ભારતે તેની પ્રથમ ત્રણ વિકેટ માત્ર 33 રનમાં ગુમાવ્યા બાદ રોહિતની શાનદાર સદી અને પ્રથમ ટેસ્ટ રમતા સરફરા ખાના ઝડપી 62 રન, જાડેજા 110 રને રમતમાં
રાજકોટ
રોહિત શર્મા (131), રવીન્દ્ર જાડેજા (110*) અને સરફરાઝ ખાનના શાનદાર 62 રનની મદદથી ભારતે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતે પાંચ વિકેટ ગુમાવીને 326 રન બનાવી લીધા હતા. દિવસની રમતના અંતે જાડેજા 110 અને કુલદીપ યાદવ એક રને રમતમાં હતા.
ભારતના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. એક તબક્કે તેનો આ નિર્ણય ટીમ માટે ઘાતક પુરવાર થશે એમ લાગતું હતું. ભારતે માત્ર 33 રનના કુલ સ્કોર પર ત્રમ વિકેટ ગુમાવી હતી. માર્ક વૂડે યશસ્વી જયસ્વાલને જો રૂટના હાથમાં 10 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. એ પછી વૂડે શુભમન ગિલને શૂન્ય રને ફોક્સના હાથમાં ઝિલાવ્યા બાદ રજત પાટીદારને હાર્ટલેએ ડ્યુકેટના હાથમાં માત્ર પાંચ રનમાં ઝિલાવી દીધો હતો. જોએ એ પછી સુકાની રોહિત શર્માએ જાડેજા સાથેની ચોથી વિકેટની ભાગીદારીમાં 204 રનની ભાગીદારી નિભાવિ હતી. રોહિત 196 બોલમાં 14 બુન્ડ્રી અને ત્રમ સિક્સર સાથે 131 રન બનાવીને વૂડની બોલિંગમાં સ્ટ્રોક્સના હાથમાં ઝિલી ગયો હતો. જાડેજાએ પ્રથમ ટેસ્ટ રમી રહેલા સરફરાઝ ખાન સાથે મળીને પાંચમી વિકેટની ભાગીદારીમાં 77 રન ઉમેર્યા હતા. સરફરાઝ માત્ર 66 બોલમાં નવ બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે 62 રન બનાવીને રન આઉટ થયો હતો. દિવસની રમતના અંતે જાડેજા 212 બોલમાં નવ બાઉન્ડ્રી ને બે સિકસર સાથે 110 રને અને કુલદીપ યાદવ એક રને રમતમાં હતા. પાંચ ટેસ્ટની શ્રેણી હાલમાં 1-1થી બરોબરી હોઈ આ ટેસ્ટ રસપ્રદ બનશે.