સ્પાઈસ જેટમાં નાણાંકીય સંકટ, હજારો કંપનીઓ પર છટણીની તલવાર

Spread the love

સ્પાઈસજેટ 1400 કર્મચારીઓની છૂટાં કરવાની તૈયારીમાં છે જે ટોટલ વર્કફોર્સના આશરે 15 ટકા જેટલાં થાય છે

નવી દિલ્હી

મોંઘવારી અને રોજગારીના સંકટ વચ્ચે દુનિયાભરમાં છટણીનો દોર પણ ચાલુ છે ત્યારે ભારતમાં પણ હવે છટણીનો માહોલ ચાલુ થયો છે. તાજેતરમાં ભારતની બજેટ એરલાઈન સ્પાઈસજેટે હજારો કર્મચારીઓની નોકરીઓ પર કાતર ફેરવવાનો નિર્ણય કર્યો છે. કંપની નાણાકીય સંકટનો સામનો કરી રહી છે. 

સ્પાઈસ જેટના જણાવ્યાનુસાર કંપનીએ કોસ્ટ કટિંગના ભાગરૂપે છટણી કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલ અનુસાર સ્પાઈસજેટ 1400 કર્મચારીઓની છૂટાં કરવાની તૈયારીમાં છે જે ટોટલ વર્કફોર્સના આશરે 15 ટકા જેટલાં થાય છે. હાલ કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા 9 હજારની આસપાસ છે. 

કંપની પાસે હાલમાં 30 વિમાનનો કાફલો છે જેમાં 8 લીઝ પર લીધેલા છે. અહેવાલ અનુસાર એરલાઇન્સ દ્વારા છટણીના આ અહેવાલોની પુષ્ટી પણ કરાઈ હતી. કંપની પર રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખવા માટે ખર્ચ ઘટાડવા દબાણ વધી રહ્યું છે. કંપનીના તમામ કર્મચારીઓનું સેલરી બિલ 60 કરોડ રૂ. થઈ ગયું છે. એવામાં કંપની ખર્ચ ઘટાડવા દરેક સંભવ પ્રયાસ કરવા મજબૂર છે. આ છટણી પણ તેનો જ એક ભાગ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *