હીરામણિ હૉસ્ટેલ અને સાંધ્યજીવન કુટિરમાં ગણેશજીની સ્થાપના

ગણેશોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓ અને વડીલોએ ભક્તિભાવપૂર્વક ગણપતિ બાપ્પાની આરાધના કરી અમદાવાદ શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે હીરામણિ હૉસ્ટેલ અને સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)ના કેમ્પસમાં આવેલા દેવમંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશજીની સ્થાપનાના ધાર્મિક કાર્યક્રમમાં હીરામણિ હૉસ્ટેલ તથા સાંધ્યજીવન કુટિરના ચીફ રેક્ટર જયંતીજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિભાવ સાથે…

હીરામણિ કે.જી.-બાલવાટિકામાં ભૂલકાંઓએ ઉત્સાહભેર ગણેશ ચતુર્થી ઉજવી

રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈ આવેલા બાળકોએ ભગવાન ગણેશની આરતી ઉતારી ઉજવણી કરી અમદાવાદ: હીરામણિ નર્સરી-કે.જી. (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)ના બાલવાટિકા વિભાગમાં ભૂલકાંઓ દ્વારા ગણેશ ચતુર્થીની આનંદ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાના ભૂલકાંઓમાં તહેવારને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ ભૂલકાંઓ ગણેશ ચતુર્થીની ઉજવણી નિમિત્તે હીરામણિ કે.જી.-બાલવાટિકાના ભૂલકાંઓ રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ…

હીરામણિ નર્સરી-કે.જી. વિભાગમાં ભુલકાંઓ દ્વારા ગણેશ ચતુર્થીની ઉજવણી

અમદાવાદ        હીરામણિ નર્સરી-કે.જી. (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં ભુલકાંઓ દ્વારા ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી. ભૂલકાંઓ રંગબેરંગી કલરીંગ કપડાં પહેરીને આવ્યા હતા. ભૂલકાંઓએ ભગવાન ગણેશની આરતી ઉતારીને ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી. સંસ્થા દ્વારા બાળકોને ભગવાન ગણપતિજીને પ્રિય એવા લાડુ અને ચવાણું નાસ્તામાં આપવામાં આવ્યા હતાં.