા વિધાનસભાની અનામત બેઠક ખેડલીમાં મિશન હમ ભારત કે બ્રાહ્મણ ક્ષત્રિયની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જયપુરના કન્વીનરો યોગેશ્વર નારાયણ શર્મા, સંજય તિવારી, રમાકાંત શર્મા, કર્નલ આર.કે. એસ. રાજપુરોહિત અને રણજીત સિંહે ભાગ લીધો હતો અને મિશનની માંગણીઓ વિશે માહિતગાર કર્યા હતા અને 1961 પહેલા બે સભ્યોની ચૂંટણી વિશે જણાવ્યું હતું. બેઠકમાં…

દિલ્હીમાંથી મિસાઈલ જેવી વસ્તુ મળતા ખળભળાટ

મામલાની ગંભીરતાને જોતાં એનએસજીની ટીમને તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવી, જે વસ્તુ મળી છે તે એક જૂનો મોર્ટાર શેલ હોઈ શકે છે નવી દિલ્હી દેશની રાજધાની દિલ્હીમાં મિસાઈલ જેવી વસ્તુ મળી હોવાના અહેવાલે ખળભળાટ મચાવી દીધો છે. મામલાની ગંભીરતાને જોતાં એનએસજીની ટીમને તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવી હતી. અત્યાર સુધીની માહિતી અનુસાર, જે વસ્તુ મળી છે તે…

કાશ્મીરના ગુલમર્ગમાં 5.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો

ભૂકંપનું કેન્દ્ર 129 કિ.મી.ની ઊંડાઇ પર હતું, ભૂકંપને કારણે જાનમાલના નુક્સાનના હાલ કોઇ સમાચાર આવ્યા નથી શ્રીનગરજમ્મુ-કાશ્મીરમાંથી એક મોટા સમાચાર જાણવા મળ્યા છે. ગુલમર્ગમાં આજે સવારે એટલે કે શનિવારે ભૂકંપના તીવ્ર ઝાટકા લાગ્યા હતા. રિ્ક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર સવારે 8.36 કલાકે ભૂકંપ આવ્યો હતો….

વિધવાના મંદિર પ્રવેશ પર રોક સામે મદ્રાસ કોર્ટનું આકરું વલણ

મહિલાની પોતાની અલગ ઓળખ હોય છે અને તેને વૈવાહિક દરજ્જાના આધારે કોઈપણ રીતે ઘટાડી ન શકાયઃ કોર્ટ ચેન્નાઈમદ્રાસ હાઈકોર્ટે વિધવા મહિલાઓના પ્રવેશ પર રોક લગાવનારી પ્રથાઓ પર સખત ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે, કોઈ પણ સભ્ય સમાજમાં આ પ્રકારની પ્રથા ન હોઈ શકે. કોર્ટે એક મહિલાની અરજી પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી છે….

કાશ્મીરમાં પીડીપીના ચીફ મહેબૂબા મુફ્તીને નજરકેદ કરાયા

પોલીસે રાત્રે દરોડા પાડ્યા અને પીડીપીના ઘણા નેતાઓને પોલીસ સ્ટેશનમાં બંધ કરી દીધા હોવાનો કાશ્મીરનાં પૂર્વ મુખ્યપ્રધાનનો દાવો જમ્મુજમ્મુ અને કાશ્મીરમાં અનુચ્છેદ 370 નાબૂદ કરવાની ચોથી વર્ષગાંઠ પર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા કડક કરવામાં આવી છે. દરમિયાન પીડીપી ચીફ અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ દાવો કર્યો છે કે, તેમની સાથે અન્ય ઘણા…

દ.ભારતના કેટલાક રાજ્યોમાં તોફાનની શક્યતા, ઉત્તરાખંડ-હિમાચલમાં ભારે વરસાદની આગાહી

પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે, દેશના બાકીના ભાગોમાં વીજળી પડવાની સંભાવના નવી દિલ્હીઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં તોફાનની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. પહાડી રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં…

નૂહમાં તંત્રએ 40 ગેરકાયદેસર દુકાનો પર બુલડોઝર ફેરવી નાખ્યું

શહેરમાં બુલડોઝરની સતત કાર્યવાહીના કારણે ગેરકાયદે બાંધકામ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો નૂહહરિયાણાના નૂહમાં હિંસાને કારણે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. દરમિયાન જિલ્લા પ્રશાસને ફરી એકવાર ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધું છે. આજે અહીં એસએચકેએમ સરકારી મેડિકલ કોલેજ પાસે ગેરકાયદે દુકાનો તોડી પાડવામાં આવી છે. આ સાથે ગેરકાયદે અતિક્રમણ પણ ખાલી કરાવવામાં આવ્યું છે….

નૂહ હિંસા પાછળ મોટો ગેમ પ્લાન છેઃ અનિલ વિજ

હથિયારો ક્યાંથી આવ્યા? આ વાતની અમે ઊંડાણપૂર્વ તપાસ કરીશું, આ બધું એક યોજનાનો ભાગ હોવાનો રાજ્યના ગૃહમંત્રીનો દાવો ચંદિગઢછેલ્લા કેટલાય દિવસથી નૂહ હિંસાની આગમાં તાપી રહ્યું છે. નૂહ હિંસા પર હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે, તેની પાછળ મોટો ગેમ પ્લાન છે. લોકો હાથમાં લાકડીઓ લઈને મંદિરોની બાજુમાં આવેલી ટેકરીઓ…

સગીરા સાથે દુષ્કર્મ બાદ કોલસાની ભઠ્ઠીમાં ફેંકી દીધી, ચારની ધરપકડ

આરોપીઓએ મૃતદેહને ભઠ્ઠીમાં નાખી દીધો હતો, રાતે પછી થેલામાં નાખી તળાવમાં નાખી આવ્યા, પોલીસને તપાસ દરમિયાન બાળકીના અંગો મળી આવ્યા ભીલવાડારાજસ્થાનમાં ભીલવાડા જિલ્લાના કોટડી પોલીસ સ્ટેશનની હદમાં એક સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ અને તેને કોલસાની ભઠ્ઠીમાં બાળી નાખવા મામલે પોલીસે જે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી એ લોકોએ સમગ્ર મામલાનો ખુલાસો કર્યો છે.પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ આદર્શ…