મ.પ્ર.માં કોંગ્રેસનું 500માં ગેસનો બાટલો, 100 યુનીટ વીજળી મફતનું વચન

કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ જબલપૂરથી પ્રચારની શરુઆત કરી જબલપુરમધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે. આ પાર્શ્વભૂમિ પર કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ જબલપૂરથી પ્રચારની શરુઆત કરી છે. આ પ્રસંગે બોલતી વખતે પ્રિયંકા ગાંધીએ મધ્ય પ્રદેશની જનતાને પાંચ મોટા વાયદા કર્યા છે. 225 મહિનામાં ભાજપની સરકારે 220 સ્કેમ કર્યા છે, તેવો આક્ષેપ પણ…

ખેડૂત આંદોલનને આવરી લેતા એકાઉન્ટ બ્લોક કરવા કહેવાયું હતુઃ ડોર્સી

ભારતમાં કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારે ઘણા ગંભીર ટ્વિટર એકાઉન્ટ્સને બ્લોક કરવાની સૂચના આપી હોવાનો આક્ષેપ વોશિંગ્ટનટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીએ એક ઈન્ટરવ્યુમાં ગંભીર આરોપ લગાવ્યા હતા કે તેમની કંપનીને ભારતમાંથી ઘણી વિનંતીઓ મળી હતી, જેમાં તેને ખેડૂત આંદોલનને આવરી લેતા એકાઉન્ટને બ્લોક કરવાનું કહેવામાં આવ્યું હતું. આ સાથે એવા એકાઉન્ટને પણ…

ટ્રેનની ટ્રાયલમાં ભાજપના સાંસદે મુસાફરી કરતા વિવાદ

રેલવે તરફથી આદેશ આપવામાં આવ્યો હતો કે ટ્રેનની ટ્રાયલ દરમિયાન કોઈ પણ બહારના વ્યક્તિને તેમાં મુસાફરી કરવાની પરવાનગી નથી રાંચીપટના-રાંચી વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેનની સોમવારે ટ્રાયલ કરવામાં આવી. આ ટ્રાયલ સફળ રહી પરંતુ દરમિયાન ટ્રાયલ વખતે ભાજપના સાંસદ જયંત સિન્હાની ટ્રેનની મુસાફરી અંગે વિવાદ સર્જાયો. વંદે ભારત ટ્રેન જ્યારે કોડરમા સ્ટેશન પર પહોંચી તો…

રોજગાર મેળા એનડીએ-ભાજપ સરકારની નવી ઓળખ બન્યાઃ મોદી

સ્ટાર્ટ-અપ ઈન્ડિયા અને સ્ટેન્ડ-અપ ઈન્ડિયા જેવા અભિયાનોએ યુવાનોની ક્ષમતામાં વધુ વધારો કર્યાનો દાવો નવી દિલ્હીપીએમ નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 70 હજાર જેટલા યુવાનોને નિમણૂંક પત્રો આપ્યા છે. આ યુવાનોને સરકારના વિવિધ વિભાગોમાં નોકરી આપવામાં આવી છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, આ રોજગાર મેળાઓ એનડીએએ અને ભાજપ સરકારની નવી ઓળખ બની…

રામમંદિરનું કાર્ય અંતિમ તબક્કામાં, જાન્યુઆરીમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા

રામ મંદિર 380 ફૂટ લાંબુ, 250 ફૂટ પહોળુ અને 161 ફૂટ ઊંચુ હશે, કુબેર ટીલા પર શિવ મંદિર અને જટાયુ ભક્તોને આકર્ષિત કરશે લખનૌઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યુ છે. રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું કામ હવે અંતિમ તબક્કામાં છે. દરમિયાન શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય નૃપેન્દ્ર મિશ્રા નિર્માણ કાર્યોનું…

દિલ્હી-એનસીઆર સહિત ઉ.ભારતમાં 5.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

ભૂકંપની અસર શ્રીનગર સુધી થઈ, લોકો ઘરની બહાર દોડી આવ્યા, કોઈ જાનહાનીના સમાચાર નથી નવી દિલ્હીઆજે દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત તેની અસર શ્રીનગર સુધી થઈ હતી. ભૂકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી. જમ્મુના ડોડામાં ભૂકંપનું કેન્દ્રબિંદુ…

જનેતાની હત્યા કરી લાશ સૂટકેસમાં લઈ મહિલા પોલીસ સ્ટેશને પહોંચી

પશ્ચિમ બંગાળની આ યુવતી ફિઝિયોથેરાપિસ્ટ છે અને અહીં તેના પતિ સાથે રહેતી હતી બેંગલુરુબેંગલુરુમાં ચકચાર કરી દે તેવી ઘટના સામે આવી છે. જ્યાં એક પુત્રીએ જ પોતાની જનેતાને મોતને ઘાટ ઉતારી છે. મળતી માહિતી પ્રમાણે એક મહિલાએ તેની માતાની હત્યા કરી અને માતાના મૃતદેહને સૂટકેસમાં રાખીને પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલાએ પોતાની…

યુઝર્સેને નુકશાન કરતી ત્રણ પ્રકારની ગેમ્સને મંજૂરી નહીં અપાય

વપરાશકર્તાઓને નુકસાન પહોંચે છે કે નુકશાન પહોંચી શકે છે અથવા જે ગેમ્સ આદત લગાડી શકે એના પર સરકાર પગલાં લેશે નવી દિલ્હીમોબાઈલ વીડિયો કે ઓનલાઈન ગેમ્સને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. હવે સરકાર આ ત્રણ પ્રકારની ગેમ્સ પર પ્રતિબંધ મૂકશે જેમાં વપરાશકર્તાઓને નુકસાન પહોંચે છે કે નુકશાન પહોંચી શકે છે અથવા જે ગેમ્સ આદત…

ભાજપે 15 જૂન સુધી નિર્ધારિત કાર્યક્રમો મોકૂફ રાખ્યા

15 જૂન સુધી ગુજરાતમાં વડાપ્રધાન મોદીની સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર ભાજપની ઠેર ઠેર સભાયો યોજાવાની હતી જે વાવાઝોડાના ભયે મોકૂફ રખાઈ અમદાવાદઃગુજરાતના માથે બિપોરજોય વાવાઝોડાની અસર મંડરાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલો લગાવી દેવાયા છે. તે ઉપરાંત દરિયાકાંઠાની નજીકમાં રહેતાં લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ…

શરદ પવારને જાનથી મારવાની ધમકી આપનાર શખ્સ પૂણેથી ઝડપાયો

આરોપી બર્વે આઈટી એન્જિનિયર છે, આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારબાદ કોર્ટે આરોપીને 14 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો મુંબઈએનસીપી ચીફ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પુણેમાંથી એક આઈટી એન્જિનિયરની ધરપકડ કરી છે. આરોપી બર્વે આઈટી એન્જિનિયર છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારબાદ કોર્ટે આરોપીને 14 જૂન…

પૂણેમાં શોભાયાત્રામાં વારકરીઓ પર પોલીસનો લાઠીચાર્જ

ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં વારકરીઓને આમ-તેમ દોડતા અને પોલીસકર્મીઓ સાથે બાથ ભીડતા જોઈ શકાય છે પૂણેમહારાષ્ટ્રના પુણેમાં રવિવારે સાંજે પોલીસ કર્મચારીઓ અને વારકરીઓ ( ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન વિઠ્ઠલના ભક્તો) વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં વારકરીઓને આમ-તેમ દોડતા અને પોલીસકર્મીઓ સાથે બાથ ભીડતા જોઈ શકાય છે. આ…

બિપોરજોયથી મુંબઈમાં ધોધમાર વરસાદ, એરપોર્ટ પર રનવે બંધ

મુંબઈના દરિયાકિનારે મરીન ડ્રાઈવ ,ગેટવે ઓફ ઈન્ડિયા પાસે દરિયામાં મોજા ઉછળતાં દેખાઈ રહ્યાં છે મુંભઈબિપોરજોય વાવાઝોડાએ તેનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેની અસર મુખ્યત્વે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જોવા મળી શકે છે. આ કારણે અત્યારથી જ મહારાષ્ટ્રનાં મુંબઈના દરિયાકિનારે ઊંચા મોજાઓ ઉછળતા દેખાઈ રહ્યા છે અને ધોધમાર વરસાદ પણ આવી રહ્યો છે. મરીન ડ્રાઈવ ,ગેટવે…

બાલોસોર રેલ દુર્ઘટનામાં બહનાગાના એએસએમ સહિત પાંચની અટકાયત

અકસ્માતની તપાસ દરમિયાન સીબીઆઈએ ઘણા લોકોની પૂછપરછ કરી હતી અને રવિવારે મોડી સાંજે પાંચ લોકોને કસ્ટડીમાં લીધા નવી દિલ્હીસેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરો (સીબીઆઈ) એ રવિવારે ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનગામાં 2 જૂને 288 લોકોના જીવ લેનારા ભયાનક ટ્રેન અકસ્માતના સંબંધમાં પાંચ લોકોની અટકાયત કરી હતી. આ પાંચ લોકોમાં એક અધિકારીનો પણ સમાવેશ થાય છે. સીબીઆઈએ કથિત રીતે…

વિકાસ જાળવી રાખવો એ સામૂહિક જવાબદારીઃ નરેન્દ્ર મોદી

ડેટાના વિભાજનને રોકવામાં મદદ કરવા માટે ટેકનોલોજીનું લોકશાહીકરણ એક મહત્વપૂર્ણ સાધન છેઃ મોદી નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 બેઠકમાં કહ્યું હતું કે વિકાસ જાળવી રાખવો એ સામૂહિક જવાબદારી છે. ભારત પોતાના અનુભવો શેર કરવા તૈયાર છે. પર્યાવરણ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આપણે નદીઓ, વૃક્ષોનો આદર કરીએ છીએ. આ બેઠક વારાણસીમાં થઈ રહી…

અક્માતમાં મોતના બે કરોડના વીમા માટે શખ્સે મૃત હોવાનો ડોળ કર્યો

દેવામાં ડુબેલી વ્યક્તિએ એક પોલીસમેન, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વકીલ સાથે મળીને કાવતરૂ રચ્યું મુંબઈભારતમાં ઠગોની કોઈ કમી નથી અને તેઓ દર વખતે નવા નવા રસ્તા શોધીને કોઈને ચુનો લગાવતા રહે છે. મહારાષ્ટ્રમાં આવો જ એક અજબગજબ કિસ્સો બહાર આવ્યો છે જેમાં દેવામાં ડુબેલી વ્યક્તિએ એક પોલીસમેન, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) અને વકીલ સાથે મળીને…

દેશના અનેક રાજ્યોમાં આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં આગામી ચાર દિવસ સુધી કરા પડવાની સંભાવના, રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં 15 જૂનના રોજ આંધી તોફાન સાથે વરસાદ પડશે નવી દિલ્હીછેલ્લા કેટલાક દિવસથી લોકો ગરમીથી પરેશાન થઈ ગયા છે. અને હવે ક્યારે વરસાદ આવે તેની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેરળ અને કર્ણાટકમાં મોનસુને દસ્તક આપી દીધી છે. અને સામાન્ય…

કોવિન લેનારાની અંગત માહિતી ટેલિગ્રામ એપ પર ઉપલબ્ધ

પૂર્વ અને વર્તમાન મંત્રીઓથી લઇને સિનિયર પત્રકારોની અંગત જાણકારીઓ જેમ કે જન્મનું વર્ષ, લિંગ અને વેક્સિનેશન સેન્ટર વગેરે સોશિયલ મીડિયા પર વાયરલ નવી દિલ્હીભારત સરકારના કોવિન પોર્ટલ પરનો ડેટા લીક થવાના અહેવાલ આવ્યા છે. કોરોના વેક્સિન લેવા માટે ભારતીય યૂઝર્સે તેમની જે અંગત માહિતીઓ પોર્ટલ પર શેર કરી હતી તે ટેલીગ્રામ એપ પર ઉપલબ્ધ છે….

બાલાસોરમાં પ્લેટફોર્મ પર ઊભેલી માલગાડીના ડબ્બામાં આગ

આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ મોટી જાલમાનનું નુકસાન થયું ન હતું, આ આગ ક્યા કારણોસર લાગી હતી તે અંગે હજુ સુધી સ્પષ્ટ થયું નથી બાલાસોરઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેન દુર્ઘટનને હજુ અઠવાડિયાનો પણ સમય નથી થયો ત્યારે ફરી એકવાર માલગાડી દુર્ઘટનાગ્રસ્ત બની છે. જિલ્લામાં આજે પ્લેટફોર્મ પર ઉભેલી એક માલગાડીના ડબ્બામાં આગ…

જલગાંવમાં પોલીસ ટીમ પર પથ્થરમારો, લાઠીચાર્જ, કલમ 144 લાગુ કરાઈ

અમલનેરામાં દીવાલ પર એક સમુદાયના કેટલાક બાળકો પેશાબ કરી રહ્યા હતા, જેનો બીજા પક્ષના લોકોએ વિરોધ કરતા મામલો બિચક્યો જલગાંવમહારાષ્ટ્રના જલગાંવના અમલનેરામાં ગઈકાલે રાત્રે બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. મારામારી અને પથ્થરમારાની ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી પરંતુ ઉપદ્રવીઓ વધુ ઉગ્ર બની…

શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને એનસીપીના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા

પાર્ટીના આ નિર્ણયને વરિષ્ઠ નેતા અજિત પવાર માટે આંચકો માનવામાં આવી રહ્યો છે, અજીત પોતે પાર્ટી અધ્યક્ષ પદના દાવેદાર હતા મુંબઈલોકસભાની ચૂંટણી પહેલા એનસીપીમાં માથી મોટા સમાચાર આવી રહ્યા છે. શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેને એનસીપીમાં મોટી જવાબદારી આપી છે અને તેણે કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે આ સાથે પ્રફુલ પટેલને પણ એનસીપીના કાર્યકારી અધ્યક્ષ…