2004-05થી 14-15ના અગિયાર વર્ષમાં રાજકીય પક્ષોની આવકના 69 ટકા હિસ્સો અજાણ્યા સ્ત્રોતનો

Spread the love

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને માહિતી આપી, ચૂંટણી બોન્ડ યોજના રજૂ કરવામાં આવી તે પહેલા રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોના ભંડોળના સ્ત્રોતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું

નવી દિલ્હી

રાજકીય પક્ષોને મળતા દાનને લઈને ફરી એક વખત ચર્ચા શરુ થઇ ગઈ છે. હકીકતે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મળતું દાન અજાણ્યા સ્ત્રોતમાં ગણવામાં આવે છે એટલે કે દાન આપનારની જાણકારી જાહેર કરાતી નથી. રીપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે નાણાંકીય વર્ષ 2004-05 થી 2014-15 વચ્ચેના અગિયાર વર્ષ દરમિયાન રાજકીય પક્ષોની આવકનો 69 ટકા હિસ્સો અજાણ્યા સ્ત્રોતથી આવ્યો છે. 

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના અહેવાલમાં 2004-05 અને 2014-15 દરમિયાન ચૂંટણી બોન્ડ યોજના રજૂ કરવામાં આવી તે પહેલા રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોના ભંડોળના સ્ત્રોતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સોલિસિટર જનરલે કોર્ટ સમક્ષ આ એડીઆર રિપોર્ટના મુખ્ય મુદ્દાઓની રૂપરેખા આપી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય પક્ષોને રૂ. 6,612.42 કરોડની આવક અને પ્રાદેશિક પક્ષોને રૂ. 1220.56 કરોડની આવક અજાણ્યા સ્ત્રોતોમાંથી મળી હતી.

આ અહેવાલમાં આવકની વિગતો પક્ષો દ્વારા ચૂંટણી પંચને સોંપવામાં આવેલા દાનની વિગતોના આધારે આ રિપોર્ટમાં અજાણ્યા સ્ત્રોત આઈટી રિટર્નમાં જાહેર કરાયેલ આવક છે, પરંતુ 20,000 રૂપિયાથી ઓછા દાન માટે આવકનો સ્ત્રોત જણાવવામાં આવ્યો નથી. આવા સ્વૈચ્છિક યોગદાનના દાતાઓની વિગતો  સાર્વજનિક રીતે ઉપલબ્ધ નથી.

સોલિસિટર જનરલ  તુષાર મહેતાએ અજ્ઞાત સ્ત્રોતો શું છે તે ઉદાહરણ દ્વારા કોર્ટ સમક્ષ વિગતવાર સમજાવ્યું. તેમણે કહ્યું કે રાજકીય પક્ષો ઘણા દાતાઓ પાસેથી 20,000 રૂપિયાથી ઓછાનું દાન લઈ શકે છે, જે ‘અજાણ્યા સ્ત્રોતો’ હેઠળ આવશે. રાજકીય પક્ષોએ એક સમયે 20,000 રૂપિયાથી ઓછું યોગદાન આપનારા દાતાઓની ઓળખ જાહેર કરવાની જરૂર નથી. 

સોલિસિટર જનરલ (SG) એ કહ્યું, ‘દરેક રાજકીય પક્ષને પણ કાયદેસરના પૈસાની જરૂર હોય છે કારણ કે તેમને રેલીઓ વગેરે માટેનો ખર્ચ દર્શાવવો પડે છે. તેઓ આ કેવી રીતે કરે છે? એક રાજકીય પક્ષ તરીકે મેં 100 કરોડ રૂપિયા ભેગા કર્યા છે અને કહ્યું છે કે આટલા લોકોએ મને 19000 રૂપિયા આપ્યા છે, જો તે 20000 રૂપિયાથી ઓછા છે તો તેની ઓળખ જાહેર થઇ શકતી નથી. તેથી આ રકમ અજાણ્યા સ્ત્રોત તરીકે જણાવી શકાય છે. કથિત રૂપે 19000 રૂપિયા આપનારા લોકો પાસેથી મળેલા પૈસા માટે કાયદા હેઠળ કોઈ રેકોર્ડની જરૂર નથી અને આ રકમ 69% જેટલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *