હીરામણિ હૉસ્ટેલ અને સાંધ્યજીવન કુટિરમાં ગણેશજીની સ્થાપના

ગણેશોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓ અને વડીલોએ ભક્તિભાવપૂર્વક ગણપતિ બાપ્પાની આરાધના કરી અમદાવાદ શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે હીરામણિ હૉસ્ટેલ અને સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)ના કેમ્પસમાં આવેલા દેવમંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશજીની સ્થાપનાના ધાર્મિક કાર્યક્રમમાં હીરામણિ હૉસ્ટેલ તથા સાંધ્યજીવન કુટિરના ચીફ રેક્ટર જયંતીજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિભાવ સાથે…

હીરામણિ પ્રાથમિક શાળામાં ઈકો ફ્રેન્ડલી ભગવાન શ્રી ગણપતિજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઈ

અમદાવાદ હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ઈકો ફ્રેન્ડલી ભગવાન શ્રી ગણપતિજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ માટી, ક્લે, પાંદડાંનો ઉપયોગ કરી ઈકો ફ્રેન્ડલી ભગવાન શ્રી ગણપતિજીની વિવિધ મૂર્તિઓ બનાવી હતી, અને તેની સાથે-સાથે આસ્થા ભી સરંક્ષણ ભી ના સૂત્ર સાથે પર્યાવરણ બચાવવાનો સમાજને સંદેશો પાઠવ્યો હતો.