પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો

Spread the love

સુરેશ પચૌરીએ ભોપાલમાં પાર્ટી કાર્યાલયમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ મેળવ્યું

નવી દિલ્હી

 લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્કેલી સતત વધતી જઇ રહી છે. પાર્ટીને ચૂંટણી પહેલા એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરીએ પણ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.

કોંગ્રેસ નેતા સુરેશ પચૌરી આજે ભાજપમાં જોડાઈ ગયા. તેમણે ભોપાલમાં પાર્ટી કાર્યાલયમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ મેળવ્યું. 

અહેવાલ અનુસાર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ પચૌરી અને પૂર્વ સાંસદ ગજેન્દ્ર સિંહ રાજુખેડી આજે ભાજપમાં જોડાઈ ગયા હતા. સુરેશ પચૌરી ગાંધી પરિવારના નજીકના મનાતા હતા. તેમણે યુપીએ સરકારમાં કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રીની જવાબદારી નિભાવી હતી. આ ઉપરાંત તેઓ ચાર વખત રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે.

આ સિવાય આદિવાસી નેતા ગજેન્દ્ર સિંહ રાજુખેડી ધાર સીટ પરથી કોંગ્રેસની ટિકિટ પર ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. સૂત્રોએ જણાવ્યું કે તેઓ 1990માં ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, પરંતુ બાદમાં કોંગ્રેસમાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *