સોમવાર, તા. ૨૦–૧૦–૨૫થી રવિવાર, તા.૨૬–૧૦–૨૫ દરમ્યાન સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગર ખાતે પ્રકાશનું પર્વ દીપાવલી ઉજવાશે

દીપાવલી એટલે અંધકાર પર પ્રકાશનો વિજયોત્સવ. બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવાયું છે — ‘તમસો મા જ્યોતિર્ગમય’ – ‘હે ભગવાન ! અમને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઇ જાઓ.’ સનાતન ભારતીય સંસ્કૃતિની પવિત્ર ભાવનાઓ વહાવતું સ્વામિનારાયણ અક્ષરધામ પરિસર સતત ૩૩ વર્ષોથી ૧૦,૦૦૦ દીવડાઓની હારમાળા પ્રગટાવી દીપાવલી પર્વના સંદેશને જન-જનના માનસ પટ પરઅંકિત કરે છે. સંધ્યા સમયે હજારો દીવડાઓ…

ઈન્ટર ડિસ્ટ્રીક્ટ અંડર-23 મલ્ટિડેમાં સીબીસીએ ચેમ્પિયન, ગાંધીનગર રનર્સઅપ

અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ-બી ગ્રાઉન્ડ પર રમાયેલી રિલાયન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અંડર-23 મલ્ટિડેઝ ટુર્નામેન્ટ અમદાવાદ (સીબીસીએ)એ ગાંધીનગરને હરાવીને સ્પર્ધા જીતી હતી. અમદાવાદની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી પહેલી ઈનિંગ્સમાં 411 રન બનાવ્યા જેના જવાબમાં ગાંધીનગરની ટીમે 267 રન બનાવતા મેચ ડ્રો થઈ હતી અને અમદાવાદની ટીમ ચેમ્પિયન બની હતી. ટૂંકો સ્કોર — અમદાવાદ (પહેલી ઇનિંગ)…