આંકડાઓ અનુસાર ઓગસ્ટ મહિનામાં દેશના વેપારમાં 24.16 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું

નવી દિલ્હી
શુક્રવારના સરકારી આંકડાઓ પ્રમાણે દેશમાં આયાત અને નિકાસમાં ઘટાડો નોંધાયો છે. જેના કારણે દેશને સપ્ટેમ્બર 2023ના વેપારમાં 19.37 બિલિયન ડોલરનું નુકસાન જોવા મળે છે. આ આંકડાઓ અનુસાર ઓગસ્ટ મહિનામાં દેશના વેપારમાં 24.16 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું.
સપ્ટેમ્બર 2023માં દેશની નિકાસ 2.6 ટકા ઘટીને 34.47 બિલિયન ડોલર થઈ છે, જ્યારે ગયા વર્ષે એટલે કે સપ્ટેમ્બર 2022માં ભારતની કુલ નિકાસ 35.39 બિલિયન ડોલર હતી. ભારતની આયાત પણ સપ્ટેમ્બરમાં 15 ટકા ઘટીને 53.84 બિલિયન ડોલર થઈ છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં 63.37 બિલિયન ડોલર હતી.
ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન નિકાસ 8.77 ટકા ઘટીને 211.4 અબજ ડોલર થઈ છે. જ્યારે આ છ મહિનામાં આયાત 12.23 ટકા ઘટીને 326.98 અબજ ડોલર થઈ છે.
સોનાની આયાતમાં વર્ષે વધારો જોવા મળે છે. જયારે ગયા વર્ષે તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. તે સામે સોનામાં લાગેલી ડ્યુટીના કારણે તેની આયાતમાં ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, કિંમતી સ્ટોન્સ, ચાંદી, કોલસોની આયાતમાં પણ ઘટાડો નોંધાયો હતો.
સપ્ટેમ્બરમાં ચીનની નિકાસ અને આયાત બંનેમાં 6.2 ટકાનો ઘટાડો થયો છે. ચીનની આયાત અને નિકાસ સતત પાંચમા મહિને ઘટી છે. જેનું કારણ નબળી ગ્લોબલ ડિમાન્ડ છે. સપ્ટેમ્બરમાં ચીનની નિકાસ 6.2 ટકાના ઘટાડા બાદ $299.13 બિલિયન રહી હતી. તે જ સમયે, આયાતમાં 6.2 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે અને તે $221.43 બિલિયન રહી છે.