બોલિવૂડ અભિનેતાઓ આયુષ્માન-અપારશક્તિના પિતા પી. ખુરાનાનું નિધન

Spread the love

મુંબઈ
પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય પી. ખુરાનાનું આજે સવારે ચંદીગઢમાં નિધન થયુ. જ્યોતિષ પી. ખુરાના ફિલ્મ એક્ટર આયુષ્માન ખુરાનાના પિતા હતા. આજે સાંજે લગભગ 5.30 વાગે ચંદીગઢના મણિમાજરા સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
આયુષ્માનના ભાઈ અને એક્ટર અપારશક્તિ ખુરાનાના પ્રવક્તાએ આ અંગે નિવેદન જારી કર્યુ છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ખૂબ દુ:ખ સાથે જણાવવુ પડી રહ્યુ છે કે આયુષ્માન અને અપારશક્તિ ખુરાનાના પિતા, જ્યોતિષાચાર્ય પી. ખુરાનાનુ આજે સવારે સાડા 10 વાગે મોહાલીમાં નિધન થઈ ગયુ. તેઓ ઘણા સમયથી બીમારીથી પીડાતા હતા. પર્સનલ લોસના આ સમયમાં અમે તમારી દુઆઓ અને પરિવારને મળનારા સપોર્ટના આભારી છીએ.
આયુષ્માન ખુરાનાનુ પોતાના પિતા સાથે સારુ બોન્ડિંગ હતુ. પોતાનુ કરિયર શરૂ થવાનો શ્રેય પણ તેઓ પોતાના પિતાને જ આપે છે. આયુષ્માન ખુરાનાએ અગાઉ જણાવ્યુ હતુ કે તેઓ ચંદીગઢમાં જ રહેવા માંગતા હતા પરંતુ તેમના પિતાએ તેમને મુંબઈ મોકલ્યા હતા. તેમના પિતાએ એક વખત મુંબઈ જઈને કોઈક વ્યક્તિને કહ્યુ હતુ કે તેમનો પુત્ર એક દિવસ મોટો સ્ટાર બનશે. આ વિશે આયુષ્માનને ખબર નહોતી. જોકે બાદમાં ખબર પડ્યા બાદ તેઓ ડરતા હતા કે ક્યાંક પિતાની આશાઓ પર ખરા ઉતર્યા નહીં તો શુ થશે. એક્ટરે જણાવ્યુ હતુ કે તેમના બાળપણમાં પિતા ખૂબ આકરા હતા. તેમને પિતા પાસેથી માર પણ ખાવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *