મનમોહન મૌન નહોતા રહેતા, વાત ઓછી કામ વધારે કરતા હતાઃ અધીર રંજન

પંડિત જવાહરલાલ નેહરુને ‘આધુનિક ભારતના નિર્માતા’ અને બાબા સાહેબ આંબેડકરને ‘બંધારણના પિતા’ કહેવામાં આવે છે નવી દિલ્હી સંસદનું વિશેષ સત્ર આજથી શરુ થઇ ચુક્યું છે. જૂની સંસદમાં આજે છેલ્લી વખત સત્રની કાર્યવાહી થઇ રહી છે. અ અવસર પર લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને…

ભારત વિશ્વ મિત્ર તરીકે સ્થાન બનાવ્યું પણ ઘણા લોકોમાં ભારત પર શંકા કરવાની વૃત્તિઃ મોદી

નવા સંસદ ભવનમાં સત્ર અંગે વડાપ્રધાને કહ્યું, આપણે ભલે નવી ઈમારતમાં જઈએ પરંતુ જૂની ઈમારત આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપતી રહેશે નવી દિલ્હી         સંસદના વિશેષ સત્રમાં પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું કે, આજનો દિવસ પ્રેરણાદાયી ક્ષણોને યાદ કરીને આગળ વધવાની તક છે. આપણે બધા આ ઐતિહાસિક સદનથી વિદાય લઈ રહ્યાં છીએ. પીએમ નરેન્દ્ર…

કેરળમાં સતત બીજા દિવસે નિપાહનો એક પણ કેસ ન નોંધયો

સંક્રમિત દર્દીઓની સ્થિતિમાં સુધારો નોંધાઈ રહ્યો હોવાની સરકારની જાહેરાત તિરુવનંતપુરમ કેરળમાંથી રાહતભર્યા સમાચાર મળ્યા છે. કારણ કે, ત્યાં સતત બીજા દિવસે જીવલેણ નિપાહ વાયરસનો એક પણ કેસ નથી નોંધાયો. કેરળ સરકારે રવિવારે જણાવ્યું કે, રાજ્યમાં નિપાહ વાયરસને નિયંત્રિત કરી લેવામાં આવ્યો છે. સતત બીજા દિવસે એક પણ કેસ નથી નોંધાયો અને સંક્રમિત દર્દીઓની સ્થિતિમાં સુધારો…

નીતિશ કુમારને ભાજપે બિહારના રાજ્યપાલપદની ઓફર કરી

ભાજપ દ્વારા રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ તથા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મારફતે નિતીશ કુમાર સાથે ચર્ચા ચાલી રહી હોવાનો દાવો પટના લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ બિહારમાં મોટી રમત રમવાની તૈયારીમાં છે. જો ભાજપની આ રમત સફળ થાય તો મુખ્ય પ્રધાન નિતીશ કુમાર ફરી એકવાર એનડીએમાં સામેલ થઇ શકે છે. જોકે આમ કરવા માટે નિતીશ કુમારને ભાજપની…

શાંતિનિકેતનને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની લિસ્ટમાં સામેલ

શાંતિનિકેતનને આ લિસ્ટમાં સામેલ કરવાનો નિર્ણય સાઉદી અરેબિયામાં વર્લ્ડ હેરિટેજ કમિટીના 45મા સત્ર દરમિયાન લેવામાં આવ્યો કોલકાતા પશ્ચિમ બંગાળમાં સ્થિત શાંતિનિકેતનને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજની લિસ્ટમાં સામેલ કર્યું છે. મહાન કવિ રવીન્દ્રનાથ ટાગોરે એક સદી પહેલા આ આશ્રમમાં વિશ્વભારતીની સ્થાપના કરી હતી. યુનેસ્કોએ ગઈકાલે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી આ અંગે જાહેરાત કરી…

દેશનાં આંગણવાડી કેન્દ્રોમાં 43 લાખથી વધુ બાળકો મેદસ્વી

આ સંખ્યા સરવેમાં સામેલ કરાયેલા કુલ બાળકોની લગભગ 6% જેટલી થાય છે નવી દિલ્હી દેશભરમાં આંગણવાડી કેન્દ્રોમાં ગત મહિને 0-5 વર્ષની વયજૂથના 43 લાખથી વધુ બાળકો મેદસ્વી કે વધુ વજનની સમસ્યાથી પીડિત મળી આવ્યા હતા. આ સંખ્યા સરવેમાં સામેલ કરાયેલા કુલ બાળકોની લગભગ 6% જેટલી થાય છે. આ જાણકારી તાજેતરના સરકારી આંકડાઓમાં સામે આવી હતી. …

ભારતીય નૌકાદળે 68 યુધ્ધ જહાજોના ઓર્ડર આપ્યા

ઈન્ડિયન નેવીને 143 એરક્રાફ્ટ અને 130 હેલિકોપ્ટર તેમજ 132 યુદ્ધ જહાજ ખરીદવાની પરવાનગી પણ મળી ગઈ નવી દિલ્હી ભારત અને ચીન વચ્ચે માત્ર જમીની સરહદ પર જ નહીં પરંતુ સમુદ્રમાં પણ સંઘર્ષની સ્થિતિ છે. બંને દેશ એકબીજાના હરીફ બની ગયા છે. હવે બંને દેશો વચ્ચે મુકાબલો હિંદ મહાસાગર ક્ષેત્રમાં છે. તેને ધ્યાનમાં રાખીને જ ભારત…

રાજ્યમાં ભારે વરસાદથી નદીઓના જળસ્તર વધતાં 12 ટ્રેનો રદ

અમદાવાદ તરફ વડોદરા થઈને આવતી ઘણી ટ્રેનોની અવર-જવરને પણ અસર, મોટાભાગની ટ્રેનો મુંબઈ લાઈનથી અમદાવાદ તરફ અવર-જવર કરે છે અમદાવાદ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યું છે ત્યારે સરકારે લોકોને રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તહેનાત કરવાની ફરજ પડી છે. આ દરમિયાન વડોદરા અને ભરુચ સહિત અનેક જિલ્લાઓમાં…

1976 બાદ ઓગસ્ટ 2023માં સૌથી વધુ મોનસૂન બ્રેકના દિવસો

આદર્શ સ્થિતિમાં મહત્તમ 5-6 દિવસનો જ બ્રેક એક મહિનામાં હોવો જોઇએ પણ આ ત્રણ ગણો વધુ છે નવી દિલ્હી મોનસૂન પર ક્લાઈમેટ ચેન્જનો ખતરો અનેક રીતે દેખાઈ રહ્યો છે. એક તરફ શુષ્ક વિસ્તારોમાં વધુ વરસાદ પડી રહ્યો છે તો બીજી બાજુ વધુ વરસાદવાળા વિસ્તારોમાં વરસાદ ઘટી રહ્યો છે. ઝરમર વરસાદના દિવસો પણ ઘટી રહ્યા છે…

મ.પ્ર.માં પુલ પરથી રીક્ષા ચાર લોકો સાથે નદીમાં તણાઈ ગઈ

તરવૈયાઓ નદીના વહેણમાં તણાયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે ભોપાલમધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નદીઓમાં પાણીનું જળસ્તર વધી ગયું છે… એટલું જ નહીં પાણીની ધમસમતું વહેણ બ્રિજ પરથી વહી રહ્યું છે, ત્યારે અહીં ઓટો ડ્રાઈવરની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. શુક્રવારે અફનતી નદી પરનો પુલ પાર કરતી વખતે એક રીક્ષા ચાર લોકો…

બારામુલ્લામાં સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા

સેનાને આ વિસ્તારમાં હજુ પણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી હોવાથી સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું જમ્મુજમ્મુ કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં ચાલી રહેલા એનકાઉન્ટર વચ્ચે આજે સેનાએ સવારથી જ બારામુલ્લાના એલઓસી પાસે ઉરી, હથલંગા વિસ્તારમાં સેનાએ પોલીસ સાથે મળીને સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું જે હજુ પણ ચાલી રહ્યું છે. આ એનકાઉન્ટરમાં સેનાએ કુલ ત્રણ આતંકવાદીઓનો ખાત્મો કર્યો…

દસ વર્ષમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ ન કરીને મોદીએ ભારતીય મીડિયાનો બહિષ્કાર કર્યો

14 એન્કર્સનો બહિષ્કાર કરવામાં ખોટું શું છે? આ લોકોએ એક રાજકીય પક્ષના મુખપત્ર બની મીડિયાની નૈતિકતા સાથે જ સમજૂતી કરી લીધી હોવાનો સિદ્ધારમૈયાનો આક્ષેપ નવી દિલ્હીજ્યારથી ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ 14 મીડિયા એન્કરોના શોમાં તેમના પ્રતિનિધિઓને ન મોકલવાનો નિર્ણય લીધો છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. ભાજપ સતત આ મામલે ઈન્ડિયા ગઠબંધનને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો…

મહાદેવ એપ પાસેથી ઈડીએ 417 કરોડની ગેરકાયદે સંપત્તી જપ્ત કરી

સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ મહાદેવ એપને પ્રમોટ કરી રહ્યા હતા, કોલકાતા, ભોપાલ અને મુંબઈ વગેરે શહેરોમાં મહાદેવ સંબંધિત મની લોન્ડરિંગ નેટવર્ક વિરુદ્ધ વ્યાપક અભિયાન મુંબઈએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. અધિકારીએ આજે આ માહિતી આપતાં જણાવ્યું કે સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ મહાદેવ એપને પ્રમોટ…

ઉદયનીધિ અને એ.રાજા સામે સનાતન ધર્મ વિરૂધ્ધ નિવેદન બદલ એફઆઈઆરની માગ

ડીએમકેના નેતાઓને આવા નિવેદનો આપતા રોકવા અને તમિલનાડુમાં સનાતન ધર્મ વિરુદ્ધ યોજાઈ રહેલા કાર્યક્રમોને ગેરબંધારણીય જાહેર કરવા અરજીમાં માગ નવી દિલ્હીસનાતન ધર્મ વિરુદ્ધ ઉદયનિધિ સ્ટાલિન અને એ.રાજાના નિવેદન સામે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. આ અરજી ચેન્નઈના વતની એક વકીલે દાખલ કરી હતી. ડીએમકે નેતા અને તમિલનાડુ સરકારમાં મંત્રી ઉદયનિધિએ સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ, મલેરિયા…

શહીદ કર્નલ મનપ્રિતના પુત્રએ સેનાની વર્દીમાં પિતાને અંતિમ વિદાય આપી

શહીદ કર્નલ મનપ્રીતની દિકરી પણ પિતાને સેલ્યુટ કરતા દેખાઈ, કર્નલના બંને બાળકોની આ તસવીર જોઈને સૌ કોઈ ભાવુક થયા હતા મોહાલીજમ્મુ કાશ્મીરમાં અનંતનાગ વિસ્તારમાં આતંકવાદી સામે ચાલી રહેલા એનકાઉન્ટરમાં શહીદ કર્નલ મનપ્રીતને તેમના વતન મોહાલીમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ અતિમ વિદાય સમયે શહીદ કર્નલ મનપ્રીતના ઘરે હજારોની સંખ્યામાં ભીડ જોવા મળી હતી, જે…

વંદેભારત એક્સપ્રેસ પર ફરી વખત પથ્થરમારો થયો

મલ્હાર સ્ટેશન પરથી પસાર થતી વખતે જ ચેર કાર ક્લાસ કમ્પાર્ટમેન્ટ પર તોફાની તત્વએ પથ્થરમારાની ઘટનાને અંજામ આપ્યો ગોરખપુર ઉત્તરપ્રદેશમાં ગોરખપુરથી લખનઉ જતી વંદે ભારત એક્સપ્રેસ પર ફરી એકવાર પથ્થરમારો થયાની ઘટનાના અહેવાલ સામે આવી રહ્યા છે. માહિતી અનુસાર મલ્હાર સ્ટેશન પરથી પસાર થતી વખતે જ વંદે ભારત ટ્રેનના ચેર કાર ક્લાસ કમ્પાર્ટમેન્ટ પર અરાજકતા…

બારામુલ્લામાં સેના દ્વારા બે શકમંદોની ધરપકડ, પિસ્તોલ-હેન્ડ ગ્રેનેડ જપ્ત

ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન પાર પડાયું જમ્મુ છેલ્લા ત્રણ દિવસથી કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેના અને આંતકી જૂથ વચ્ચે અથડામણો ચાલી રહી છે. સેના દ્વારા સતત ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં વધુ એક જવાન શહીદ થયો હતો જ્યારે બે જવાન ઘાયલ થયા હતા જેને તાત્કાલિક હોસ્પિટલમાં…

નૂહ હિંસા મામલે કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાનની ધરપકડ

31 જુલાઈના રોજ નૂહમાં ફાટી નીકળેલી કોમી હિંસા મામલે નોંધાયેલી એફઆઈઆરમાંથી એકમાં તેમનું નામ આરોપી તરીકે છે નૂહ હરિયાણાના નૂહમાં થયેલી હિંસા મામલે ફિરોઝપુર ઝિરકાના કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાનની ધરપકડ કરવામાં આવી છે. 31 જુલાઈના રોજ નૂહમાં ફાટી નીકળેલી કોમી હિંસા મામલે નોંધાયેલી એફઆઈઆરમાંથી એકમાં તેમનું નામ આરોપી તરીકે છે. ગત અઠવાડિયે નૂહ પોલીસે મમ્મન…

ઈન્ડિયાના નેતાઓ દેસના 14 ટેલિવિઝન એન્કરના શૉમાં ભાગ નહીં લે

આ મામલે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશનએ કહ્યું કે આ નિર્ણય ઘાતક મિસાઈલ સાબિત થશે. તે લોકતંત્રના મૂલ્યો વિરુદ્ધ છે મુંબઈ વિપક્ષી દળોનું ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લૂઝિવ એલાયન્સ (ઈન્ડિયા)ના તમામ પક્ષોએ મોટો નિર્ણય લેતાં કહ્યું કે હવે તેમના પ્રતિનિધિઓ દેશમાં સંચાલિત 14 જેટલા ટેલિવિઝનના એન્કરના કાર્યક્રમોમાં ભાગ નહીં લે. જોકે આ મામલે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ…

અનંતનાગમાં વધુ એક જવાન શહીદ, બે જવાન ઘાયલ

બુધવારથી શરુ થયેલા સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધીમાં ચાર જવાન શહીદ થયા જમ્મુ દક્ષિણ કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેના દ્વારા સતત ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં વધુ એક જવાન શહીદ થયો હતો જ્યારે બે જવાન ઘાયલ થયા હતા જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારથી શરુ થયેલા સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધીમાં ચાર જવાન શહીદ થયા છે.  …