અમદાવાદ

હીરામણિ સ્કૂલ ધો.1 થી 7 (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) નાં બાળકોદ્વ્રારા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી એટલે કે 5 સપ્ટેમ્બર સંદર્ભે શિક્ષક દિન ઉજવવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાંથી કોઈ વિદ્યાર્થી આચાર્યા, કો-ઓર્ડિનેટર્સ, શિક્ષક, ક્લાર્ક, પ્યૂન, આયાબેન બન્યા હતાં. શિક્ષકો બનેલા વિદ્યાર્થીઓએ મનગમતા વિષયને ભણાવી આજનો દિવસ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો હતો.
વિદ્યાર્થીઓના આ ઉત્સાહ તેમજ શિક્ષકો પ્રત્યેની સન્માનની ભાવના બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્યા કોષાબેન પટેલ,પિનાક્ષી વડોદરિયા,કો-ઓર્ડિનેટર કેતન ભટ્ટ, લાલસિંહ ચંપાવત સહિત તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને શિક્ષકદિનની શુભેચ્છા પાઠવી હતી.
