એપેક્સોન ઈગ્નાઈટ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે આહાન સ્ટેમ લેબમાં વિજ્ઞાન મેળો યોજાયો

Spread the love

સાણંદ

એપેક્સોન ઈગ્નાઈટ દ્વારા આહાન સ્ટેમ લેબ, શ્રી એમ. એમ. શારદા વિદ્યામંદિર, સાણંદ, અમદાવાદ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉત્સાહપૂર્વક ઉજવણીકરવામાં આવી, જેમાં વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રોફેસર સંજય ચૌધરી (પ્રોફેસરઅને ડીન, સ્કૂલ ઓફએન્જિનિયરિંગ એન્ડ એપ્લાઈડ સાયન્સ, અમદાવાદ યુનિવર્સિટી) અને બિંદવ પંડ્યા (વિજ્ઞાનિ અને એન્જિનિયર, ભારતીયઅંતરિક્ષ સંસ્થા – ઈસરો) માનનીય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા.

પ્રોફેસર સંજય ચૌધરી એ એપેક્સોન ઈગ્નાઈટ અને શાળા સમિતિ દ્વારા વિજ્ઞાનના સાધનો અને મોડલ્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તે બદલ અભિનંદન આપ્યાં. તેમણે વિદ્યાર્થીઓને પરિવેશ પ્રત્યે જાગૃત રહેવા તથા કૃતજ્ઞતા દાખવવા પ્રેરણા આપી અને નવા અભ્યાસના અવસરો મેળવવા માટે અમદાવાદ યુનિવર્સિટીની મુલાકાત લેવા પણ આમંત્રણ આપ્યું.

બિંદવ પંડ્યા એ વિદ્યાર્થીઓને વિજ્ઞાનપ્રત્યેની ઉક્તતા અને કૌતૂહલ જગાવવાની અનુરોધ કરી, તેમજ વિવિધ પ્રયોગો દ્વારા વિજ્ઞાન અને ટેક્નોલોજીની ગહનસમજૂતી મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા.

આ સાથે એપેક્સોન ઈગ્નાઈટ લીડર ડૉ. અશોક કરણિયા એ દૈનિક જીવનમાં વિજ્ઞાનના મહત્વ અંગે ધ્યાન દોર્યું અને વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં આગળ વધવાની પ્રેરણા આપી.

શાળા ટ્રસ્ટીઓ એ પણ આ પહેલને ખૂબ પ્રશંસનીય ગણાવી અને વિદ્યાર્થીઓને અનુકૂલ્ય તકનો લાભ લેવા માટે પ્રેરિત કર્યા. વિજ્ઞાન મેળામાં ૭૦ વિદ્યાર્થીઓએ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિતના વિવિધપ્રયોગો રજૂ કર્યા. આ સાથે વાડજ અને પ્રહલાદનગરમાં ચાલતા આહાન લર્નિંગ સેન્ટરના બાળકોએ પણ ઉત્સાહભેર ભાગલીધો અને પોતાની વૈજ્ઞાનિક પ્રસ્તુતિઓ રજુ કરી. વિજ્ઞાન મેળામાં ૫૦૦ થી વધુ મહેમાનો અને મુલાકાતીઓની હાજરી રહી, અને શિક્ષકો, વાલી તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.

એપેક્સોન ઈગ્નાઈટના વોલન્ટીયરો પણ આ ઉજવણીમાં જોડાયા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *