ગુજરાતમાં મોસમી રોગચાળો નિયંત્રણમાં, H1N1 સામે આરોગ્ય વિભાગ સજ્જ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક; 2019ની H1N1 ગાઇડલાઇન મુજબ સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને સારવારનું પાલન કરવા સૂચના ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા પર મેળવેલા નિયંત્રણ તથા સીઝનલ ફ્લૂ એટલે કે H1N1 સામેની આગોતરી તૈયારીઓની સમીક્ષા કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સના…

અદાણી સ્પોર્ટ્સલાઇન એકેડમીના સ્કેટર પાર્થ શાહને ગુજરાત સરકારનો જયદીપસિંહજી જુનિયર એવોર્ડ

સ્કેટિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ સન્માન : ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં એવોર્ડ અર્પણ કર્યો અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઇન એકેડમીના યુવા સ્પીડ સ્કેટર અને એથ્લેટ પાર્થ સુરાગ શાહને સ્કેટિંગ ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કરેલી નોંધપાત્ર સિદ્ધિઓ બદલ ગુજરાત સરકારના પ્રતિષ્ઠિત જયદીપસિંહજી જુનિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 12 ઓગસ્ટના રોજ…

અડાલજના અન્નપૂર્ણાધામમાં શિક્ષણ, ભોજન અને સમાજસેવાના નવા આયામો

સમાજસેવા સાથે શિક્ષણ અને ભોજનાલય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી, વિવિધ વિકાસકાર્યોની માહિતી સામે આવી ગાંધીનગર/અડાલજ: અડાલજ સ્થિત શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે શિક્ષણ, ભોજન સેવા, સમાજસેવા અને જરૂરિયાતમંદોને સહાય સહિતના વિવિધ ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રસ્ટ દ્વારા સંચાલિત અન્નપૂર્ણાધામ ભોજનાલય, કુમાર છાત્રાલય અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ અંગેના કાર્યક્રમમાં સંસ્થાની અત્યાર સુધીની કામગીરી…

સ્વર્ણિમ યુનિવર્સિટીમાં સંશોધન પેપરના ગુણવત્તાસભર પ્રકાશન માટે વિશેષ વર્કશોપ

104 ફેકલ્ટી સભ્યો અને સંશોધન વિદ્વાનોએ લીધો ઉત્સાહપૂર્વક ભાગ; ટોચના જર્નલમાં સંશોધન પ્રકાશન અંગે નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન ગાંધીનગર સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી દ્વારા ફેકલ્ટી સભ્યો અને સંશોધન વિદ્વાનોની સંશોધન તથા શૈક્ષણિક પ્રકાશન ક્ષમતાને વધુ મજબૂત બનાવવાના હેતુથી “Winning the Game of Publishing Research Papers in Top-Quality Journals” વિષય પર વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું…

ગાંધીનગરમાં ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી

‘અનેમિયા મુક્ત ભારત’ના સંકલ્પ સાથે રાજ્યના 1.84 કરોડથી વધુ બાળકો-કિશોરોને કૃમિનાશક દવાનું વિતરણ કરાશે: આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા ગાંધીનગર: ગાંધીનગરના સેક્ટર-29/1 સ્થિત સરકારી પ્રાથમિક શાળા ખાતે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના બાળકોને કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 1થી…

સોમવાર, તા. ૨૦–૧૦–૨૫થી રવિવાર, તા.૨૬–૧૦–૨૫ દરમ્યાન સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગર ખાતે પ્રકાશનું પર્વ દીપાવલી ઉજવાશે

દીપાવલી એટલે અંધકાર પર પ્રકાશનો વિજયોત્સવ. બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવાયું છે — ‘તમસો મા જ્યોતિર્ગમય’ – ‘હે ભગવાન ! અમને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઇ જાઓ.’ સનાતન ભારતીય સંસ્કૃતિની પવિત્ર ભાવનાઓ વહાવતું સ્વામિનારાયણ અક્ષરધામ પરિસર સતત ૩૩ વર્ષોથી ૧૦,૦૦૦ દીવડાઓની હારમાળા પ્રગટાવી દીપાવલી પર્વના સંદેશને જન-જનના માનસ પટ પરઅંકિત કરે છે. સંધ્યા સમયે હજારો દીવડાઓ…

ઈન્ટર ડિસ્ટ્રીક્ટ અંડર-23 મલ્ટિડેમાં સીબીસીએ ચેમ્પિયન, ગાંધીનગર રનર્સઅપ

અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ-બી ગ્રાઉન્ડ પર રમાયેલી રિલાયન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અંડર-23 મલ્ટિડેઝ ટુર્નામેન્ટ અમદાવાદ (સીબીસીએ)એ ગાંધીનગરને હરાવીને સ્પર્ધા જીતી હતી. અમદાવાદની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી પહેલી ઈનિંગ્સમાં 411 રન બનાવ્યા જેના જવાબમાં ગાંધીનગરની ટીમે 267 રન બનાવતા મેચ ડ્રો થઈ હતી અને અમદાવાદની ટીમ ચેમ્પિયન બની હતી. ટૂંકો સ્કોર — અમદાવાદ (પહેલી ઇનિંગ)…