સેલવાસની હોટલમાં યુવક-યુવતીની આત્મહત્યા

Spread the love

યુવાનની પંખા સાથે ફાસો ખાધેલી હાલતમાં અને યુવતિની બેડ પરથી ભેદી સંજોગોમાં લાશ મળી


વાપી
સેલવાસ ચારરસ્તા નજીક આવેલી હોટલ નટરાજની રૂમમાંથી યુવક અને યુવતિની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા પોલીસ અધિકારી સહિતનો કાફલો પહોંચી ગયો હતો. બેડરૂમમાં યુવકે પંખા સાથે ફાસો ખાય આપઘાત કર્યો તો યુવતિની બેડ પરથી લાશ મળી આવી હતી.
પ્રાપ્ત માહિતિ અનુસાર સેલવાસ ચાર રસ્તા નજીક આવેલી હોટલ નટરાજની રૂમમાંથી ગઇકાલે મંગળવારે યુવાનની પંખા સાથે ફાસો ખાધેલી હાલતમાં અને યુવતિની બેડ પરથી ભેદી સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. બન્ને યુવક યુવતિ હોટલની રૂમમાં રોકાયા હતા. હોટલના કર્મચારીએ સવિઁસ આપવા દરવાજો વારંવાર ખટખટાવવા છતાં કોઇ જવાબ નહી મળતા મેનેજરને જાણ કરી હતી. બાદમાં પોલીસને જાણ કરાતા પીએસઆઇ અનિલ ટી.કે અને ટીમ દોડી ગયા બાદ દરવાજો ખોલી અંદર જતા યુવક અને યુવતિની લાશનો કબજો લીધો હતો. આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી. ગંભીર ઘટનાને લઇ જિલ્લા પોલીસવડા અને એસડીપીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.
પોલીસે બન્ને મૃતકની લાશનો કબજો લઇ પી.એમ. માટે મોકલી દીધી હતી. તપાસ દરમિયાન યુવતિ સેલવાસની હોવાની ઓળખ થઇ હતી પણ યુવાનની ઓળખ થઇ નથી. આ ઘટના કયા કારણોસર બની તે અંગે કોઇ વિગત બહાર આવી નથી. યુવકનું મોત ગળાફાસો ખાય થયાનું ફલિત થયું છે. પરંતુ યુવતિના મોતનું કારણ પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે. જો કે યુવતિનું ગળુ દબાવવાથી મોત થયાનું પ્રાથમિક અનુમાન લગાવાયું છે. યુવક યુવતિ વચ્ચે પ્રેમ સંબધ હતો કે ? પ્રેમસંબધમાં વિઘ્ન આવવાથી કે અન્ય કારણોને લઇ ઘટના બની તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. મૃતકની ઓળખ થયા બાદ જ સ્પષ્ટ માહિતિ બહાર આવી શકશે. હાલ પોલીસે સઘન તપાસ આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *